ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લીંબડી ખાતે હાજરી આપી હતી. મુખ્યમંત્રીનું હેલિપેડ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું. જે બાદ રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરી સરકારની સિધ્ધિ અને વિકાસના કાર્યને ગણાવ્યા હતા આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કિરીટસિંહ રાણા, શ્રી પી. કે. પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગિરીશ પંડ્યા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઝાલાવાડની ધરતી પર આવકારી સ્વાગત કરાયું હતું.