લખીમપુરમાં બે બહેનોના મૃતદેહ મળ્યા બાદ પરિવારે છોકરીઓને બળજબરીથી ઉપાડી જવાનો અને તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો
યુપીના લખીમપુરમાં બુધવારે બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે. આ મામલો લખીમપુર ખેરીના નિગાસન કોતવાલીનો છે. આ મામલે ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારનું નિવેદન આવ્યું છે. લખનૌ રેન્જના આઈજીએ પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જ્યારે આ કેસમાં પીડિતાની માતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઘટનામાં પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે.
- Advertisement -
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના નિગાસન કોતવાલી વિસ્તારના તમોલિનપુરવા ગામમાં ગઈકાલે રાત્રે દલિત સમુદાયની બે બહેનો ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ મામલામાં પરિવારે છોકરીઓને બળજબરીથી ઉપાડી જવાનો અને તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. લખીમપુર ખેરીના એડિશનલ એસપી અરુણ કુમાર સિંહના જણાવ્યા અનુસાર લખીમપુર ઘટનામાં બળાત્કાર, હત્યા અને બાળ શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં એક નામ અને ત્રણ અજાણ્યા આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
लखीमपुर खीरी के एक गांव के बाहर खेत में 2 बच्चियों के शव पेड़ से लटके मिले। शवों पर कोई चोट नहीं पाई गई। पोस्टमार्टम के बाद अन्य बातों का पता चलेगा, जांच जारी है: लक्ष्मी सिंह, आईजी लखनऊ रेंज, उत्तर प्रदेश (14.09) pic.twitter.com/1zWS0ybYI6
— ANI_HindiNews (@AHindinews) September 14, 2022
- Advertisement -
શું કહ્યું મૃતક દીકરીઓની માતાએ ?
છોકરીઓની માતાએ મીડિયા અને પોલીસને જણાવ્યું કે, આરોપીઓ તેમની દીકરીઓને બળજબરીથી મોટરસાઈકલ પર લઈ ગયા. બાળકીની માતાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેણે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો તો આરોપીએ તેની સાથે મારપીટ કરી. પરિવારજનો અને ગ્રામજનોએ બાદમાં છોકરીઓની શોધખોળ કરી અને તેમની લાશ ઝાડ પર લટકતી મળી આવી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેમની હત્યા કરવામાં આવી. આરોપીઓ પર હત્યા અને બળાત્કાર સંબંધિત IPC કલમો અને POCSO હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.
શું કહ્યું લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષકે ?
લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષક લક્ષ્મી સિંહે જણાવ્યું હતું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. છોકરીઓ તેમના પોતાના દુપટ્ટા પર લટકતી જોવા મળી હતી અને તેમના પર કોઈ ઈજાના નિશાન નથી. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાનું બાકી છે. બુધવારે મોડી રાત્રે ગ્રામજનો અને પરિવારજનોએ હોબાળો અને વિરોધ પણ કર્યો હતો. ગ્રામજનો સાથે ઉગ્ર બોલાચાલી બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
UP | Bodies of two sisters found hanging on a tree at some distance from their house in Lakhimpur. SP is present on the spot. A case will be registered on the basis of the complaint received from their family. Every aspect will be examined: UP ADG (L&O) Prashant Kumar
(File Pic) pic.twitter.com/S8ZopU9oVu
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 14, 2022
શું કહ્યું ડીએમએ ?
લખીમપુરના ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહે એબીપી ગંગાને ફોન પર આ ઘટનાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, હત્યાનું કારણ બંને બાળકીઓના પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે. તેમણે જણાવ્યું કે, ગુરુવારે સવારે બંને બાળકીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
આ તરફ ઘટનાને લઈને યુપીના ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું છે કે, લખીમપુરમાં તેમના ઘરથી થોડે દૂર એક ઝાડ પર બે બહેનોના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સંબંધીઓની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. દરેક પાસાઓની તપાસ કરવામાં આવશે.