પુન: તપાસનો અહેવાલ પાઠવ્યો છતાં નકલી સ્કૂલ હજુય કાર્યરત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
રાજ્યમાં નકલી ખાદ્યપદાર્થની ચીજથી લઈને અધિકારી અને સ્કૂલ પણ નકલી સામે આવી હતી તેવામાં સરકાર હવે આ નકલી સામે કોઈ કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે પણ એક એવી જ સ્કૂલ ધમધમી રહી છે જેને નકલી સ્કૂલ કહેવામાં જરાય ખોટું નથી કારણ કે આ સ્કૂલને શિક્ષણ વિભાગની પરવાનગી નથી છતાંય સ્કૂલમાં 40થી વધુ વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં પોતાના શિક્ષણનો પ્રથમ પગથિયું પૂર્ણ કરશે. આ સ્કૂલ ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી ખાતે આવેલી છે જેમાં સ્કૂલ નિર્માણ બાદથી શિક્ષણ વિભાગની મંજૂરી વગર સ્કૂલને કાર્યરત કરી નાખવામાં આવી હતી.
- Advertisement -
જોકે જે પ્રકારે સ્કૂલ નકલી છે તે પ્રકારે અહીં વિદ્યાર્થીઓના વાલીઓને દેખાડવામાં આવતા ભવિષ્યના સપના પણ નકલી જ નીકળશે. કારણ કે સ્કૂલને મંજૂરી નહિ હોવા છતાં કાર્યરત કરી નાખતા 13 વિદ્યાર્થીઓના ભાવિ તો આવતા વર્ષે જ જોખમમાં હોય તેવા સ્પષ્ટ એંધાણ નજરે પાડી રહ્યા છે. એક તરફ સ્કૂલને મંજૂરી નથી અને બીજી તરફ તેમ વિદ્યાર્થીઓમાંથી 13 જેટલા વિદ્યાર્થીઓ પાચ વર્ષથી મોટી ઉંમરના હાઇવે છતાં પણ તેઓને નર્સરીમાં એડમિશન આપી દેવાયું છે. એટલું જ નહિ સ્કૂલના સંચાલકો દ્વારા હજુ સુધી મંજૂરી માટે ઓનલાઇન કામગીરી પણ હાથ ધરવામાં આવી નથી છતાં નવનિર્માણ સ્કૂલને કાર્યરત કરી હતી જ્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીને ધ્યાન દોરતાં પ્રથમ તો તેઓ પણ કાર્યવાહીમાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા પરંતુ “ખાસ – ખબર” અહેવાલ બાદ તંત્રને ન છૂટકે કાર્યવાહી કરવી પડે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને તપાસ સોંપી હતી જેમાં શિક્ષણ વિભાગના નિયમોથી વિરૂદ્ધ જઈ કાર્યરત કરેલી સ્કૂલ સામે કોઈ પગલાં ભર્યા ન હતા જે અંતે વધુ અહેવાલને ધ્યાને લઇ શિક્ષણ વિભાગ દ્વારા પુન: તપાસ ધ્રાંગધ્રા ઇછઈ જીજ્ઞેશ પટેલને સોંપાઈ હતી પરંતુ કહેવાય છે ને કે ચોરનો ભાઈ ઘંટી ચોર જ હોય ? તે પ્રકારે ઇછઈ દ્વારા પાઠવેલ પુન: તપાસના અહેવાલને પણ અનેક દિવસો વિતી જવા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ સામે કોઈ પણ પ્રકારના પગલાં નહિ ભરતા હવે મંજૂરી વગર ચાલતી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનું ભાવિ બગાડવામાં શિક્ષણ વિભાગને જ પૂર્ણતા રસ હોય તેવું નજરે પડી રહ્યું છે. મંજૂરી વગર ચાલતી સ્કૂલ સામે પ્રથમ તપાસમાં પ્રાથમિક ધોરણ નહિ ચાલતું હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો. પરંતુ બાલવાટિકાના વિદ્યાર્થીઓને અભ્યાસ ક્રમ ચાલતો હોવાની ક્યાંય ઉલ્લેખ કરાયો નહિ. જ્યારે પુન: તપાસમાં બાલવાટિકા એટલે કે પાચ વર્ષથી વધુ ઉંમરના 13 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું અને આ તમામ વિદ્યાર્થીઓની સંખ્યા નર્સરીમાં દર્શાવતા હોવાનું સામે આવ્યું તેથી સ્પષ્ટપણે શિક્ષણ વિભાગની તપાસમાં પણ ગોલમાલ જોવા મળી હતી.
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત સ્કૂલો માટે ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઇન પરવાનગી મેળવી લેવા હુકમ કરાયો છે જેની સામે નવનિર્માણ સ્કૂલ દ્વારા શિક્ષણ વિભાગની મંજૂરી મળ્યા બાદ જ સ્કૂલ કાર્યરત કરવાનો ઉલ્લેખ છતાં પણ આ સ્કૂલ સંચાલક દ્વારા મંજૂરી લીધા વગર અથવા મંજૂરીની કામગીરી હાથ ધર્યા વગર જ ટૂંક સમયમાં એક વર્ષ પૂર્ણ થવાના આરે છે. આવતા વર્ષ દરમિયાન જો સ્કૂલને મંજૂરી નહિ મળે તો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ આવતા વર્ષે જોખમમાં પડશે તો કાર્યવાહી નહિ કરવા બદલ જિલ્લા શિક્ષણ વિભાગના શિરે દોષનો ટોપલો આવશે તે વાત નક્કી છે.