દાતાઓની દિલેરી ઘન દાન અને સ્વયંસેવકોના શ્રમદાન-સમયદાનને બિરદાવતા મહોત્સવના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી: શનિવારે ઓદ્યોગિક સંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી માંડવીયાની ઉપસ્થિતી
પાંચ દિવસીય મહોત્સવમાં યુવા, કૃષિ, સામાજીક સમરસતા બાદ આજે મહિલા તથા સમરસતા સંમેલન યોજાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉમીયાધામ સિદસર : ઉમિયાધામ સિદસર : પરિશ્રમ અને શિક્ષણ થકી પ્રગતીના સોપાનો સર કરતા કડવા પાટીદાર સમાજના આરાધ્યદેવી માં ઉમીયા માતાજીના પ્રાગટયના 1રપ વર્ષની ઉજવણી પ્રસંગે જામજોધપુર તાલુકાના સિદસર ખાતે યોજાયેલા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં બે દિવસમાં યુવા,કૃષિ, સામાજીક સંમેલન બાદ આજે શુકવારે ત્રીજા દિવસે વિશાળ મહિલા સંમેલન તથા સમરસતા સંમેલનમાં વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પાટીદાર સમાજની માં ઉમિયાની આધાધના થકી સરસ્વતી ની આરાધના ના સુત્રને સાથર્ક કરતી ઉમિયા સમૃધ્ધિ યોજનાના માધ્યમથી રૂા.400 કરોડના સમાજ વિકાસના કાર્યને બિરદાવી છે.
ઉમિયાધામ-સિદસર ખાતે આજે ત્રીજા દિવસે શુકવારે સવારે વિશાળ મહિલા સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમીયા માતાજી મંદિર પ્રમુખ જેરામભાઇ વાંસજાલીયાએ જણાવ્યું હતુ કે, પાટીદાર સમાજની મહિલાઓ અપાર શકિતઓ ધરાવે છે.
મહિલાઓના સથવારે સમાજ સર્વાગી વિકાસની દિશામાં મહિલાઓ દિકરાઓના ઉછેર વ્યસન મુકત અને સંયુકત પરિવારની ભાવના કેળવી દિશામાં અગ્રેસર બને તેવી હાકલ કરી હતી. શ્રી વાંસજાલીયાએ પાટીદાર સમાજના વડીલોએ પ્રામાણિકતા રાખીને સંપતિ વેચીને પણ કરજ ચુકવી ઈમાનદારીનું ભાથુ બાંધ્યુ છે. પાટીદાર સમાજે સર્વાંગી વિકાસ કર્યો છે ત્યારે ગુજરાતની માફક મધ્યપ્રદેશના પાટીદારો પણ સામાજિક ક્ષેત્રે વિકાસ સાધે અને ગુજરાતના પાટીદારો સાથે નાતો મજબુત બનાવે તેવી અપીલ કરી હતી.
- Advertisement -
મધ્યપ્રદેશના સાંસદ કવીતાબેન પાટીદારે ઉમિયા ભકિત અને માતૃશકિત વિશે વાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાતના પાટીદાર સમાજે ક્ધયા કેળવણી ક્ષેત્રે ઉમદા કામગરી કરી છે.મહિલાઓએ પોતાનું અસ્તિત્વનું સન્માન કરવું જોઇએ. જગતજનની માં અને ધરતી માતા અને જન્મ દેનારી માનું પુજન થાય તે આવકાર્ય છે. લગ્ન વેળાએ દિકરી સાત ફેરા પૈકી એક ફેરો સંયુકત કુટુંબને ટકાવી રાખવાનો પણ લે છે. ત્યારે ગૃહ પ્રવેશ કરતી વખતે વહુ નહિ પરંતુ દિકરી આવે તો ઝડપથી વધતા વૃધ્ધાશ્રમો બંધ થઇ જશે. અન્ય સમાજની તુલનાએ પાટીદાર સમાજે દિકરીઓમાં શિક્ષણ,સંસ્કાર અને પ્રોત્સાહનનું સિંચન કર્યુ છે. સ્વીઝરલેન્ડના મોટીવેશનલ સ્પીકર નીશાબેન બુટાણીએ મહિલાઓની કુટુંબ ભાવના અને પરીવાર અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતુ કે, સુંદર સમાજના નિમાર્ણ માટે સંયુકત કુટુંબ જરૂરી છે. કોરોના કાળ વિદેશોમાં પણ સંયુકત કુંટુંબ વધી રહયા છે. ત્યારે પાટીદાર સમાજમાં સંયુકત પરિવારની ભાવના કેળવવી પડશે. ઉદાહરણ સાથે તેમણે પરિવારમાં સબંધો ફેકી દેવાના બદલે જોડવાની પ્રથાની હાકલ કરી હતી.
