બેનમૂન ગેટ એન્ટ્રી, રળીયામણું- ફલોરીંગ બેઝ ગ્રાઉન્ડ, પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા
રાહુલ મહેતા, તેજસ શિશાંગીયા અને અપેક્ષા પંડયા મોજ કરાવશે
- Advertisement -
આધુનિક, ભવ્ય અને આકર્ષક રાસોત્સવની આયોજનની ઘોષણા કરતા સુરેન્દ્રસિંહ વાળા
ખાસ-ખબર સંવાદદાતા
માં જગદંબાના નવ સ્વરૂપની આરાધનાના પર્વ એટલે નોરતા. નવરાત્રીના પડધમ વાગી ચુક્યા છે. ગુજરાતની નવરાત્રી વિશ્ર્વ ભરમાં પ્રશંશીત છે. સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટમાં ખેલેયાઓ માટે સતત 22 વર્ષથી સહિયર જ રાજધાની બની રહ્યું છે. એક જ ક્ષેત્રમાં પડકારો ઝીલી ક્યારેક સમય સંજોગોનો સામનો કરી આટલા વર્ષ અડીખમ રહેવું એ જ સહિયરની વિશેષતા છે. અપડેટ રહી દર વર્ષે નવીનતમ આયોજન આપવા માટે સતત પ્રયત્નશીલ રહેનાર સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ વર્ષ-2023ના ધમાકેદાર આયોજનની ઘોષણા કરી છે.
રાજકોટના હાર્દ સમાન રેસકોર્ષ ગ્રાઉન્ડ પર સહિયર મનોરમ્ય રૂપ ધારણ કરશે. બેનમુન ગેટ એન્ટ્રી-રળીયામણું- ફલોરીંગબેઝ ગ્રાઉન્ડ, પ્રેક્ષકો માટે આદર્શ બેઠક વ્યવસ્થા. હેલ્થી ફૂડ ઝોન, ઝગમગ ફર્સ્ટ લાઈટએ પ્રાથમિક વ્યવસ્થાને વધુ મજબુત કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાની દષ્ટિએ સીસીટીવી- બાઉન્સર સિક્યોરીટી ઉપરાંત સહિયરના તમામ આયોજકોની એકતાના કારણે આજ સુધી કોઈ અણબનાવ નથી બનવા પામ્યા. રાજકોટના વાલીઓ પોતાના દિકરા દિકરીઓને સહિયરમાં બેધડક રાસે રમવા મોકલે છે. કારણ કે અહીં પારિવારિક વાતાવરણ હોઈ છે. અપેક્ષા પંડયા, રાહુલ મહેતા, તેજસ શિશાંગીયા મન મૂકીને મોજ કરાવશે.
- Advertisement -
રિધમ સેક્શનમાં ગુજરાતના ટોપ મોસ્ટ રીધમીસ્ટ હિતેષ ઢાંકેચા લીડ કરશે. જયારે મંચ સંચાલન અને સંગીત સંચાલન જીલ એન્ટરટેઈનમેન્ટ (ઈંજઘ 9001-2015)ના ઓનર તેજસ શિશાંગીયા સતત 23માં વર્ષે કરશે. સહિયર રાસોત્સવને સફળ બનાવવા સહિયર રાસોત્સવના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા, ઉપપ્રમુખ ચંદુભા પરમાર, આયોજક ટીમ યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, કૃષ્ણપાલસિંહ વાળા, રવિરાજસિંહ જાડેજા તથા ધૈર્ય પારેખ અને આયોજકની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સિઝન પાસ બુકિંગ માટે સંપર્ક કરો :- 89800 21321 312, ત્રીજો માળ, સિલ્વર ચેમ્બર, અતુલ મોટર્સ સામે, ટાગોર રોડ,રાજકોટ