By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    4 hours ago
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    1 day ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    1 day ago
    સાઉદી અરબની ‘ડબલ ગેમ’: ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
    4 days ago
    ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વીરપુર: હાઈવે કામગીરીના સ્થળે ‘ઓપન બાર’, પવિત્ર યાત્રાધામમાં દારૂબંધીના લીરેલીરા
    38 minutes ago
    ક્રિકેટના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર ટેસ્ટમાં દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડશે તો પણ નવો બેટર મેદાનમાં આવશે
    57 minutes ago
    બંગાળ SIR સુપ્રીમ કોર્ટમાં લાઈવ સુનાવણી: ચૂંટણી પંચ એ વોટ્સએપ કમિશન છે, મમતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું
    3 hours ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    4 hours ago
    World Cancer Day: ભારતમાં ફેલાઈ રહ્યા છે 5 પ્રકારના કેન્સર, જાણો શરૂઆતના લક્ષણો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    2 days ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    2 days ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    4 days ago
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    6 days ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 day ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તાલાલાનાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ સહિત 140 મતદારોના નામો રદ કરવાની પેરવી સામે રોષ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > તાલાલાનાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ સહિત 140 મતદારોના નામો રદ કરવાની પેરવી સામે રોષ
જુનાગઢ

તાલાલાનાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ સહિત 140 મતદારોના નામો રદ કરવાની પેરવી સામે રોષ

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 6:15 PM
Khaskhabar Editor 2 minutes ago
Share
3 Min Read
SHARE

સાંગોદ્રા ગીર ગામના સરપંચ ઉમરભાઈ ભાલીયા તથા ઈસ્માઈલી મોમીન અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપતા ભારે ચકચાર

તાલાલાના ચિત્રાવડ ગીરના 600 મતદારોના નામો સામે વાંધા રજૂઆતથી ગામ ચોંકી ઉઠયું 

- Advertisement -

ગામના ઉપસરપંચ ઉપરાંત ઈસ્માઈલી મોમીન તથા મુસ્લિમ સમાજના 60 વર્ષથી ગામમાં રહેતા મતદારોના નામો રદ કરવા ષડયંત્ર ચાલી રહ્યાના આક્ષેપો

ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ

તાલાલા તાલુકામાં ચૂંટણી પંચ દ્વારા એસ.આઇ.આર ની ચાલી રહેલ કામગીરીમાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ-પૂર્વ સરપંચ તથા ઈસ્માઈલી મોમીન-મુસ્લિમ સમાજ સહિત 140 મતદારોના નામો ગુલ કરવા પ્રેરવી શરૂ થતાં સાંગોદ્રા ગીર ગામમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સાંગોદ્રા ગીર ગામના સરપંચ ઉમરભાઈ ભાલીયા ની રાહબરી હેઠળ તાલાલા મામલતદારને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સાંગોદ્રા ગીર ગામની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં ગામના સરપંચ,પૂર્વ સરપંચ તથા ઈસ્માઈલી મોમીન સમાજ,મુસ્લિમ સમાજના ગામમાં વર્ષોથી વસવાટ કરતા કુલ 140 મતદારો સામે ખોટા વાંધા ઉભા કરી નામો મતદાર યાદીમાંથી રદ કરવાનું ષડયંત્ર શરૂ થયું હોવાનું જાણવા મળે છે…જે મતદારો સામે ખોટા વાંધા ઉભા કરવામાં આવેલ છે તે તમામ વર્ષોથી ગામમાં વસવાટ કરે છે.મોટાભાગના મતદારો ગામમાં ખેતીવાડી કરતા હોય તેમની ખેતિની જમીનના ખાતા પણ ગ્રામ પંચાયત રેકર્ડમાં છે છતાં પણ મતદારો સામે ખોટા વાંધા રજૂ કરવામાં આવ્યા છે.આ કથિત પ્રવૃતિથી ગામની શાંતિ સામે જોખમ ઊભું થવાની આવેદનપત્રમાં ભિતી વ્યક્ત કરવામાં આવી છે.સાંગોદ્રા ગીર ગામની મુલાકાત લઈ તમામ મતદારોની રૂબરૂ ખરાઈ કરી સાચાં મતદારો સામે રજુ કરવામાં આવેલ ખોટા વાંધા રદ કરવા મામલતદાર સમક્ષ સાંગોદ્રા ગામના આગેવાનોએ માંગણી કરી છે.