ઉમિયા માતાજી મંદિર પ્રેરીત ઉમિયા પરિવાર મહિલા સંગઠનના સૈારાષ્ટ્ર પ્રમુખ સરોજબેન મારડીયાએ પ્રવર્તમાન સમયે ગ્રહસ્થ જીવનમાં પાટીદાર મહિલાઓની ભુમીકા અંગે વાત કરતા જણાવ્યું હતુ કે, સંયુકત પરિવારની ભાવના લુપ્ત થઇ રહી છે. વડીલોને માન-સન્માન આપવા,દિકરા-દિકરીના વેવિશાળની સમસ્યા અને લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ,દેખા-દેખી, પ્રિવેડીંગ, બેબી સાવર જેવા નવા રીવાજોને તિલાંજલી આપવાની તાતી જરૂરીયાત છે.
મહિલા સંમેલનમાં રાજકોટના મહિલા ઉદ્યોગપતિ અને ઉમીયાધામના ટ્રસ્ટ્રી નીશાબેન વડાલીયાએ જણાવ્યુ હતુ કે, નારીશકિત અને નારી અંગે વિસ્તૃત સમજ આપી મહિલાઓ ધરમાં એકાઉન્ટ, ટીચર, સામાજીક ભુમિકા ભજવતી હોય છે.
ઘર પરિવારમાં રહી બાળકોની કેળવણીનું ઉતમ કાર્ય કરે છે. મહિલાઓએ આવડત કેવળી વ્યાપાર ધંધામાં અગ્રેસર થવું જોઇએ. મહિલા તબીબ ડો. નીશાબેન શાખાતએ મહિલાઓ દરેક ક્ષેત્રમાં મહત્વનો રોલ ભજવી શકે. દિકરી, માતા, સાસુ સહીતની જવાબદારી સાથે સમાજમાં સમયદાન, શ્રમદાન દારા સામજિક ક્ષેત્રે કામ કરવું જોઇએ.
તેમણે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના ભાઇઓમાં તમાકુના વ્યસનથી કેન્સરનું પ્રમાણ તથા બહેનોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઉંચુ હોવાનું જણાવી ઉમિયા માતાજી મંદિર દ્નારા જાગૃતિ અને કેમ્પ ટ્રારા થતા કાર્યોને બિરદાવ્યા હતા. રાજકોટના બાન ગ્રુપન સોનલબેન ઉકાણીએ જણાવ્યું હતુ કે સંયુકત પરીવારને ટકાવી રાખવા સાસુનું પુજન કરવું જોઇએ. છુટાછેડાના પ્રશ્નો આધુનિક સમયે દિકરીઓના બીન જરૂરી ખર્ચ અંગે ચિંતા વ્યકત કરતા સમાજમાં અગ્રણીઓના માર્ગદર્શન અને પ્રેરણાથી જીવન ધોરણ અપનાવાના અભિગમની હિમાયત કરી હતી. નયનાબેન ભાલોડીયા એ સ્વાગત પ્રવચન, મહિલા સંગઠન ગુજરાત ઝોનના પ્રમુખ જયશ્રીબેન ટીલવાએ આભાર વિધી કરી હતી. અતિથિ વિશેષ તરીકે પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, સોનલબેન ઉકાણી, શોભનાબેન પાણ, ભાવનાબેન કોટડીયા, દક્ષાબેન ધરસંડીયા, દક્ષાબેન હદવાણી, ભાનુબેન સવસાણી, નિકિબેન વાછાણી, હર્ષાબેન ગોવાણી, જલ્પાબેન આદ્રોજા, માનસીબેન કુંડારીયા, અંજુબેન જાવીયા, પ્રફુલાબેન રાણીપા, ઉષાબેન અમૃતિયા ઉપસ્થિત રહયા હતા. મહિલા સંમેલન પૂર્વ વિજાપુરા વિદ્યા સંકુલથી મહોત્સવના સભા મંડપ પાસે બાર જયોતિલીંગ સુધી 150 દિકરીઓ માથા પર ઝવેરા ની શોભા યાત્રા યોજાઇ હતી.
