પોલીસે ખોટું કર્યાનું આથી કોઈ મોટું વરવુ ઉદાહરણ હોઈ શકે નહીં ત્યારે આગોતરા જામીન રદ થઈ શકે નહીં- એડવોકેટ સુરેશ ફળદુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે અમદાવાદ હાઈવે ઉપર માલિયાસણ ગામ પાસે મારુતિ પેટ્રોલિયમના વંડામાં રેડ કરી કરોડોના બાયોડીઝલ સહિતનો જથ્થો તથા ચીજવસ્તુઓ કબજે કરવાના ચકચારી પ્રકરણમાં મારુતી પેટ્રોલિયમના પ્રોપરાઈટર ભરતભાઈ રામાણીને સેશન્સ અદાલતે આગોતરા જામીન પર મુક્ત કરતી વખતે ફરમાવેલ શરતોનું પાલન કરેલું નહીં હોવાથી આગોતરા જામીન રદ કરવા જિલ્લા સરકારી વકીલે કરેલી અરજી રાજકોટના એડી. સેશન્સ જજે સરકારની અરજી રદ કરતો હુકમ ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો ભરતભાઈ રામાણીની મારુતિ પેટ્રોલિયમ લખેલ વંડામાં પોતે તથા તેના ભાગીદાર સાથે મળી પૂર્વયોજિત ગુન્હાહીત કાવત્રુ રચી પોતાના આર્થિક લાભ સારુ ગેરકાયદેસર જવંલતશીલ પ્રવાહી બાયોડીઝલનો ધંધો કરી જેમાં પોતાના ઉપરોક્ત વંડામાં ગેરકાયદેસર જ્વલંતશીલ પ્રવાહી બનાવી સંગ્રહ કરી વેચાણ કરી આરોપી દિપેશભાઈ તથા હિતેશભાઈનાઓએ સંચાલન કરી જ્વલંતશીલ પ્રવાહીનો મોટો જથ્થો રાખી, બનાવી, મિશ્રણ કરી જેમાં આગ, અકસ્માતના બનાવ સંબંધે કોઈ રેતી, પાણી કે આગ ઓલવવાના સાધનો નહીં રાખી બેદરકારી ભર્યુ માણસોની જિંદગી જોખમાય તે રીતે કૃત્ય આચરી પ્રવાહીનો વાહનોમાં ઈંધણ તરીકેનો ઉપયોગ સારુ વેચાણ કરી માણસોની જાન-માલની નુકસાની થાય તેવું બેદરકારીભર્યુ કૃત્ય આચરી આરોપી આશિષ કાનજીભાઈ ડાંગરે પોતાના ટેન્કરમાં બાયોડીઝલ ભરવા જણાવી આરોપી રાજેશભાઈએ ટેન્કરમાં ભરાવી બાદ ટેન્કરમાં ડ્રાઈવીંગ કરી પોરબંદર ખાતે આરોપી નં. 7ને આપવા જવા રવાના થઈ રૂા. 1,08,46,500નો જથ્થો તેમજ કુલ 6 ટેન્કો, બે ટેન્કરો, જનરેટર, ઈલેકટ્રીક મોટર, હાઈડ્રોમીટર, મોબાઈલ ફોન ડી.વી.આર. મળી કુલ રૂા. 1,40,68,000નો મુદ્દામાલ સીઝ કરી રાજકોટ ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ. ડી. સી. સાકરીયા જાતે ફરિયાદી બની સાત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવેલો હતો.
ઉપરોક્ત આરોપીઓ પૈકી મારુતિ પેટ્રોલિયમના માલીક આરોપી ભરત વશરામભાઈ રામાણીએ સંભવિત ધરપકડ ટાળવા રાજકોટની સેશન્સ અદાલતમાં એડવોકેટ સુરેશ ફળદુ મારફત આગોતરા જામીન અરજી દાખલ કરેલી હતી, જે જામીન અરજી શરતોને આધીન મંજૂર કરવામાં આવેલી હતી, જે હુકમ માંહેની શરતોનો ભંગ કરેલો હોવાની તકરાર સાથે જિલ્લા સરકારી વકીલ દ્વારા રાજકોટની સેશન્સ અદાલતમાં ભરત રામાણીના આગોતરા જામીન નામંજૂર કરવા અરજી દાખલ કરવામાં આવેલી, જે અરજી સાંભળવા પર આવતા સરકાર તરફે રજૂઆત કરવામાં આવેલી કે અરજદારે પોલીસ તપાસના કામે પૂરતો સહકાર આપવા અને તપાસ કરનાર અમલદાર તપાસના કામે જ્યારે અને જ્યાં બોલાવે ત્યાં હાજર રહેવા તેમજ કાયમી રહેઠાણનું સરનામુ દસ્તાવેજી પુરાવા સાથે ત.ક. અધિકારી સમક્ષ રજૂ કરવું અને કોર્ટની પરવાનગી વગર ફેરફાર કરવો નહીં, આ બે શરતો ભંગ કરેલનું સ્પષ્ટ રેકર્ડ પર આગોતરા જામીન રદ કરવા સરકારે કરેલી દલીલો સામે આરોપી ભરત રામાણીના એડવોકેટ સુરેશ ફળદુએ રજૂઆત કરી હતી.
- Advertisement -
બંને પક્ષોની રજૂઆતો, સામાવાળા તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવા સાથે રેકર્ડ વંચાણે લેતાં તેમજ સ્થાયી કાનુની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં એ નોંધવું જરૂરી છે કે જામીન રદ કરવાની સત્તાનો ઉપયોગ સાવચેતી સાથે યોગ્ય કેસમાં થવો જોઈએ અને જામીન રદ કરવા માટેના આદેશ માટે યોગ્ય સંજોગો હોવા જોઈએ, કારણકે જામીન રદ કરવાથી વ્યક્તિને આપવામાં આવેલ સ્વતંત્રતામાં ઘટાડો કરી શકાય નહીં, જામીન રદ કરવા માટેની અરજીની વિચારણા કરતી વખતે કોર્ટ સામાન્ય રીતે એ નિરીક્ષણ કરશે કે આરોપીને આપવામાં આવેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવામાં આવેલ છે કે કેમ, જેમાં જામીન દરમિયાન ફરિયાદપક્ષના પુરાવાને ટેમ્પર કરેલા છે કે કેમ, જામીનના સમયગાળા દરમિયાન સમાન ગુન્હો જઘન્ય ગુન્હો કરેલો છે કે કેમ, જામીન બાદ આરોપી નાસી જઈ ટ્રાયલ વિલંબ કરેલ છે કે કેમ, જામીન બાદ આરોપી દ્વારા કાયદો અને વ્યવસ્થાની ગંભીર સમસ્યા સર્જાઈ અને લોકોને શાંતિપૂર્ણ જીવન માટે જોખમી બન્યો છે કે કેમ, આરોપીએ જામીનના વિશેષાધિકારનો દુરુપયોગ કર્યો છે કે કેમ, આરોપીનો જીવ જોખમમાં છે કે કેમ આવા સંજોગો સરકાર પક્ષે બતાવવાના રહે જે રેકર્ડ પર બતાવી શકેલા ન હોય જેથી મિકેનિકલ મેનરથી જામીન રદ થઈ શકે નહીં તેમ માની રાજકોટના એડી. સેશન્સ જજે આરોપી ભરત રામાણીના જામીન રદ કરવાની સરકારની અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવેલો છે.
ઉપરોક્ત આરોપી ભરત રામાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.



