By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હું આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું : ઝેલેન્સકીએ પુતિનના મોસ્કો આમંત્રણને નકારી કાઢ્યું
    1 day ago
    ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે.. ટ્રમ્પનું નિવેદન
    1 day ago
    નેપાળે ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો: શું છે મુદ્દો અને શા માટે પ્રતિબંધ
    3 days ago
    ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો
    3 days ago
    યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ
    1 day ago
    અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો
    1 day ago
    સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
    1 day ago
    દિલ્હી લાલ કિલ્લામાં સોના-હીરાથી જડિત 1 કરોડના કળશની ચોરી થઈ
    2 days ago
    આવતીકાલે ચંદ્રગ્રહણ: આ વર્ષનું ભારતમાં છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સમય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    3 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    3 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    4 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    4 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અક્ષય કુમારે પંજાબ પૂર રાહત માટે ₹5 કરોડનું વચન આપ્યું: તે દાન નહીં પણ સેવા છે
    1 day ago
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    2 days ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    3 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    4 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    2 days ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    5 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    6 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    2 weeks ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    2 days ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    2 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    4 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    5 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈશ્ર્વર મને વરદાન આપવા આવે તો શું માંગવું, એ માટે એક દિવસ વિચાર કરવો પડે: મૌલેશ પટેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ઈશ્ર્વર મને વરદાન આપવા આવે તો શું માંગવું, એ માટે એક દિવસ વિચાર કરવો પડે: મૌલેશ પટેલ
AuthorKinnar Acharya

ઈશ્ર્વર મને વરદાન આપવા આવે તો શું માંગવું, એ માટે એક દિવસ વિચાર કરવો પડે: મૌલેશ પટેલ

Khaskhabar Editor
Last updated: 2021/09/25 at 5:45 PM
Khaskhabar Editor 4 years ago
Share
14 Min Read
SHARE

મૌલેશ પટેલની અનેક ઓળખ છે, સિદસર મંદિરનાં અધ્યક્ષ પણ તેમને કહી શકો, બાન લેબ્સનાં સર્વેસર્વા પણ કહી શકો, અનેક સંસ્થાઓનાં સક્રિય હોદ્દેદાર પણ કહી શકો અને એક દાનવીર પણ કહી શકો. તેમને ધર્મપ્રેમી અને આસ્થાવાન પણ ગણાવી શકો. આમ તો તેમને બધા ઓળખે છે પરંતુ અહીં ‘ખાસ-ખબર’ તેમને કેટલાંક સાવ નોખાં અને ઑફ્ફ-બિટ સવાલો કરે છે જેનાં તેઓ દિલ ખોલીને જવાબો આપે છે…
– કિન્નર આચાર્ય

આપણે સારૂં જીવીએ, સારૂં વધીએ, એવું જીવીએ અને એવા વધીએ કે આપણું પાત્ર ભજવીને નષ્ટ થઈએ ત્યારે ભગવાન દ્વારકાધીશ સ્વયં આપણને ગળે લગાડીને કહે કે, ‘વેલ ડન!’

