વર્લ્ડ બેન્કે આપ્યો મોટો આંચકો, મોંઘવારી 48 વર્ષની ટોચે પહોંચી
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દિન-પ્રતિદિન પરિસ્થિતિ વણસી રહી છે. મોંઘવારી તમામ રેકોર્ડ તોડીને 48 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે, જેના કારણે જનતાનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. વિદેશી હૂંડિયામણના ઘટતા ભંડારને કારણે પાકિસ્તાન પોતાની જરૂરિયાતની તમામ વસ્તુઓની આયાત કરી શકતું નથી. જેના કારણે લોકોને લોટ અને ચોખા જેવી રોજીંદી વસ્તુઓ મળી શકી રહી નથી. મળતું હોય તો પણ સામાન્ય કરતાં અનેક ગણું વધારે ચૂકવવું પડે છે. આ દરમિયાન વર્લ્ડ બેંકે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. વર્લ્ડ બેન્કે પાકિસ્તાનના વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. વર્લ્ડ બેન્કે પાકિસ્તાનનો વિકાસ દર 2 ટકાથી ઘટાડીને 0.4 ટકા કર્યો છે. અહેવાલ મુજબ, વર્લ્ડ બેન્કે કહ્યું છે કે વિવિધ આર્થિક આંચકાઓને કારણે આ નાણાકીય વર્ષમાં લગભગ 40 લાખ પાકિસ્તાનીઓ ગરીબીમાં સંપડાઈ ગયા છે. વર્લ્ડ બેન્કે પાકિસ્તાનને ’જાહેર દેવાની કટોકટી’ ટાળવા માટે તાત્કાલિક નવી વિદેશી લોનની વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (ઈંખઋ) અને વર્લ્ડ બેન્કની બેઠકમાં ભાગ લેવા વોશિંગ્ટન જવાના હતા. પરંતુ તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.
આ આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાનને ઈંખઋના બેલઆઉટ પેકેજની સખત જરૂર છે, પરંતુ પાકિસ્તાનને હજુ સુધી આ પેકેજ મળ્યું નથી. પાકિસ્તાન સરકાર 1.1 બિલિયનનું બેલઆઉટ પેકેજ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ માટે તેણે ઈંખઋની તમામ શરતો પણ માંની છે. પરંતુ હજુ સુધી તેને ફંડ મળ્યું નથી. 10 એપ્રિલે યોજાનારી ઈંખઋની બેઠકમાં પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડાર ભાગ લેવાના હતા. અહેવાલો અનુસાર, ઘરેલુ રાજકીય ઉથલપાથલના કારણે તેમણે વોશિંગ્ટનનો તેમનો પ્રવાસ રદ કર્યો છે.
- Advertisement -
પાક.માં હિંદુ લગ્ન કાયદાના નિયમોને નોટીફાઈડ કરાયા
પાકિસ્તાનના ઈસ્લામાબાદ રાજધાની પ્રશાસને હિંદુ મેરેજ એક્ટ 2017 પસાર થયાના પાંચ વર્ષથી વધુ સમય બાદ તેને નોટીફાઈડ કરવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે કાયદાની નોટીફાઈડથી લઘુમતી સમુદાયના સભ્યોને ફાયદો થશે જેઓ હવે પરંપરાગત વિધિઓ અનુસાર લગ્ન કરી શકશે. નિયમો અનુસાર ઇસ્લામાબાદમાં સંબંધિત યુનિયન કાઉન્સિલ લગ્નને અધિકૃત કરવા માટે પંડિતની નોંધણી કરશે. રિપોર્ટ અનુસાર હિંદુ ધર્મની પૂરતી જાણકારી ધરાવતો હિંદુ પુરુષ ’પંડિત’ અથવા ’મહારાજ’ બની શકે છે.
પંડિતની નિમણૂક સ્થાનિક પોલીસના ચારિત્ર્ય પ્રમાણપત્ર અને હિંદુ સમુદાયના ઓછામાં ઓછા 10 સભ્યોની લેખિત મંજૂરી પછી જ કરવામાં આવશે.