-આ વર્ષે ચોમાસું ગુજરાત માટે ભારે રહ્યું
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પડેલા ભારે વરસાદને જાન માલને ભારે નુકશાન થયું છે. વરસાદની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યાં 102 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 4 હજાર 119 પશુઓના પણ મોત થયા છે. 1 જૂનથી અત્યાર સુધી સરકારી ચોપડે 102 માનવ મૃત્યુ થયાના અહેવાલ છે.
- Advertisement -
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આજે પોરબંદર અને દ્વારકામા અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં અનેક લોકો પૂરના પાણી વચ્ચે ફસાયા હતા. અત્યાર સુધીમાં કુલ 736 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લગભગ 358 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
રાજ્યમાં વધુ પડતા વરસાદને કારણે 271 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 302 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદના કારણે 10 સ્ટેટ હાઈવે બંધ છે. વરસાદના કારણે એક નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સૌથી વધુ વલસાડમાં 66 રસ્તાઓ બંધ છે. ભાવનગર જિલ્લામાં 57, પોરબંદર જિલ્લામાં 47 રસ્તાઓ બંધ છે.