જીવનના મહત્ત્વના વર્ષો વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર માટે આપ્યા પછી નિવૃત્તિમાં પ્રવૃત્તિ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીના એક નિવૃત પ્રોફેસરે તેની નિવૃત્તિ બાદ બાળકો વાંચન તરફ પ્રેરાય તેમજ સ્વામી વિવેકાનંદના વિચારો અનુસરે તેવા હેતુથી નિવૃત્તિ બાદ સ્વામી વિવેકાનંદના પુસ્તકોનું વિતરણ શરુ કર્યું હતું, તેઓએ માત્ર મોરબી જ નહી પણ રાજ્યના તમામ તાલુકામાં તેમના ખર્ચે જઈ લગભગ 8 લાખ જેટલી પુસ્તકોનું વિતરણ કરી લીધું છે. મોરબીની કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ત્યાં જ અધ્યાપક તરીકે નોકરી કર્યા બાદ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ માંથી નિવૃત્ત થયેલા પ્રોફેસર ભાણજીભાઈ અગોલા કે જેઓ મૂળ મોરબી તાલુકાના હરીપર ગામના વતની હોય નાનપણથી જ તેઓને અભ્યાસમાં અને ઉત્તર વાચનમાં રસ હતો અને નિવૃત્તિ બાદ યુવાનો પણ જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકી લગાવે તેવા આશ્રયથી પુસ્તક દાન કરવાનું વિચાર્યું અને એક અભિયાન શરૂ કર્યું ખાસ કરીને તેઓએ સરકારી શાળામાં અભ્યાસ કરતા છ સાત અને આઠના વિદ્યાર્થીઓને વાંચન તરફ લઇ જવાનું બીડું ઝડપ્યું હતું.
- Advertisement -
યુવાનોના આઇકોન એવા સ્વામી વિવેકાનંદ તેમના પ્રેરણા સ્ત્રોત હોય અને યુવાનો પણ તેમના વિચારો સુધી પહોંચે તે માટે 2014થી પુસ્તકોનું વિતરણ શરૂ કર્યું હતું તેમની નાની એવી ગાડીમાં અંદાજિત અઢી લાખ કિમી જેટલું પોતે ડ્રાઇવિંગ કરી સમગ્ર ગુજરાતમાં આ અભિયાન ચલાવવાનું બીડું ઝડપી લીધું હતું તેઓએ લગભગ થી રાજ્યના તમામ તાલુકાની 248 શાળામાં આઠ લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય સ્વામી વિવેકાનંદના જીવન અંશોના પુસ્તકની ભેટ આપી આ પુસ્તકનું મહત્વ સમજાવ્યું હતું ને પણ વાંચન માટે પ્રેરણા આપી હતી.