સિંહે ગાયનું મારણ કરતા વન વિભાગ સ્ટાફ દોડતો થયો
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ બાયપાસ નજીક ક્રિષ્ના સોસાયટીમાં સિંહના આંટાફેરા જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. વન વિભાગને જાણ કરાતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો સાથે સ્થાનિક લોકો સુરક્ષિત રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.બાયપાસ પાસેની ક્રિષ્ના સોસાયટીમાં વહેલી સવારે સિંહે ગાયનું મારણ કર્યું હતું તેમજ આંટાફેરા કરતા સ્થાનિક લોકોની નજર તેના પર પડતા વન વિભાગને જાણ કરી હતી જેના પગલે વન અધિકારી સહીત 17 કર્મચારીઓનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો હતો અને સુરક્ષિત સિંહનું રેસ્ક્યું કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે વન વિભાગે કામગીરી શરુ કરી હતી.