રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આવતી પર્ણકુટી પોલીસ ચોકીમાંથી બુધવારે રાતે ફરિયાદી વિજયસિંહ પરમાર સાથે આરોપી જેવું વર્તન કરી તેમની અને સાથે આવેલા પર ખોટી રીતે ગુનો દાખલ કરનારા પી.એસ.આઈ નિશાંત હરિયાણીએ સમગ્ર મામલે મનધડન કહાની ઉપજાવી કાઢી છે. હકીકતમાં હરિયાણીએ એક કેસના મામલે ફરિયાદી વિજયસિંહ પરમારને પૂછપરછ માટે બોલાવીને બેસાડી દીધા હતા. આ વાતની જાણ તેમના સગાસંબંધીઓને થતા તેઓ પર્ણકુટી પોલીસચોકી દોડી ગયા હતા. જ્યાં આવેલા નિલેશ ઝીંઝુવાડિયાને પી.એસ.આઈ હરિયાણીએ ઢોર માર માર્યો હતો અને નિલેશનો દોઢ લાખ રૂપિયાનો મોબાઈલ ફોન પણ હરિયાણીએ તોડી નાખ્યો હતો.
PSI હરિયાણીએ પર્ણકુટી પોલીસ ચોકીના CCTV ફૂટેજ ઉડાડી નાંખ્યા
ગત બુધવાર રાતે કરેલી પોતાની કાળી કરતૂતો છતી ન થઈ જાય તે માટે પી.એસ.આઈ હરિયાણીએ પર્ણકુટી પોલીસ ચોકીના સીસીટીવી ફૂટેજ ઉડાડી નાખ્યા છે. હરિયાણી કાયદાના દુરુપયોગ કરવામાં માહેર છે. માનસિક સંતુલન ગુમાવ્યાં બાદ ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન કર્યા બાદ સમજીવિચારીને જ હરિયાણીએ પર્ણકુટી પોલીસ ચોકીના સીસીટીવી ફૂટેજ ઉડાડી નાંખ્યા છે.
- Advertisement -
વટ રાખવા માટે હરિયાણીએ કાયદાના ભંગની તમામ હદો વટાવી
PSIની ખુલ્લી દાદાગીરી સામે આખું તંત્ર લાચાર: ધારાસભ્યો સાંસદો પણ મૌન
આ સમયે પૂછપરછ માટે બોલાવાયેલા ફરિયાદી વિજયસિંહ પરમાર પણ ત્યાં જ હાજર હતા, તેઓ કે તેમની માટે આવેલા અન્ય કોઈ ભાગ્યા નહતા. આમ છતાં પી.એસ.આઈ હરિયાણીએ અનિરુદ્ધસિંહ પરમાર અને વિશ્વરાજસિંહ પરમાર નામનજ વ્યક્તિ ભાગી ગઈ હોય તેવું ચિત્ર ઊભું કરી તેમના પર પણ ખોટો ગુનો દાખલ કર્યો છે. આ સાથે જ નિલેશ, અનિરુદ્ધસિંહ અને વિશ્વરાજસિંહ પર ફરજ રૂકાવટ સહિતની ખોટી કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. બુધવારે રાતે પર્ણકુટી પોલીસ ચોકીમાં પી.એસ.આઈ હરિયાણીએ કરેલી ધમાલની ચર્ચા પણ આખાય પોલીસબેડામાં ચાલી રહી છે ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઊચ્ચ તપાસ સોંપી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એ જરૂરી છે.
