– ફેરવિચારણા સુધી કોઇ પણ નવો કેસ દાખલ કરવામાં આવે નહીં
સુપ્રિમ કોર્ટએ રાજદ્રોહ કાયદાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટએ કહ્યું છે કે, ફેરવિચારણા સુધી રાજદ્રોહ કાયદો એટલે કે કલમ 124 એ હેઠળ કોઇ પણ નવો કેસ દાખલ કરવામાં આવે નહીં. કેન્દ્ર આ બાબતે રાજયો માટે માર્ગદર્શિકા જાહેર કરશે. સાથે જ કોર્ટએ કહ્યું કે, જે અગાઉના કેસો છે, તેમના પર રોક લગાવવામાં આવે. સાથે જ જેમની સામે રાજદ્રોહના આરોપ હેઠળ કેસ ચાલી રહ્યા છે તેમજ જેઓ આ આરોપ હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે, તેઓ સમુચિત અદાલતોમાં અરજી દાખલ કરી શકે છે. આ કેસની સુનાવણી જુલાઇના બીજા અઠવાડિયામાં કરવામાં આવશે.
- Advertisement -
રાજદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારવાના મુદ્દે બુધવારના સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરી હતી. આ દરમ્યાન કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કોર્ટએ જણાવ્યુ કે અમે રાજય સરકારે જાહેર કરેલા નિર્દેશોનું સુચિ તૈયાર કરી છે. આ કાયદા હેઠળ રાજય સરકારોને સ્પષ્ટ નિર્દશ આપ્યો કે જિલ્લા પોલીસ હેડ વગર એટલે કે એસપી કે તેમના ઉપરી અધિકારીની મંજૂરી વગર રોજદ્રોહની કલમમાં કોઇ પણ એફઆઇઆર દાખલ કરવામાં આવે નહીં.
સોલિસિટર જનરલએ કોર્ટને જણાવ્યુ કે, પોલીસ અધિકારી રાજદ્રોહના કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરવા માટે યોગ્ય કારણ પણ દર્શોવે. કાયદાની ફેરવિચારણા સુધી તેમનો વૈકલ્પિક ઉપયોગ થઇ શકે છે.
આંકડાકિય માહિતીની વાત પર સોલિસિટર જનરલએ કહ્યું કે, આ તો જામીનની કલમ છે, હવે બધા જ બાકી રહેલા કેસો ગંભીરતાનું વિશ્લેષણ અને તેમનું આંકલન કરવું મુશ્કેલ છે. જો કે આવામાં કોર્ટ ગુનાની વ્યાખ્યામાં પ્રતિબંધ કઇ રીતે લગાવી શકે છે? જે યોગ્ય થઇ રહ્યું નથી.
- Advertisement -
જો કે અરજી કરનારની તરફથી દલીલ કરતા વકીલ કપિલ સિબ્બલએ કોર્ટની સામે માંગણી કરી છે કે રાજદ્રોહ કાયદા પર તાત્કાલિક પ્રતિબંધ કરવાની જરૂર છે.
Sedition Law | Supreme Court allows the Central government to re-examine and reconsider the provisions of Section 124A of the IPC which criminalises the offence of sedition. Supreme Court says till the exercise of re-examination is complete, no case will be registered under 124A. pic.twitter.com/xrjHNyLbA6
— ANI (@ANI) May 11, 2022