શ્રી 1ા શતાબ્દી મહોત્સવમા માં ઉમિયા પ્રત્યે ભકિત-ભાવ દર્શાવવા સૈારાષ્ટ્ર ભરના વિવિધ શહેરો ગામોમાં 1.રપ લાખ બહેનોએ હાથમાં માં ના નામની મહેંદી મુકી મહોત્સવમાં સહભાગી બની છે. 1250 બાળાઓના પુજન-આરતી દ્વ્રારા માતૃશકિત વંદનાનો સંદેશો આયોજકોએ આપ્યો છે. સામાજિક ક્ષેત્રે મહિલાઓ પણ પુરૂષોની સમોવડી બની રહે તેવા ઉદેશ સાથે મહિલા સંમેલનમાં મંચ પર સૈારાષ્ટ્ર, ગુજરાતના પાટીદાર અગ્રણીઓને સ્થાન આપ્યું હતું.
મોટીવેશનલ સ્પીકર નિશાબેન બુટાણીનું પાટીદાર મહિલા સંમેલનમાં ઉદબોધન
ગૃહ પ્રવેશ વખતે વહુ નહિ પરંતુ દિકરી આવે તો વૃદ્ધાશ્રમો બંધ થઇ જાય, સાંસદ : કવિતા પાટીદાર
ગઇકાલે બપોર બાદ યોજાયેલા સામાજિક સંમેલનમાં ઉદધાટન કરતા પાટીદારોના સામાજિક જીવન અંગે બોલતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ કે પાટીદારોએ સમય પ્રમાણે અનેક કુરીવાજોને તીલાંજલી આપી છે. પરંતુ સમય સાથે સાથે નવા કુરીવાજો આવી રહયા છે. ત્યારે પાટીદાર સમાજે ફરી વાર માં ઉમિયાના નેજા હેઠળ કુપોષણ દુર કરવા સરકારની યોજના સાથે જોડાવું જોઇએ. પાટીદારના સીમ-શેઠાના રક્ષણ માટે સંયુકત પરિવાર તથા મજબુત નવી પેઢીનું નિમાર્ણ થવું જોઇએ.પાટીદાર સમાજના વડીલોએ ખેત-પેદાશો ઉપજાવી સમાજની સંસ્થાનું નિમાર્ણ કર્યુ હતુ. અત્યારે પાટીદાર સમાજની સંસ્થામાં શિક્ષણ મેળવી નવી પેઢી શિક્ષિત સુખી-સંપન્ન બની મોટી રકમના દાન આપી રહયા છે. નવી પેઢીએ આધુનિક નવી પધ્ધતિથી પશુપાલન-ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. ઉમીયાધામ ખાતે બપોરબાદ યોજાયેલા સામાજીક સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુભાઇ જમનાદાસ પટેલ, ઉમિયામાતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાલીયા મહોત્સવના પ્રમુખ માલેશભાઇ ઉકાણી, મહામંત્રી જયેશભાઇ પટેલ, સહ મહામંત્રી કૈાશિકભાઈ રાબડીયા,મહોત્સવની આયોજન સમિતિના પ્રમુખ ચીમનભાઇ સાપરીયા, ક્ધવીનરો ગોવિંદભાઇ વરમોરા, મનસુખભાઇ પાણ, મહોત્સવના મુખ્ય યજમાન જગદિશભાઇ કોટડીયા,પુનીતભાઇ ચોવટીયા ઉમીયા સમૃધ્ધિ યોજનાના બી.એચ.ધોડાસરા સમુધ્ધિી યોજના-ર ના મહાપદ્મ દાતા જીવનભાઇ ગોવાણી, સરદારધામ અમદાવાદના ગગજીભાઇ સુતરીયા, ઉમાધામ ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઇ ધુલેશીયા, ઉમિયાધામ નાગપુરના પ્રમુખ જીવરાજભાઇ પટેલ, રાજકોટના મુળજીભાઇ ભીમાણી, ગીંગણીના રમેશભાઇ સાપરીયા, અમેરીકાથી અશ્વિનભાઇ જાવીયા, દિપકભાઇ ગોવાણી ઉપસ્થિત રહયા હતા.
શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં ગોવિંદ પુસ્તકની હાથીની અંબાડી પર શોભાયાત્રા નીકળી…
રાજકોટના ગૌપ્રેમી મનસુખભાઇ સુવાગીયા દારા લીખીત ગોવિંદ પુસ્તકનું સીદસર ખાતે શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં વિમોચન કરવામાં આવ્યું છે. ઉમિયા માતાજી મંદિર ખાતેથી ગોવિંદ પુસ્તકને હાથીની અંબાડી પર રાખી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જળકાંતિ ટ્રસ્ટના મનસુખભાઇ સુવાગીયા ના પુસ્તક ગોવિંદ તથા સુરેન્દ્રનગરના શેરડીયા પરિવાર દ્વ્રારા પ્રકાશિત હીસ્ટ્રી ઓફ કડવા પાટીદાર પુસ્તકના ગુજરાતી તથા અંગ્રેજી પુસ્તકનું સામાજીક સંમેલનમાં વિમોચન કરાયું હતુ.
માઁ ઉમિયાના ચરણે શીશ ઝુકાવતો સૈારાષ્ટ્રનો પાટીદાર સમાજ : ભકતો માટે ભાવતાં ભોજનીયા
મહોત્સવમાં 600 ડબ્બા ઘી, 1500 ડબ્બા તેલ, 1000 મણ ખાંડ, 2000 મણ લોટ વપરાશે
30 મિનિટમાં 40,000 જેટલા ભાવિકો જમી શકે તેવું બેનમૂન આયોજન
અન્ન ભેગા તેના મન ભેગા સિદસર ખાતે પાંચદિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં કડવા પાટીદારો નો માનવ મહેરામણ ઉભરાય રહયો છ. મા ઉમિયાના દર્શને આવતા ભાવીકોની ભીડને પહોંચી વળવા રસોડા સમિતિ દ્રારા બેનમૂન આયોજન કરવામાં આવ્યુ છે. 30 વિઘા જેટલા વિસ્તારમાં અલગ-અલગ 12 જેટલા ભોજનાલયો બનાવવામાં આવ્યા છે. જેમાં 2000 સ્વયંસેવકોની ફોજ ખડે પગે સેવા બજાવી રહી છે. આ ઉપરાંત અતિથિ વિશેષ તેમજ સ્વયંસેવકો માટે અલગ ભોજનાલયોની વ્યવસ્થા જીતુભાઇ વાછાણી સંભાળી રહયા છે. રસોડાધરમાં 500 જેટલા રસોઇયા ભાઈઓ-બહેનો નિરંતર કાર્યરત છે. ભોજન પ્રસાદ લેવામાં ભીડ ન જામે અસુવિધા ન થાય તે માટે 30 