કુતિયાણા પંથકની સગીરાનું અપહરણ કરી બિહાર લઈ જનાર ઈસમ ટેરી ગામના પાટિયા પાસેથી કઈઇએ ઝડપી પાડયો
પીડિતાને 2015માં મુક્ત કરાવી પોકસો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરના કુતિયાણા પંથકમાં 10 વર્ષ પહેલા બિહારના ઈસમ પ્રદીપકુમાર મહેરાએ સગીરાનું લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું અને બિહાર ખાતે લઈ જઈને બળાત્કાર પણ ગુજાર્યો હતો. પોલીસે જે તે સમયે બિહાર જઈને આ સગીરાને મુક્ત કરાવી હતી અને પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનાનો આરોપી છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો તેને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેરી ગામના પાટીયા પાસેથી પકડી પાડયો હતો. સને 2015 માં આરોપી પ્રદિપકુમાર લાલચંદ મહેરા બીહાર વાળો ફરીયાદીની સગીરવયની દિકરીનું અપહરણ કરી બિહાર ખાતે પોતાના વતનમાં લઇ ગયેલ હોય જેથી તુરંતજ પોરબંદર પોલીસ દ્વારા બિહાર ખાતે તપાસમાં જઈ સગીરવયની દિકરીને લઈ આવેલ હતી. અને ભોગ બનનારની પુછપરછ કરતા આરોપીએ ભોગબનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધેલ હોવાનું જણાવેલ હતું. જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી યુ જાડેજા દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ આર.કે, કાબરીયા ના માર્ગદર્શન મુજબ ઉપરોકત ગુનાના આરોપીને શોધી કાઢવા માટે પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા તથા આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર રાજેન્દ્રભાઈ જોષી તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા નાથીબેન કુછડીયા નાઓને ટેકનીકલ વર્ક કરી માહિતી મેળવેલ કે સદર ગુનાનો ગેઝેટ પ્રસિદ્ધ 10 વર્ષથી નાસતો ફરતો આરોપી પ્રદિપકુમાર લાબચંદ મહેરા હાલ કુતિયાણાના ટેરીગામના પાટીયા પાસે આવેલ છે. જે હકીકત આધારે હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, હિમાશુભાઈ મક્કા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા હકિકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી પ્રદિપકુમાર લાલચંદ મહેરા ઉં.વ.28 રહે.બરાહી, પોસ્ટ ઓફીસ પરડીયા, વોર્ડ નં.12, બરાહી, સહરસા, મળી આવતા મજકુર આરોપીને ઉપરોકત ગુન્હાના કામે વધુ પુછપરછ અર્થે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે કુતિયાણા પો.સ્ટે. સોંપી આપવામાં
આવેલ હતો.