ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.7
તા.03-01-2025ના રોજ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના અઢારમા (18) યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના સહયોગથી ગણેશ ભુવન, અંબાજી ખાતે આયોજિત થયો. સૌપ્રથમ સવારે 9:30 કલાકે સંસ્કૃત-યાત્રા યોજવામાં આવી, જેનો શુભારંભ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ, કાર્યકારી કુલસચિવ પ્રો.લલિતકુમાર પટેલ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટરના હસ્તે લીલી ઝંડી તથા વિજયની ઉદ્ઘોષક મશાલથી કરવામાં આવ્યો. આ સંસ્કૃત યાત્રામાં સંસ્કૃતના સૂત્રોચ્ચાર સાથે રાજ્યભરની 34 સંસ્કૃત મહાવિદ્યાલયોમાંથી આવેલ 653 ઋષિકુમારોએ ભાગ લીધો. સંસ્કૃતયાત્રા શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના પટાંગણથી શક્તિદ્વાર થઇ ગણેશ ભુવનમાં સમાપ્ત કરવામાં આવી, જ્યાં તમામ સ્પર્ધકોએ યુવક મહોત્સવમાં શ્રદ્ધાપૂર્વક અને સત્ક્રીડાની ભાવના સાથે ભાગ ગ્રહણ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ 11 કલાકે ગણેશ ભુવન ખાતે યુવક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહનું આયોજન થયું.
ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય-અતિથિ તરીકે રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વકુલપતિ પ્રો.હરેકૃષ્ણ શતપથી, અધ્યક્ષરૂપે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, પાલનપુર મતવિસ્તારના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર વિશેષ-અતિથિ તરીકે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ પ્રો.લલિતકુમાર પટેલ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી, એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલ, શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડો.હિંમતભાઈ દવે, સ્પર્ધાઓના નિર્ણાયકો, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલયોના પ્રાધ્યાપકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય અને મંગલાચરણથી ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ પ્રો.લલિતકુમાર પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું અને ઉપનિષદ્-વાક્ય અને સ્વામી વિવેકાનંદજીનું સ્મરણ કરી યુવાનનોમાં ઉત્સાહ અને શક્તિનો સંચાર કર્યો. શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ સંગીત સાથે સંસ્કૃતમાં સ્વાગત ગીત રજૂ કર્યું. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ, મોમેન્ટો અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે- સોમનાથ તીર્થ જેમ અખંડ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે તેમ અંબાજી તીર્થ પણ ભારતીય સંસ્કૃતિનું એક અવિચ્છિન્ન અંગ છે. આ યુવક મહોત્સવ એ બંને તીર્થોનો અભૂતપૂર્વ સંગમ છે. ઉદ્ઘાટન સમારોહ દરમ્યાન મંચસ્થ મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત 03 ગ્રંથો, જેમાં (1) વિદ્યાર્થીઓને ઉપયોગી અને અભ્યાસક્રમલક્ષી એવા 0ખ-7, (2) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત સંસ્કૃત મહાકાવ્ય (0ૠ(ખ।0ઊં9.ખ અને (3) યુનિવર્સિટીનું ત્રિમાસિક સામયિક 8ઊં.ખ/ઊં? અંક-40 અને 41નું વિમોચન કરવામાં આવ્યું.