- Advertisement -

ગિર-સોમનાથ: ચિત્રાવડ ગીર ગામના ભાગ નંબર 21-22-23-24 માં નોંધાયેલ 600 થી પણ વધુ મતદારોને મતદાન મથક અધિકારીઓ તથા સુપરવાઇઝરોએ રૂબરૂ બોલાવી તમારા નામો સામે ફોર્મ નં.7 ભરી વાંધા અરજીઓ રજૂ થયાનું કહેતા ગામલોકોમાં ભારે રોષ પ્રસરી ગયો હતો.
ગામલોકોના જણાવ્યા પ્રમાણે ચિત્રાવડ ગીર ગામના જે મતદારો સામે વાંધા રજૂ થયા છે જેમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ઉપસરપંચ ઉપરાંત મુસ્લિમ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ તથા ઈસ્માઈલી મોમીન સમાજના પૂર્વ પ્રેસિડેન્ટ તથા ગામમાં 60 વર્ષથી વધુ સમયથી ખેતી કરતા ખેડૂતોની સામે વાંધા રજૂ કરવામાં આવ્યા છે.ગામના મતદારો સામે શરૂ થયેલ કથિત પ્રવૃત્તિ સામે વિરોધ વ્યક્ત કરવા ગામના અગ્રણીઓની અગત્યની બેઠક ગ્રામ પંચાયત કચેરીમાં મળી હતી.આ બેઠકમાં દાયકાઓથી ગામમાં વસવાટ કરતા ખેડૂતો,નાગરિકો તથા ગ્રામ પંચાયત તથા સામાજિક સંસ્થાઓમાં સેવા આપતા પદાધીકારીઓ સામે રજૂ થયેલ વાંધા ઉપજાવી કાઢેલ ખોટાં હોય તમામ વાંધાઓ તુરંત રદ કરવા માંગણી કરવામાં આવી હતી.ગામમાં વર્ષોથી વસવાટ કરતા તમાંમ મતદારોને યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે ગામના હાજર મતદારો ની સહિઓ સાથે સામૂહિક પત્ર તૈયાર કરી મામલતદારને મોકલવામાં આવેલ છે.
ચિત્રાવડ ગીર ગામના સાચાં અને પ્રમાણિક મતદારો સામે ખોટા વાંધા રજૂ કરી ગામનું એખલાસ,સુમેળ અને સમરસ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર લોકો સામે તુરંત કાયદાકીય કાર્યવાહી કરવા પણ ગામ લોકોએ મામલતદાર સમક્ષ માંગણી કરી છે.

You Might Also Like

શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા

મુખ્યમંત્રી બન્યા પછી ભુપેન્દ્ર પટેલે શિવરાત્રી મેળાની મુલાકાત કરી સંતોના આશીર્વાદ લીધા હતા

ગુજસીટોક હેઠળ વૉન્ટેડ જૂનાગઢનો લિસ્ટેડ બુટલેગર રવિ ભારાઈ રાજસ્થાનથી ઝડપાયો

વંથલી મર્ડર કેસ: પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરનાર પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા

મહાશિવરાત્રી મેળાને હાઈટેક બનાવવા 20 સમિતિની રચના સાથે એક્શન પ્લાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
મુખ્યમંત્રી બન્યા પછી ભુપેન્દ્ર પટેલે શિવરાત્રી મેળાની મુલાકાત કરી સંતોના આશીર્વાદ લીધા હતા
ગુજસીટોક હેઠળ વૉન્ટેડ જૂનાગઢનો લિસ્ટેડ બુટલેગર રવિ ભારાઈ રાજસ્થાનથી ઝડપાયો
વંથલી મર્ડર કેસ: પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરનાર પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા
મહાશિવરાત્રી મેળાને હાઈટેક બનાવવા 20 સમિતિની રચના સાથે એક્શન પ્લાન
કમિશનરના અંદાજપત્રમાં પાણી અને ડ્રેનેજ વેરામાં તોતિંગ વધારાની દરખાસ્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
જુનાગઢ

મુખ્યમંત્રી બન્યા પછી ભુપેન્દ્ર પટેલે શિવરાત્રી મેળાની મુલાકાત કરી સંતોના આશીર્વાદ લીધા હતા

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
જુનાગઢ

ગુજસીટોક હેઠળ વૉન્ટેડ જૂનાગઢનો લિસ્ટેડ બુટલેગર રવિ ભારાઈ રાજસ્થાનથી ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?