– 171 ફિલ્મો કરનાર 72 વર્ષ નિવૃતિ લેશે
થલાઈવા સ્ટાર તરીકે ઓળખાતા રજનીકાંત નિવૃતિ લેવાના મૂડમાં હોવાનું સાંભળવા મળે છે. 72 વર્ષનાં રજનીકાંત પણ અમિતાભ બચ્ચનની સતત ફિલ્મોમાં વ્યસ્ત રહે છે અને તેમની દરેક ફિલ્મની આતુરતાથી રાહ જોવાતી હોય છે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ચાલતી ચર્ચા મુજબ 171 મી ફિલ્મ કર્યા પછી તેઓ એકટીંગને અલવિદા કરી શકે છે.
- Advertisement -
તમિલ ફિલ્મ મેકર મિસ્કીને તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતું કે નવી પેઢીના સફળ ડાયરેકટર લોકેશ કનગારાજ સાથે ફિલ્મ કરવાની રજનીકાંતની ઈચ્છા છે. જે તેમની છેલ્લી ફીલ્મ હોઈ શકે છે. ડાયરેકટર મિસ્કીનનો આ ખુલાસો સોશ્યલ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયો હતો અને રજનીકાંતના ચાહકો માટે તેના પર વિશ્વાસ કરવાનું અઘરૂ હતું. થલાઈવા આ પ્રકારનો નિર્ણય લઈ શકે નહીં તેવું માનતા અનેક ચાહકોએ કોમેન્ટ કરી હતી કે, રજનીકાંતે પોતે કયારેય નિવૃતિ લેવાની વાત કરી નથી.
કોઈ બીજાની કહેલી વાત પર વિશ્વાસ કરવો જોઈએ નહિં. રજનીકાંતની આગામી ફિલ્મ જેલર 10 ઓગસ્ટે રીલીઝ થવાની છે. ત્યારબાદ દીકરી ઐશ્વર્યાની ફીલ્મ લાલ સલામમાં પણ રજનીકાંડનો લીડ રોલ છે. તેમની 170 મી ફિલ્મનુ ટાઈટલ થલાઈવર રખાયું છે. ત્યારબાદ 171 મી ફીલ્મ લોકેશન કનગારાજ સાથેની છે.જેને સન પીકચર્સ દ્વારા બનાવવામાં આવશે.