અંગારા એરલાઇન દ્વારા સંચાલિત એક રશિયન પેસેન્જર વિમાન સોમવારે દૂર પૂર્વમાં ટિન્ડા નજીક ક્રેશ થયું હતું, જેમાં નબળી દૃશ્યતામાં બીજા લેન્ડિંગ પ્રયાસ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ, પાઇલટની ભૂલ અથવા તકનીકી ખામીની શંકા સાથે, પાંચ બાળકો સહિત, તમામ 49 લોકોના મોત થયા હતા.
રશિયન વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું, લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું
- Advertisement -
ચીન સરહદ નજીક વિમાન દુર્ઘટનામાં 5 બાળકો સહિત 49 લોકોના મોત
પાયલોટની ભૂલ નબળી દૃશ્યતામાં હોવાથી An-24 ક્રેશ થયું હોવાની શક્યતા છે
રશિયાની ઈમરજન્સી મિનિસ્ટ્રીએ જણાવ્યા પ્રમાણે, ‘બચાવ કામગીરીમાં જોડાયેલા હેલિકોપ્ટરે આ પેસેન્જર પ્લેનનો કાટમાળ શોધી કાઢ્યો છે. રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા સંચાલિત MI-8 હેલિકોપ્ટરે તિન્ડાથી 16 કિમી દૂર પર્વતીય ક્ષેત્રોમાં બળેલી હાલતમાં પ્લેન શોધી કાઢ્યું હતું. આ પ્લેન ક્રેશમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે.’
- Advertisement -
રશિયન એર ટ્રાફિક કંટ્રોલે સવારે જણાવ્યું હતું કે, 50 પેસેન્જર-ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલા AN-24 પેસેન્જર પ્લેન સાથે અમુર ક્ષેત્રમાંથી સંપર્ક તૂટ્યો છે. લોકલ ઈમરજન્સી મિનિસ્ટ્રી અનુસાર, સાબેરિયાની અંગારા તરીકે ઓળખાતી એરલાઈન દ્વારા આ પ્લેન ઓપરેટ થઈ રહ્યું હતું. જે ચીનની સરહદ નજીક આવેલા અમૂર શહેરમાંથી અચાનક રડાર સ્ક્રિનમાંથી ગુમ થયુ હતું.
પાંચ બાળકો સહિત 43 પેસેન્જરના મોતની આશંકા
પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી મુજબ આ પ્લેનમાં પાંચ બાળકો સહિત કુલ 43 પેસેન્જર સવાર હતા. તેમજ છ ક્રૂ સભ્યો ઓન બોર્ડ હતાં. તમામ જરૂરી સુરક્ષા અને બચાળ દળને પ્લેનની શોધખોળ માટે તૈનાત કરવામાં આવ્યા હતાં. સ્થાનિક બચાવકાર્યમાં જોડાયેલા લોકોએ પણ પ્લેન ક્રેશની હાલત જોઈને સવાર તમામના મોત થયા હોવાની ભીતિ વ્યક્ત કરી છે.
આ પ્લેન તેના ડેસ્ટિનેશનની થોડા કિલોમીટર જ દૂર હતું, ત્યાં અચાનક રડારમાંથી ગુમ થયુ હતું. અંગારા એરલાઈન્સ તિંડા એરપોર્ટથી થોડા કિમી દૂરથી AN-24 નો સંપર્ક સાધવામાં નિષ્ફળ રહી હતી.