સુરેશ શિલુએ મીડિયા સમક્ષ પોતાનો લૂલો બચાવ કર્યો હતો: પીડિતે જડબાતોડ જવાબ આપ્યો
પીડિત કૈલાશ નકુમ દ્વારા ACB તપાસની માગ
- Advertisement -
રાજેશ અને સુરેશ શિલુના પરિવારે 30-35 પેઢીઓ ખોલાવી અનેક પ્રકારના કૌભાંડો આચર્યા હોવાનો ઘટસ્ફોટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં અનેક કૌભાંડો બાદ સસ્પેન્ડ થયેલાં કોન્સ્ટેબલ રાજેશ શિલુ અને તેના બંને ભાઈઓ દ્વારા આચરાયેલા કૌભાંડો-છેતરપિંડીના બનાવોની જાણે હારમાળા સર્જાઈ છે. શિલુ બંધુઓના પાપ એક પછી એક છાપરે ચડીને પોકારી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાજેશ શિલુના ભાઈ સુરેશ શિલુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતે જાણે દૂધે ધોયેલાં હોય તેવો ડોળ કરવામાં આવ્યો હતો અને મીડિયા સમક્ષ પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજેશ શિલુ અને સુરેશ શિલુથી પીડિત કૈલાશ નકુમે પુરાવાઓ સહતિ અનેક ઘટસ્ફોટ કર્યા છે.
- Advertisement -
કૈલાશ નકુમ દ્વારા કરાયેલી રજૂઆત અક્ષરશ: આ મુજબ છે. રાજકોટ પોલીસમાં ફરજ બજાવતાં રાજુ ઉર્ફે રાજેશ શિલુ તેમજ તેના ભાઈઓ પાસે અઢળક સંખ્યામાં બેનામી મિલકત અને સંપત્તિ હોય તેમજ અનેક લોકો સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરેલો હોય તેમ છતાં તેને ફકત સસ્પેન્ડ જ કેમ કરવામાં આવ્યા? પોલીસમાં હોવા છતાં મહિલા પોલીસ કર્મચારી પાસેથી લાંચ અને રુશ્ર્વત માંગતા હોય તેનો ઓડિયો વાઈરલ થતા હોવા છતાં તેના પર કોઈ કડક કાર્યવાહી અને પગલાં કેમ નહીં? તેના પર અઈઇ ઈન્કવાયરી બેસાડવા રજૂઆત કરવામાં આવી છે.
જો ખરેખર અઈઇની તટસ્થ તપાસ બેસે તો જ આ સંપૂર્ણ કૌભાંડ બહાર આવે તેમ છે અને તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ શકે તેમ છે. બાકી આવું ઓન રેકર્ડ સસ્પેન્શનથી કોઈ કૌભાંડ ખૂલે તેમ નથી અને આવા ગુનાઈત લોકો ફરી ફરજ પર આવી ફરી તેની પોસ્ટનો ગેરઉપયોગ કરી અનેક ભોળા લોકોને ભોગ બનાવી છેતરીને વિશ્ર્વાસઘાત કરીને કૌભાંડ આચરતા રહેશે. રાજેશ તેમજ સુરેશ શિલુના પરિવારે 30-35 પેઢીઓ ખોલાવી અનેક પ્રકારના કૌભાંડો કરેલાં છે.
રાજેશ તેમજ સુરેશ શિલુના પરિવાર સામેના આક્ષેપો પાયાવિહોણા છે એટલે જ અમો પાસે તમામ આક્ષેપોના પુરાવા છે જે સાથે રાખીને અમે મીડિયાને આપેલા છે- શું રાજેશ તેમજ સુરેશ શિલુના પરિવારએ એક પણ પુરાવો મીડિયાને આપેલો છે? તેવો સણસણતો સવાલ કૈલાશ નકુમ દ્વારા કરવામાં આવ્યો છે.
1. સુરેશ શિલુ અને તેનો પરિવાર એટલો બધો પ્રામાણિક છે એટલે જ તેનો ભાઈ રાજુ ઉર્ફે રાજેશ શિલુ તેના જીવન શ્રેણીમાં આ બીજી વખત સસ્પેન્ડ થયેલો છે અને લાંચ રુશ્ર્વત માગતાનો ઓડિયો વાયરલ થયો છે તેમજ તેનો પરિવાર ખૂબ જ સારી છબી ધરાવે એટલે જ એક પછી એક તેમના પરિવારના કૌભાંડો બહાર આવે છે અને શિલુ પરિવારે અન્ય લોકો સાથે કરેલી છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરેલો છે અને જે ભોગ બનેલા છે તેઓ શિલુ પરિવારની હકીકત બહાર લાવી રહ્યા છે. હજુ તો ફકત 5-7 ભોગ બનનાર જ સામે આવ્યા છે. હજુ 25-30 કરતાં પણ વધુ ભોગ બનનાર સામે આવે તો નવાઈ નહીં. આ ભોગ બનનારાઓમાંથી મોટાભાગના લોકો નાના વર્ગના લોકો છે જેઓની આજીવિકા આ કૌભાંડકારી અને છેતરપિંડી આચરનાર પરિવારે છીનવી લીધી છે.
