ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
મોરબી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે – ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15 માં ” ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો. આ તકે મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારીયા, જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, નગરસેવા પ્રમુખ હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, લલિતભાઈ પાન્ડેજી ઉપસ્થિત રહ્યાં. આ 15માં બાલ સંસ્કાર કેન્દ્રનું સંચાલન ગૌરીબેન વાલજીભાઈ ટુંડીયા કરશે.વેકેશનમાં દર રવિવારે સાંજે 5.00 થી 7.00 અને શાળા ચાલુ હોય એ દરમ્યાન રવિવારે સવારે 9.00 થી 11.00 બાલ સંસ્કાર કેન્દ્રમાં બાળકોનેં શિસ્ત સાથે સંસ્કાર યુક્ત શિક્ષણ સાથે રમતો,યોગ, પ્રાર્થના,મંત્રો , મહાપુરુષોની કથાઓ દ્વારા વ્યક્તિત્વ વિકાસનું નિર્માણ થશે.