મિનીટમાં 40,000 જેટલા ભાવીકો ભોજન લઇ શકે તેવી ઝડપી અને સુચારૂ વ્યવસ્થા રસોડા સમિતિના અધ્યક્ષ મનસુખભાઇ આરદેશણા, ઉપાધ્યક્ષ રમેશભાઇ મકવાણા, ચંદુભાઇ બારીયા, મંત્રી નાથાભાઇ નાદપરા, સહમંત્રી વલ્લભભાઇ પનારા, ચંદુભાઈ રબારા ના માર્ગદર્શન હેઠળ 13 જેટલા કારોબારી સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવી છે. શ્રી 14 શતાબ્દી મહોત્સવમાં પાંચ દિવસ દરમ્યાન અલગ-અલગ સ્વાદિષ્ટ પકવાન-ફરસાણ તેમજ વૈવિધ્યપૂર્ણ વાનગીઓ છાશ સાથે પિરસવામાં આવશે. આ માટે ખાદ્યસામ્રગીનો વિશાળ જથ્થો રસોડા સમિતિ દ્રારા મહોત્સવ સ્થળે એકત્ર કરવામાં આવ્યો છે. જેમાં 600 ડબા ઘી, 1000 મણ ખાંડ, ર000 મણ ઘઉંનો લોટ, 1000 મણ ચણાનો લોટ, 750 મણ ચોખા, 300 મણ તુવેર દાળ, 1500 ડબા સિંગતેલ, ર0,000 લીટર દુધ, ર000 મણ બટેટા ઉપરાંત રોજ બરોજ તાજા લીલા શાકભાજી તથા અન્ય વસ્તુઓ વાપરવામાં આવશે. આ ખાદ્ય સમગ્રીમાં વિવિધ દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે.
સિદસર મહોત્સવમાં પાટીદાર ગ્રામીણ સંસ્કૃતિ અને પાટીદાર સંસ્કૃતિ પ્રદર્શન જોવા ભીડ
શ્રી 1ા શતાબ્દી મહોત્સવ સિદસરના પાંચ દિવસીય મહોત્સવમાં વિવિધ 10 જેટલા સંમેલન ઉપરાંત યજ્ઞશાળા, ફિલ્મ નિર્દશન ડોમ, આનંદ મેળો, કૃષિ મેળોની સાથે સાથે પાટીદાર ગ્રામીણ સંસ્કૃતિનું લાઇવ પ્રદર્શનએ ભારે આકર્ષણ જણાવ્યું છે. પાટીદાર સંસ્કૃતિ પ્રદર્શન જોવા પણ ભાવિકો ઉમટી રહયા છે. ખોવા જેવડા સિદસર ખાતે ખેતરોમાં 16 ચો.કી.મી. વિસ્તાર આશરે 650 વિઘામાં યોજાયેલ શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં પાટીદારોના જીવન કથન દર્શાવતું પ્રદર્શન લાઇવ પાટીદાર ગ્રામીણ સંસ્કૃતિ મહોત્સવના મુલાકાતીઓમાં ઉત્સાહ ભર નિહાળી રહયા છે. જેમાં 55 બહેનોની ટીમ ટ્રારા ચુલા પર રસોઇ,વલોણા પર છાશ બનાવતી પાટીદાર મહિલા,ચોપટ રમતા બહેનો, અનાજ દળવાનો ધટુડો, ધોડીયામાં બાળકને સુવડાવતી મહિલા,ગાય દોહતી મહિલાઓ, પટારા ઉપર ડામચીઓ, કાંધી પર પિતળના વાસણો, ઢાળીયા (ખાટલા) પર બેસેલા પાટીદાર વૃધ્ધ સહિતનું લાઇવ નિદર્શન થઇ રહયું છે.