રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રામનાથપરા મુક્તિધામ ખાતે વિશેષ સુવિધા માટે રામનાથપરા શેરી નં.૧૮માં આવેલ મુક્તિધામનો બીજો ગેઈટ આજથી ખોલવામાં આવેલ છે. આ બીજા ગેઈટથી Non Covid / Non-suspect બોડી અંતિમ સંસ્કાર માટે મુક્તિધામમાં લઈ જવામાં આવશે.

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથપરા શેરી નં.૧૮, શ્રીમદ રાજચંદ્રજી સમાધિ સ્થાનવાળી શેરી ખાતે અગાઉ બંધ રહેતો મુક્તિધામનો ગેઈટ આજથી શરૂ કરવામાં આવેલ છે. આ કામે જરૂરી સિવિલ વર્ક તથા અંતિમ વિસામાનો ઓટો પણ ગેઈટ પાસે તૈયારી કરી આપવામાં આવેલ છે. અને આજથી Non Covid / Non-suspect બોડી આ બીજા ગેઈટથી લાવવાનું શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત રામનાથપરા મુક્તિધામના મુખ્ય ગેઈટથી હવે Covid / Covid Suspect બોડી સીધી ઈલેક્ટ્રીક સ્મશાન ખાતે લઈ જઈ શકાય તે મુજબ વ્યવસ્થા કરવામાં આવેલ છે.