ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં રહેતા પરિવારમાં મિલ્કત બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ
દંપતીએ ભાઈઓને ઘર અને દુકાન ખાલી કરવાની ધમકી આપી
- Advertisement -
દંપતીએ જર્મન સેફર્ડ અને હિસ્કી નામના પાલતું શ્ર્વાન પોતાના ભાઈઓ પાછળ દોડાવ્યા, જાનથી મારી નાખવાની ધમકી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીધામ
ગાંધીધામના ઓસ્લો સોસાયટી વિસ્તારમાં ભાઈઓ વચ્ચે મિલ્કતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સ્થાનિક વેપારી ભરતભાઈ શંકરભાઈ વઝીરાણી (ઉ.વ. 53) એ પોતાના સગા નાનાભાઈ જીતેન્દ્રભાઈ વઝીરાણી અને તેની પત્ની દિપાબેન સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, બંને જણા ઘરના હક્ક બાબતે વારંવાર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
ભરતભાઈએ પોલીસને જણાવ્યું કે તેઓ પોતાના પરિવાર સહિત ઘર પર શાંતિથી રહે છે અને નિકટવર્તી બસ સ્ટેશન પાસે વેસ્ટર્ન ઓટો મોબાઇલ નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાં 30 મેના રોજ રાત્રે આશરે 10 વાગ્યે તેમના ભાઈ જીતેન્દ્રભાઈ અને દિપાબેન ઘરના દરવાજા પર આવી ઉશ્કેરણીજનક ભાષા બોલી ઘર અને દુકાન ખાલી કરવાની ધમકી આપી હતી.
- Advertisement -
ફરીયાદમાં જણાવ્યા મુજબ, દિપાબેને ખોટા છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. એટલું જ નહીં, પોતાના ઘરમાં પાળેલા જર્મન શેફર્ડ અને હસ્કી કુતરાઓને પણ તેમને દોડાવ્યા હતા. પરિણામે, ભરતભાઈ અને તેમનો પરિવાર ભયમાં જીવી રહ્યો છે. અત્યાર સુધી આ મામલામાં કોઈ હાનિ થવા પામી નથી પરંતુ આરોપીઓ તરફથી સતત માનસિક દબાણ અને જીવલેણ ધમકીઓ મળતી હોવાને કારણે તેઓએ હવે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે.
ભરતભાઈએ વધુમાં જણાવ્યું કે, જીતેન્દ્રભાઈ મારા સગા ભાઈ છે, તેથી અગાઉ ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ હવે એમની હદ પાર થઈ ગઈ છે. અમે સુરક્ષા માંગીએ છીએ. હાલમાં પોલીસ દ્વારા ફરીયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
લેભાગુ પત્રકાર જિતેન્દ્ર અને વકીલ પત્ની દીપા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
લેભાગુ પત્રકાર તંત્રી પતિ જિતેન્દ્ર શંકર વઝીરાણી અને એડવોકેટ નોટરી પત્ની દીપા જિતેન્દ્ર વઝીરાણી વિરુદ્ધ જુદી જુદી કોર્ટો અને પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ચેક રિટર્ન, જુગારધારા, જમીન કૌભાંડ , ઘરેલું હિંસા વગેરે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે.