જર્મનીના ચાન્સેલરના આમંત્રણ પર મોદી ૠ-7 શિખર સંમેલનમાં ભાગ લેશે
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન મોદી 26 અને 27 જૂને દક્ષિણ જર્મનીના શોલ્સ એલ્માઉમાં જી-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ જર્મનીના શોલ્સ એલ્માઉની મુલાકાત લેશે. આ શિખર સંમેલનમાં યુક્રેન કટોકટી અને ઇન્ડો-પેસેફિકની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. જર્મની પ્રવાસ પછી 28 જૂને વડાપ્રધાન મોદી યુએઇ જશે અને ત્યાં મોદી યુએઇના પૂર્વ રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક રહેલા શેખ ખલીફા બિન જાયેદ અલ નાહ્યાનના અવસાન પર વ્યક્તિગત રીતે શ્રદ્ધાંજલિ આપશે.વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્જના આમંત્રણ પર જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શોલ્સ એલ્માઉ જશે.જી-7 જૂથ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનું સમૂહ છે જેની અધ્યક્ષતા હાલમાં જર્મની કરી રહ્યું છે. અઆ સમૂહમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા સામેલ છે.