PSI હરિયાણીનો દૂરાગ્રહ: નિલેશને ચાર દિવસ સિવાય છોડીશ નહીં
- Advertisement -
પર્ણકુટી પોલીસ ચોકીમાં પી.એસ.આઈ હરિયાણીએ વિજયસિંહ પરમાર નામની વ્યક્તિને પૂછપરછ માટે બોલાવી તેમને બેસાડી ખોટા ગુના દાખલ કરતા હોવાની જાણ તેમના સગાસંબંધી એવા નિલેશ ઝીંઝુવાડિયાને થતા તેઓ પર્ણકુટી પોલીસ ચોકી દોડી ગયા હતા. જ્યાં પી.એસ.આઈ હરિયાણીએ નિલેશને ઢોર માર મારી તેનો કિંમતી મોબાઈલ તોડી નાખ્યો હતો. હવે જો હરિયાણી નિલેશને છોડી મૂકે તો નિલેશ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ પોલીસ કસ્ટડીમાં હરિયાણીએ ઢોર માર માર્યાની ફરિયાદ દાખલ કરી શકે છે. આથી હરિયાણીએ કાયદાનો દુરુપયોગ કરી પહેલાં નિલેશ પર ફરજ રૂકાવટ અને પછી 151ની કલમ હેઠળ ગુનો નોંધ્યો. ચાર દિવસ પોલીસ ચોકીમાં નિલેશને રાખવામાં આવે તો તેના શરીર પર પડેલા મારના ઘાવ દૂર થઈ જાય અને તે પોલીસ કસ્ટડીમાં માર માર્યાની ફરિયાદ નોંધાવી ન શકે એ માટે હરિયાણી નિલેશને ગમે તેમ કરી ચાર દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવાનો હઠાગ્રહ રાખી બેઠાં છે.
DCP ઝોન 2 સુધીર દેસાઈના હરિયાણી પર ચાર હાથ!
માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પર્ણકુટી પોલીસ ચોકીના પી.એસ.આઈ નિશાંત હરિયાણી પર ડી.સી.પી ઝોન-2ના ચાર હાથ હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુધીર દેસાઈની સૂચનાથી જ નિશાંત હરિયાણી પી.આઈ. સાવલિયા સહિતના ઉપરી અધિકારીને પણ ગાંઠતા નથી અને મનફાવે તેવું વર્તન કરી રહ્યા છે. હરિયાણી ફાટીને ધુમાડે ગયા છે તે પાછળ સુધીર દેસાઈનું પીઠબળ હોવાનું કારણભૂત માનવામાં આવે છે.
વિજયસિંહ માટે આવેલા લોકો પોલીસ ચોકીમાં દાખલ થયા નહતા છતાં તેમનું પર ફરજ રૂકાવટનો ગુનો નોંધ્યો
પી.એસ.આઈ હરિયાણીએ પર્ણકુટી પોલીસ ચોકીમાં પૂછપરછ માટે બોલાવેલા વિજયસિંહ પરમારના જાણીતા લોકો પોલીસ ચોકીમાં દાખલ થયા નહતા, પોલીસ ચોકી બહાર જ ઉભા હતા છતાં તેમની પર ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં તેમની પર પ્રોહિબિશન અને 151 સહિતની કલમ દાખલ કરી છે. હજુ કાવતરાની કલમ ઉમેરવા તજવીજ ચાલુ છે. પોલીસ વિભાગ પર લોકોનો ભરોસો અકબંધ રહે તે માટે કાયદાનો દુરુપયોગ કરી ગને તેવી કલમ નિર્દેશ પર લગાવી દેનારા હરિયાણી પર કાર્યવાહી જરૂરી છે.
SP બનવાનું હરિયાણીનું સપનું!
વિવાદાસ્પદ ઙજઈં નિશાંત હરિયાણી જઙ બનવાનું સપનું જોતા હોવાનું તેમના સાથી પોલીસ કર્મચારીઓનું કહેવું છે. ઙજઈં પદ પરથી જ તેઓ જઙ જેવું વર્તન કરી ખુદને ઈઙ સમજવા લાગ્યા છે. વાસ્તવમાં એસ.પી બનવા માટે ઙજઈં હરિયાણીએ સૌ પ્રથમ કાયદામાં રહીને કાયદાનો સદુપયોગ કરતા શીખવાની જરૂર છે.