જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં ભારતીય સેનાના ચાલુ ઓપરેશનમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પહલગામ આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકવાદી સંગઠનના આતંકીઓ ઠાર થયા હોવાના અહેવાલ મળ્યા છે. શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ટીઆરએફના ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ અથડામણમાં ઠાર થયા છે. જે પહલગામ આતંકી હુમલામાં સામેલ હોવાની આશંકા છે. જો કે, હજી સત્તાવાર ખાતરી થઈ નથી.
- Advertisement -
જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફનું આ સંયુક્ત ઓપરેશન હજી ચાલુ છે. આ ઓપરેશનને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું છે. લિડવાસ વિસ્તારમાં હજુ વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. દાછીગામ જંગલના ઉપલા ભાગમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ક્ષેત્ર શ્રીનગરને ત્રાલ સાથએ જોડે છે. જેે શ્રીનગરનો બાહ્ય વિસ્તાર છે. સુરક્ષાદળોએ સ્થાનિકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.