શોપિંગ સેન્ટરમાં સફાઈ ચેકિંગ કરી સ્વછતા રાખવા સુચના અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જુનાગઢ મહાનગર પાલિકા દ્રારા સ્વછતા ઝુંબેશ અંતર્ગત આગામી દિવસોમાં શહેરના દરેક વિસ્તારમાં રહેલા શોપિંગ સેન્ટરમા સ્વછતાનુ ચેકિંગ હાથ ધરવામાં આવશે. દરેક શોપિંગ સેન્ટરમાં ટોયલેટ ચેકિગ કરવામાં આવશે અને ઉપરાંત પાનની પિચકારીઑ હશે અને તેના થર હશે તો સફાઇની નોટિસ આપવામાં આવશે અને છતા પણ સફાઇ નહી થાય તો આખી માર્કેટ સીલ કરવામાં આવશે. વેપાર કરતા દરેક દુકાનદાર લારી ગલ્લાના વેપારીઓએ સ્વચ્છતાના ભાગ રૂપે ડસ્ટબીન રાખી કચરો મનપા કલેક્શન વાહનમાં જ ઠાલવવાનો રહેશે અન્યથા દંડ ભરવો પડશે જેની દરેક એ નોંધ લેવા મનપા કમિશનર ડો.ઓમ પ્રકાશ દ્વારા જણાવેલ છે. જેની શરૂઆત ડે.કમિશનર ડી.જે.જાડેજાની સૂચના અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ જી.ટોલિયાના માર્ગદર્શન હેઠળ સેનીટેશન સુપરવાઈઝર અને વોર્ડ.એસ.આઈઓ દ્વારા શહેરના એમ.જી રોડ, માંગનાથ રોડ, માલીવાડા રોડ વગેરે વિસ્તારમાં સફાઈ લક્ષી ચેકીંગ હાથ ધરવામાં આવેલ, જેમાં દુકાનદારોએ રોડ ઉપર કચરો નાખેલ હોય તેને તાકીદ કરવામાં આવેલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા આશરે 2 કિલો જપ્ત કરી કુલ રૂ.6000નો દંડ ફટકારવામાં આવેલ હતો.