-બે માસથી પણ જૂનો વિડીયો વાયરલ થતા હિંસાગ્રસ્ત રાજયમાં નવો તનાવ ફેલાયો
ઉતરપુર્વના ટચૂકડા રાજય મણીપુરમાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર રોજબરોજ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને આ રાજયમાં રોજ હિંસાની ઘટનાઓ બને છે તે સમયે એક સૌથી ધૃણીત કૃત્યનો વિડીયો વાયરલ થયા છે જેમા રાજયના ફકી સમુદાયની બે મહિલાઓ નિર્વસ્ત્ર ફેરવવામાં આવી રહી છે.
- Advertisement -
આ ઘટના રાજયના કોંગપોકસી જીલ્લામાં 4 મે ના રોજ બની હતી તેવું ઈન્ડીજિનય ટ્રાયબલ લીડર્સ ફોરમના પ્રવકતાએ દાવો કર્યો છે અને એ પણ જણાવ્યુ કે, બાદમાં આ બન્ને મહિલાને બાજુના ડાંગરના ખેતરમાં લઈ જવાઈ હતી અને તેના પર બળાત્કાર ગુજરાયો હતો. આ જૂનો વિડીયો વાયરલ થતા આ વિસ્તારમાં તનાવ વધી ગયા છે.
વિડીયોમાં પીડિત મહિલાઓ મદદ માટે કરગરતી હતી અને પુરુષો તેની સાથે છેડછાડ કરતા હતા. આજે જ મણીપુરમાં ઈન્ડીજિનસ ટ્રાઈબલ લીડર્સ-ફોરમના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે તે સમયે જ આ જૂનો વિડીયો વાયરલ કરીને તનાવ વધારવા પ્રયાસ થયો હોવાનો ભય પણ દર્શાવાયો હતો. આ ગામ જયાં ઘટના બની હતી ત્યાં પહેલા કેટલાક મકાનોને આગ ચાપવામાં આવી હતી.
મણીપુરમાં જે વંશિય હિંસા તે માસના પ્રારંભમાં ભડકી પછી તુર્તજ આ ઘટના બની હતી અને મહિલાના એક સંબંધીએ બીજા જ દિવસે આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 900થી1000 લોકોએ આ ગામ પર બળવો કર્યો હતો જે બાદ ગ્રામ્યજનો નજીકના જંગલ ભણી નાસી છુટયા હતા. પોલીસે અનેકને બચાવ્યા હતા પણ ટોળાએ એકની હત્યા કરી હતી અન્ય ચારને બંધક બનાવ્યા હતા.
- Advertisement -
જેમાં બે મહિલા હતી. ટોળાએ આપણને નિર્વસ્ત્ર થવાની ફરજ પાડી હતી. આ મહિલાને બચાવવા ગયેલા તેના એક ભાઈની પણ હત્યા થઈ હતી બાદમાં મહિલાઓ નાસી છુટી હતી.
સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ: સરકારને પગલા લેવા સમય નહીંતર અમે પગલા લેશું: ચીફ જસ્ટીસ
આગામી શુક્રવારે સુનાવણી: કેન્દ્ર તથા રાજયને રિપોર્ટ આપવા જણાવ્યું
નવી દિલ્હી: મણીપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવવાની ઘટનાના દેશભરમાં પડઘા પડયા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે આ ઘટનાને અસ્વીકાર્ય હોવાનું જણાવીને સ્પષ્ટ કહ્યું હતું કે અમે સરકારને પગલા લેવા સમય આપીએ છીએ નહીતર અમે પગલા લેશું. સર્વોચ્ચ અદાલતે આ અંગે સીઓમોટો કરી આગામી શુક્રવારે સુનાવણી રાખી છે.
કોઈ દોષિતોને છોડાશે નહી: સ્મૃતિનો જવાબ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ વિડીયો અને તેના દ્રશ્યો તથા સમગ્ર ઘટના ખૂબ જ બિહામણી હોવાનું જણાવીને ઉમેર્યુ કે મે મુખ્યમંત્રી એન.બિરેનસિંઘ સાથે વાત કરી છે અને તેઓએ મને આ ઘટનામાં તપાસની ખાતરી આપી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, કોઈ દોષીતને બક્ષવામાં આવશે નહી.