કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સૌથી મોટો દાવો કરતાં હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગુરુવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમની પાસે તેમના ફોન પર પેગાસસ હતો અને અધિકારીઓએ તેમને સાવચેતીપૂર્વક વાત કરવાની સલાહ આપી હતી. આ સાથે તેમને કહ્યું કે, મોટી સંખ્યામાં રાજકીય નેતાઓના ફોનમાં પેગાસસ છે. મારી જાતે મારા ફોનમાં પેગાસસ હતો. મને ગુપ્તચર અધિકારીઓ દ્વારા બોલાવવામાં આવ્યો અને તેઓએ મને કહ્યું કે, કૃપા કરીને ફોનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો કારણ કે અમે બધું રેકોર્ડ કરી રહ્યા છીએ.
Large number of poltical leaders have Pegasus on their phone. I myself had Pegasus on my phone. I've been called by Intelligence officers who say please be careful of what you say on phone as we are recording the stuff:Cong leader Rahul Gandhi at Cambridge University
- Advertisement -
(file pic) pic.twitter.com/PqsKEEaJDo
— ANI (@ANI) March 3, 2023
- Advertisement -
રાહુલ ગાંધીએ શું કહ્યું ?
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘લર્નિંગ ટુ લિસન ઇન 21મી સદી’ પર લેક્ચર આપી રહ્યા હતા. આ દરમિયાન તેમને કહ્યું કે, મોટી સંખ્યામાં રાજકીય નેતાઓના ફોનમાં પેગાસસ છે. મારી જાતે મારા ફોનમાં પેગાસસ હતો. એટલે જ અમે સતત દબાણ અનુભવીએ છીએ. વિપક્ષો સામે કેસ નોંધાયા છે. મારી સામે ઘણા ફોજદારી કેસ પણ નોંધાયેલા છે જે ફોજદારી કેસ હેઠળ નથી.
આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે તમે મીડિયા અને લોકતાંત્રિક માળખા પર આ રીતે હુમલો કરો છો, ત્યારે વિપક્ષ તરીકે લોકો સાથે વાતચીત કરવી ખૂબ મુશ્કેલ છે. તેઓ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘લર્નિંગ ટુ લિસન ઇન 21મી સદી’ પર લેક્ચર આપી રહ્યા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલમાં કેરળના વાયનાડથી સંસદ સભ્ય, રાહુલ ગાંધી કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ (કેમ્બ્રિજ જેબીએસ)માં વિઝિટિંગ ફેલો છે.
So there is constant pressure that we feel. Cases are registered against Opposition. I've got a number of criminal liable cases registered against me for the things which shouldn't be under criminal cases: Congress leader Rahul Gandhi
— ANI (@ANI) March 3, 2023
રાહુલ ગાંધીના ભાષણના ત્રણ ભાગ
રાહુલ ગાંધીના ભાષણને ત્રણ મોટા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના ભાષણની શરૂઆત ‘ભારત જોડો યાત્રા’ના ઉલ્લેખથી થઈ હતી. રાહુલ ગાંધીએ સપ્ટેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી લગભગ 4,000 કિલોમીટરની પદયાત્રા કરી હતી અને આ યાત્રા ભારતના 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી.
"I had Pegasus on my phone, Indian democracy under attack": Rahul Gandhi at Cambridge lecture
Read @ANI Story | https://t.co/DpJwCfmgDa#RahulGandhi #Pegasus #Cambridge #democracy pic.twitter.com/kPiWC9L0Ft
— ANI Digital (@ani_digital) March 3, 2023
આ તરફ ભાષણના બીજા ભાગમાં કહ્યું કે, બીજા વિશ્વયુદ્ધ પછી ખાસ કરીને 1991માં સોવિયેત સંઘના વિઘટન પછી યુએસ અને ચીનના ‘બે અલગ-અલગ અભિગમો’ પર કેન્દ્રિત હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, મેન્યુફેક્ચરિંગ જોબ્સ નાબૂદ કરવા સિવાય યુએસએ 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા પછી તેના દરવાજા ઓછા ખોલ્યા જ્યારે ચીને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની આસપાસના સંગઠનો દ્વારા “સંવાદિતાને પ્રોત્સાહન” આપ્યું.’
આ સાથે તેમના ભાષણના છેલ્લા તબક્કામાંનો વિષય ‘વૈશ્વિક સંવાદની અનિવાર્યતા’ હતો. તેમણે જુદા જુદા દૃષ્ટિકોણને અપનાવવાની નવી રીતોને બોલાવવા માટે વિવિધ પરિમાણોને એકસાથે વણાટ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સમજાવ્યું કે, ‘યાત્રા’ એ એક તીર્થ છે જેમાં લોકો ‘પોતાની જાતને સામેલ કરે છે જેથી તેઓ અન્યને સાંભળી શકે’.