જૂનાગઢ જિલ્લામાં 11 બાળકો સહાયના લાભ મેળવી રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળક માટે પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરવામાં આવી છે. જે અન્વયે આ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કાર્યક્રમ વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાયો હતો.જેમાં સાંસદ, પદાધિકારીઓ, અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને સર્ટિફિકેટ, પાસબુક, હેલ્થકાર્ડ આપવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કોરોના મહામારીમાં જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તે બાળકોની સંભાળ, રક્ષણ, સુનિશ્ચિત કરવા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના તા.29 મે 2021ના રોજ લોન્ચ કરી હતી. આ યોજનાનો ઉદેશ કોવિડ-19 મહામારીના કારણે જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે આવા બાળકોને આરોગ્ય વીમા, શિક્ષણ અને આર્થિક સહાય દ્વારા તેને સક્ષમ બનાવવા અને આત્મનિર્ભર બનાવવા સજ્જ કરવા માસિક સહાય અને 23 વર્ષેની ઉમરે રૂપિયા 10 લાખની સહાય અપાશે.