2. સુરેશ શિલુ જે નાણા ચૂકવવાનું કહે છે અને તે નાણા ભાગીદારોએ પણ ચૂકવવાના છે તે વાત પર તથ્ય એટલે નથી કે આ સંપૂર્ણ કૌભાંડ કે બેંક સાથે એન.પી.એ. થવું અને પ્રાઈવેટ પાર્ટીના પૈસા ન ચૂકવવા તે તમામ માસ્ટર પ્લાન રાજુ ઉર્ફે રાજેશ શિલુ અને સુરેશ શિલુનો છે. અમો ભાગીદારો પણ રાજેશ તેમજ સુરેશ શિલુના પરિવારનો ભોગ બનેલા છીએ. અમોને ઓરિજનલ દસ્તાવેજો તેમજ આઈ.ડી. પ્રુફ તેમજ ચેકબુક આજની તારીખે પણ રાજેશ તેમજ સુરેશ શિલુના પરિવારના કબજામાં છે જેનો ગેરફાયદો અને અને દુરુપયોગ કરી અમો ભાગીદારો સાથે પણ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરેલો છે. રાજેશ તેમજ સુરેશ શિલુ બીજા લોકોની સહીઓ કોપી મારવામાં એક્સપર્ટ છે જેનો લાભ લઈ અમો સાથે પણ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરેલો છે. સોપાન કોટેક્ષના ભાગીદારી કરારમાં ફેરફાર કરી મને (કૈલાસ નકુમ)ને ભાગીદારીમાંથી છૂટા કરવામાં આવેલા જે છૂટા થવાના ભાગીદારી કરારમાં અમોએ જાતે રૂબરૂ કોઈ નોટરી સમક્ષ સહી કરેલી નથી અને જ્યારે સોપાન કોટેક્ષ એન.પી.એ. થવાની તૈયારીમાં હતું ત્યારે સુરેશ શિલુએ તેની કળાનો ઉપયોગ કરી અમોની ખોટી અને બોગસ સહી કરી અમને સોપાન કોટેક્ષમાં ફરી પાછા ભાગીદાર બનાવેલા હતા જેના તમામ પુરાવા અમો પાસે છે જે અમે પોલીસ ફરિયાદમાં સામેલ રાખીશું. (કૈલાસ નકુમ)ના જણાવ્યા અનુસાર.
3. વાંકાનેર જડેશ્ર્વર રોડ ઉપર જે 28,000 વાર જગ્યા આવેલી છે જેમાં અમો દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી તેમાં શિલુ પરિવારને ક્લિનચીટ મળેલી છે, તેનો પુરાવો આપ્યો શિલુ પરિવારે? શું પોલીસ ખાતુ કોઈ પણ ફરિયાદ લઈ ફરિયાદના તહોમતદાર સાચા કે ખોટા છે તે નિર્ણય લઈ શકે છે? તે નિર્ણય લેવાનો અધિકાર સંવિધાનને ફકત ને ફક્ત અદાલતને આપેલો છે. ખરી હકીકત આ જગ્યા અમોએ અને સુરેશ શિલુએ ભાગીદારીમાં શ્રીનાથજી ઈમ્પેક્ષ નામની પેઢી ખોલી ખરીદેલ જે ત્યારબાદ શિલુ પરિવારએ અમોને આ જગ્યા વેચાણ કરવા વિશ્ર્વાસમાં લીધેલા અને જણાવેલું કે તેના પાસે જગ્યામાં ઈન્વેસ્ટ કરવા બે વ્યક્તિઓ છે. જયંતીલાલ સામત તેરૈયા (જેઓ રાજુ ઉર્ફે રાજેશ શિલુના સસરા પક્ષના સંબંધી થાય છે.) અને મુકેશ શિલુ જે સુરેશ શિલુનો સગો ભાઈ થાય છે) તેથી અમો વાંકાનેર સબ રજિસ્ટ્રાર કચેરીએ સાટાખત વાંચેલો ત્યારે અમોએ તેમને પૂછેલ કે વેચાણ કિંમત રૂપિયા 18 કરોડ હોવા છતાં સાટાખત કેમ ફકત 3.83 કરોડનો, ત્યારે અમોને એવા વિશ્ર્વાસમાં લીધેલા કે આ બંને ખરીદદાર તેમના સગાસંબંધી હોય એટલે સાટાખત ફકત રૂપિયા 3.83 કરોડનો કરેલો છે અને આ જગ્યા ખૂબ જ કિંમતી હોવા છતાં તેઓએ મને ઈન્કમટેક્ષ ન ભરવાના બહાને અને સામેવાળી ખરીદનાર પાર્ટીને ઉંચી સ્ટેમ્પ ડ્યૂટી ન ભરવી પડે તેવા કારણોસર ફકત રેકર્ડ પર જંત્રી મુજબની રકમ રૂપિયા 3.83 કરોડ મેળવી સાટાખત કરવા વિશ્ર્વાસમાં લીધેલા હતા ત્યાર બાદ અમોએ આ સાટાખત રજીસ્ટર કરાવેલ અને 3.83 કરોડ માથી રૂપિયા 1.75 કરોડ અમોએ રાજકોટ નાગરિક સહકારી બેંક, વાંકાનેર શાખામાં જે ખાતુ અગાઉથી હતું તેમાં જમા કરાવેલ.
