વડાપ્રધાન મોદીના પ્રેરક માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રચાયેલી ભાજપ સરકાર વિકાસના અનેક શિખરો સર કરશે: રાજુ ધ્રુવ
ભરોસાની ભાજપ સરકાર ગુજરાતનું નામ રોશન કરશે, સાડા છ કરોડ ગુજરાતીઓની આશા અપેક્ષા પર ખરી ઉતરશે : રાજુ ધ્રુવ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં સતત બીજી વખત મુખ્યમંત્રી બનીને સરકાર રચવા બદલ ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારને શુભેચ્છા પાઠવતા ભાજપ અગ્રણી રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રચાયેલી નવી ભાજપ સરકાર વિકાસના અનેક શિખરો સર કરશે. ગુજરાતની પ્રગતિ અને ઉન્નતિ માટે નવા ચૂંટાયેલા દરેક ધારાસભ્ય ઉપરાંત નવનિયુક્ત મંત્રીઓ સક્રિય ભૂમિજા ભજવશે. ગુજરાતના વિકાસને એક નવી ઊંચાઈએ પહોચાડવા ભાજપ સરકાર પહેલેથીજ કાર્યશીલ છે. અને આ વખતે પ્રજાએ ફરી એક વખત ભાજપ સરકારમાં ભરોસો રાખ્યો છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતની જનતાએ ભાજપ મૂકેલો ભરોસો તૂટશે નહીં, વધુ મજબૂત બનશે.
ભાજપની ગત ભૂપેન્દ્ર પટેલની સરકાર જેમ જ નવ રચના પામેલી ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર ગુજરાતીની સુખ, સમૃદ્ધિમાં વધારો કરશે તેમજ સ્વાસ્થ, સુરક્ષા, શિક્ષા, શિક્ષણ અને સેવાના ક્ષેત્રમાં ગુજરાતનું નામ રોશન કરશે.આ ભરોસાની ભાજપ સરકાર ગુજરાતના પ્રજાજનો-ઓ-બહેનો નો ભરોસો સાર્થક કરવા સર્વશ્રેષ્ઠ પરિણામલક્ષી નિર્ણાયક કામગીરી કરી ગુજરાત ની પ્રગતિ ની ગતિ વધારશે અને તેનો લાભ એકદમ છેવાડાના ના લોકો સુધી પહોંચે તે દિશા માં આગળ વધશે અને ગુજરાતની સાડા છ કરોડની જનતાની આશા-અપેક્ષા પર ખરી ઉતરશે એવો વિશ્વાસ વ્યક્ત કરી રાજુ ધ્રુવે આવા ઉત્કૃષ્ટ ઐતિહાસિક અભૂતપૂર્વ વિક્રમસર્જક જનાદેશ મેળવવા આયોજનબદ્ધ પરિશ્રમ તથા પ્રચંડ પુરૂસાર્થ દ્વારા આ વિરાટ વિક્રમ સર્જક સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ નવનિયુક્ત મંત્રીગણ અને ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા છે.