કમિશન વધારો અને અનાજ ઘટ્ટ નહી અપાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે: વેપારી સંગઠ્ઠનને ગઈકાલે સાંજે પણ સરકારે નહી બોલાવતા અસહકાર આંદોલન શરૂ કરાયું
કમિશન વધારો અને અનાજ ઘટ્ટ સહિતની વિવિધ પડતર માંગણીઓ સરકારમાં અનેક રજુઆતો છતા નહી સ્વિાકારાતા આજથી રાજકોટ સહિત રાજયભરનાં 17 હજાર જેટલારેશનીંગનાં દુકાનદારોની બે મુદ્દતી હડતાલ શરૂ કરી દેવામાં આવી છે.આથી જન્માષ્ટમીના તહેવારો ટાણેજ 22 લાખ જેટલા ગરીબ લાભાર્થીઓમાં દેકારો જાગ્યો છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર સાથેની વેપારી સંગઠ્ઠનની પ્રથમ બેઠક પડી ભાંગ્યા બાદ ગઈકાલે સાંજે પણ સરકારે વેપારી સંગઠ્ઠનને નહી બોલાવતા અંતે આજથી રાજયભરનાં રેશનીંગનાં વેપારીઓ બે મુદ્દતી હડતાલ ઉપર ઉતરી ગયા છે. વ્યાજબી ભાવના દુકાનદારોની લાંબા સમયથી પડતર માગણીઓ સ્વીકારવામાં આવતા બંને એસોસિએશન તરફથી જન્માષ્ટમીના તહેવાર પર જ લાભાર્થીઓને તેમને મળવા પાત્ર અનાજ ખાંડ તેલ દાળ ચણાનો જથ્થો વિતરણ ન કરવા માટે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે મુજબ આવતી કાલથી ગુજરાતના વ્યાજબી ભાવના તમામ દુકાનદારો અસહકાર આંદોલનની શરૂઆત કરશે અને સપ્ટેમ્બર ના તહેવાર નિમિત્તે ગરીબ લાભાર્થીઓ ને આપવામાં આવતો તેલ ખાંડનો જથ્થો નું વિતરણ કરશે નહિ.
આ અંગે એસોસિએશનના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે, સરકાર દ્વારા ઓગસ્ટ 22 માં મિનિમમ 20,000 કમિશન તથા એક ટકો વિતરણ ઘટ આપવા માટે લેખિતમાં સંમતિ આપવામાં આવેલ હતી અને સરકાર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા પણ આ અંગે દરખાસ્ત કરી દેવામાં આવેલ છે છતાં અધિકારીઓની મનમાનીથી આજદિન સુધી દુકાનદારોના આ પડતર પ્રશ્નોને નિકાલ કરવામાં આવ્યો નથી જેની સામે આખરે ના છૂટકે સરકાર સામે અસહકાર આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે.
ગત 22 ઓગસ્ટના રોજ આ બાબતે સરકાર સાથે એસોસિયેશનની મિટિંગ મળેલ હતી જેમાં આ બંને પ્રશ્ન બાબતે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં ના આવતા એસોસિએશ દ્વારા અસહકાર આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવેલ છે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ગાંધીનગર બેઠેલા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખોટા આંકડાકીય માહિતી રચી આ આંદોલનને દુકાનદારો નું સમર્થન નથી એવું દર્શાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે.
- Advertisement -
બીજી બાજુ પુરવઠા અધિકારીઓની વી સીમાં પણ દુકાનદારો ઉપર ખોટા કેસ કરી પી બી એમ સહિતના પગલાં લેવા માટે ખુલ્લેઆમ અધિકારીઓ ઉપર પ્રેશર કરવામાં આવી રહ્યું છે.