ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે. ઈજાને કારણે બન્ને રમી શકે તેવી સ્થિતિમાં નથી.
ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલને ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી આરામ અપાયો છે. બીસીસીઆઈએ આ સમાચાર જાહેર કર્યાં છે. જાડેજા અને રાહુલ બંને ઘાયલ છે. આ કારણે તેને માત્ર બીજી ટેસ્ટથી જ આરામ આપવામાં આવ્યો છે. જાડેજા અને રાહુલને સ્થાને સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને રિઝર્વ તરીકે સામેલ કર્યા છે. હૈદરાબાદમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે જાડેજાને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી, જ્યારે રાહુલે તેના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ બંનેની પ્રગતિ પર નજર રાખી રહી છે, એમ તેમાં ઉમેરવામાં આવ્યું હતું.
- Advertisement -
KL Rahul & Ravindra Jadeja ruled out of the 2nd Test.
Sarfaraz, Sourabh, Sundar included in the Indian team. pic.twitter.com/P4s6TBEzef
— Johns. (@CricCrazyJohns) January 29, 2024
- Advertisement -
કોને મળી તક
પસંદગી સમિતિએ જાડેજા અને રાહુલને બદલે સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ભારતની ટીમમાં સામેલ કર્યા છે. અવેશ ખાન તેની રણજી ટ્રોફી ટીમ, મધ્યપ્રદેશ સાથે સંકળાયેલો રહેશે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તે ટેસ્ટ ટીમનો ભાગ બનશે.
બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએસ રાહુલ (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઇસ કેપ્ટન), અવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર.
BREAKING: Ravindra Jadeja and KL Rahul have been ruled out of the second #INDvENG Test pic.twitter.com/KTNtFLMUul
— ESPNcricinfo (@ESPNcricinfo) January 29, 2024
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ 28 રનથી જીતી લીધી હતી. હવે બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે.