સમરસ સમાજનું સર્જન એ જ સાચું સમીકરણ: કુલપતિ પ્રોફેસર ડૉ. ઉત્પલ જોશી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તાજેતરમાં કુલપતિની અધ્યક્ષતામાં ‘ભારતીય સંવિધાન કા અમૃતોત્સવ’ વિષષક રાષ્ટ્રીય સંગોષ્ઠિ બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ રાજકોટ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ભારતીય સંવિધાનના 75 વર્ષ નિમિત્તે આખું વર્ષ ‘હમારા સંવિધાન, હમારા સન્માન’ આ થીમ પર વિશ્ર્વના શ્રેષ્ઠ સંવિધાન એવા ભારતીય વિધાનથી સમગ્ર દેશ પરિચિત થાય અને ભારતીય સંવિધાનની શ્રેષ્ઠ, રાષ્ટ્રને એક અને સમરસ રાખવાની શક્તિ, સંવિધાનનું લચીલાપણું, ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ, ભારતીય સભ્યતા અને સંસ્કારના ઉત્તમ દસ્તાવેજરૂપ આવી અનેક વિશેષતા ધરાવતા સંવિધાનને સમગ્ર ભારત વર્ષ જાણે તે જરૂરી છે. કુલપતિએ તેમના અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું કે ભારતીય સંવિધાનના પ્રારંભમાં જણાવ્યું છે કે ‘ઈન્ડિયા ધેટ ઇસ ભારત’ આપણે ભારતીય છીએ, ભારત શબ્દોમાં ભૂમિ અને સંસ્કૃતિ અર્થ આવે છે. જ્યારે ઈન્ડિયામાં માત્ર ભૌગોલિક વિસ્તારની જ ફીલિંગ આવે છે.
આપણે આપણા વ્યવહારમાં ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. કુલપતિએ વધુમાં જણાવ્યું કે આપણી યુનિવર્સિટીની ડો. આંબેડકર ચેર રાજ્યમાં મોડેલ ચેર છે જે રાષ્ટ્રીય કક્ષાએ અગ્રેસર બનશે તેવો વિશ્ર્વાસ છે. ચેર દ્વારા ત્રણ વર્ષથી યુનિ. કેમ્પસ અને વિવિધ કોલેજોમાં ડો. આંબેડકરજી પરના પ્રમાણપત્રીય કોર્સ ચાલી રહ્યા છે તેનો વિસ્તાર કરી કોલેજોમાં સ્નાતક કક્ષમાં મેેજર-માઈનોર પેપરમાં સામેલ કરવા વિચારણા કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેરસેન્ટર 6 ડિસેમ્બર 2016થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં કાર્યરત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેરસેન્ટર દ્વારા રાષ્ટ્રીય સંગોષ્ઠિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ‘ભારતીય સંવિધાન કા અમૃતોત્સવ’ વિષય પર યોજાઈ હતી, જેમાં અધ્યાપક, શોધછાત્રો, વિદ્યાર્થીઓ અને વિદ્વાનો સહિત 380 પ્રતિભાગી ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સત્રમાં બીજરૂપ વક્તવ્ય કિશોરભાઈ મકવાણા, ચેરમેન રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ, ભારત સરકાર, અધ્યક્ષીય ઉદ્બોધન કુલપતિ પ્રોફે.ડો. ઉત્પલ એસ. જોશી દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાપુરુષ ડો. નાથાલાલ ગોહિલને ચેરસેન્ટર દ્વારા દ્વિતીય ‘ભીમરત્ન’ એવોર્ડ કુલપતિના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન સત્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તામંડળના સભ્યો પ્રો. સંજયભાઈ ભાયાણી, પ્રો. બી. કે. કલાસવા, અનુસુચિત જાતિ આયોગ કચેરી રાજકોટના નાયબ નિયામક આનંદબા ખાચર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભ પ્રો. બી. કે. કલાસવા દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેરના ચેરમેન દ્વારા કાર્યક્રમની ભૂમિકા અને ચેરની કામગીરી રજૂ કરવામાં આવી હતી.