બાકીના રૂપિયા 2.08 કરોડ સુરેશ શિલુએ અમોની ગેરહાજરીમાં યસ બેંક, જિલ્લા પંચાયત ચોક, રાજકોટ શાખામાં વધુ એક શ્રીનાથજી ઈમ્પેક્ષ પેઢીનું ખાતુ ખોલાવેલું. આ બેંકમાં અમો ક્યારેય ખાતુ ખોલાવવા ગયેલા નથી કે સહી કરવા ગયા નથી. અમોની ખોટી અને બોગસ સહી કરી આ ખાતુ ખોલવામાં આવેલું છે ત્યાર બાદ તેમાં બાકી રહેતી રકમ રૂા. 2.08 કરોડ આ ખાતામાં અમારી જાણ બહાર સુરેશ શિલુએ જમા કરાવી તેમાંથી અન્ય વ્યવહારો કરેલા છે તેવું અમારા જાણમાં આવેલ છે તેમજ આ ખાતામાં અન્ય શું બિનહિસાબી અને ગેરકાનુની વ્યવહારો શિલુ પરિવારે સાથે મળીને કરેલ છે તે અમને જાણ પણ નથી. તેમજ વાંકાનેર કોર્ટે હુકમ કરી બેંક પાસેથી ખાતા ખોલવાના તમામ કાગળો ઓનરેકર્ડ મંગાવેલા છે. આમ અમો એક ભાગીદાર સાથે નહીં પરંતુ અનેક ભાગીદારી પેઢીઓ ખોલી અનેક ભાગીદારો સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યો છે. ફકત અમો અને તળાવીયા ભાઈ જ સામે આવ્યા છીએ કારણ અન્ય ભાગીદારોને રાજુ ઉર્ફે રાજેશ શિલુએ ખૂબ જ ધમકીથી ધમકાવેલ છે. આ માધ્યમથી મારી અન્ય ભાગીદારોને તેમજ ભોગ બનનારાઓને નમ્ર અપીલ કે આવા ભ્રષ્ટ અને ગુનાહિત પરિવાર સામે પગલાં લેવામાં આવે તેથી મીડિયાના માધ્યમથી તેમની સામે આવો. (કૈલાસ નકુમના જણાવ્યા અનુસાર.
4. તે વાત ખરી છે કે રામેશ્ર્વર કોટેક્ષ મારી પેઢી છે અને તેમાં મારો પરિવાર ભાગીદાર છે. પરંતુ રાજુ ઉર્ફે રાજેશ શિલુ અને સુરેશ શિલુનો પરિવાર, સોપાન કોટેક્ષ, શ્રીનાથજી જીનીંગ પ્રોસેસ પ્રા.લી. અને રામેશ્ર્વર કોટેક્ષ ત્રણેયનો વહીવટ કરતા રહ્યા હતા. સુરેશ શિલુ, મુકેશ શિલુ અને મહેશ શિલુ હતા. અમોની પેઢીમાં હિરેન એન્ટરપ્રાઈઝ મારફત રૂા. 1.37 કરોડનો માલ મંગાવી તે માલ તેઓએ શ્રીનાથજી જીનીંગ પ્રોસેસ પ્રા.લિ.માં ઉતારી લીધેલ જે અમોની જાણ બહાર હતું. જે વાતની હકીકત અમને હીરેન એન્ટરપ્રાઈઝએ અમો પાસેથી રૂા. 1.37 કરોડની માગણી કરેલી ત્યારે ખબર પડી તેથી અમોએ તરત જ સુરેશ શિલુનો સંપર્ક કર્યો અને તેને રૂબરૂ મળવા બોલાવેલા જે મીટીંગમાં તે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકારે છે કે હીરેન એન્ટરપ્રાઈઝનો તમામ વ્યવહાર સુરેશ શીલુની જવાબદારી છે અને તે પેમેન્ટ તેણે (સુરેશ શિલુને) ચૂકવવાનું છે જેનો ઓડિયો રેકોર્ડીંગ પુરાવા સાથે અમો પાસે છે.