- Advertisement -

પ્રશ્ર્ન: તમારી ફેવરિટ ટાઈમપાસ પ્રવૃત્તિ કઈ? 
મૌલેશભાઈ: ખરેખર કહું તો મને મનગમતી પ્રવૃત્તિઓ કરવાનો સમય જ મળતો નથી. રાજકોટની અને અન્ય જગ્યાઓની એટલી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું કે, વર્ષમાં માત્ર એક-એક દિવસ જ એ સંસ્થાઓને ફાળવું તો 50-60 દિવસ તો તેમાં જોઈએ. ઘણી વખત મન થાય છે કે, મમ્મી-પપ્પા સાથે એકાદ કલાક ગપ્પાં મારૂં. પણ મારૂં ધાર્યું નથી થતું. ધાર્મિક પ્રવૃત્તિ, ધર્મકાર્યો, વાંચન, વાડીએ જવું, પ્રકૃતિ સાથે રહેવું…. આ બધા મારી ગમતી પ્રવૃત્તિઓ છે. સાવ સામાન્ય ગણાતાં છેવાડાનાં માનવીઓ સાથે વાતો કરવી મને બહુ ગમે છે. તેમનાં દુ:ખડાં સાંભળવા અને તેનો રસ્તો કાઢવો, આ બધું મને ગમે છે. દુ:ખિયારાં લોકોને જાત્રા કરાવવામાં પણ બહુ સંતોષ મળે. જીવનનો અર્થવિસ્તાર કરીએ તો: જી એટલે જીવવું, વ એટલે વધવું અને ન એટલે નષ્ટ થવું. ઈશ્ર્વરે આપણને જીવન આપ્યું છે. પરંતુ એ કેવી રીતે જીવવું તે આપણાં પર છોડ્યું છે. આપણે સારૂં જીવીએ, સારૂં વધીએ. એવું જીવીએ અને એવા વધીએ કે આપણું પાત્ર ભજવીને નષ્ટ થઈએ ત્યારે ભગવાન દ્વારકાધીશ સ્વયં આપણને ગળે લગાડીને કહે કે, ‘વેલ ડન!’

પ્રશ્ર્ન: ગમતી ફિલ્મો, ગાયકો વગેરે કોણ?
મૌલેશભાઈ: સાચું કહું તો મેં છેલ્લાં ચાલીસ વર્ષમાં એકપણ ફિલ્મ જોઈ નથી. ઘરમાં હોમ થિયેટર વગેરે બધી સગવડ છે પરંતુ ફિલ્મો જોવામાં બિલકુલ રસ નથી. હા! ક્રિષ્ના, રામાયણ જેવી સીરિયલો કે ક્યારેક ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં’ જેવી હળવીફુલ સીરિયલ જોઈ નાંખુ. ઈશ્ર્વરની કૃપાથી અમારા ઘરમાં નિત્ય આનંદ છલકાતો હોય છે. અમે સાથે બેઠા હોઈએ અને ક્યારેક રાસ લેવાનું મન થાય તો આખો પરિવાર ગરબા લેવા માંડીએ, હું, સંતાનો, મમ્મી, પત્ની બધા મન ભરીને ગરબા કરીએ. દરરોજ રાત્રે બેય ભાઈનો પરિવાર સાથે જમવા બેસે. ડાઈનિંગ ટેબલની ખુરશી ઓછી પડે તો મુંઢા લઈને પણ બેસીએ. પરંતુ જોડે બેસીએ તે નક્કી.

પ્રશ્ર્ન: તમારાં મનગમતાં ફરવાનાં સ્થળો?
મૌલેશભાઈ: સૌથી વધુ તો હું દ્વારકા જતો હોઉં છું. નાથદ્વારા જવાનો આનંદ પણ અનેરો છે. હાલ તો કોવિડની પરિસ્થિતિ હોવાથી ફરવાનું બંધ છે. પરંતુ સામાન્ય રીતે અમારા બેય ભાઈનો પરિવાર દર છ મહિને ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જ જઈએ. મને પ્રકૃતિ સાથે રહેવું ગમે છે, સાથેસાથે જબરદસ્ત વિકાસ હોય તેવાં સ્થળોએ પણ આનંદ આવે છે. જો કે, મારા માટે કોઈ પ્રવાસ યાદગાર રહ્યો હોય તો એ છે, અલાસ્કા ટૂર. ત્યાં બધું જ છે. કુદરતે એ સ્થળને છૂટ્ટાં હાથે આશીર્વાદ વરસાવ્યા છે.

- Advertisement -

પ્રશ્ર્ન: તમારા જીવનમાં આધ્યાત્મિકતાનું સ્થાન કેવું છે?
મૌલેશભાઈ: બહુ જ મોટું સ્થાન છે. તેનો આનંદ જ અલગ છે. એમ કહી શકીએ કે મારા જીવનની પ્રત્યેક ક્ષણનું સંચાલન ભગવાન દ્વારકાધીશ કરે છે. મારૂં ગાડું તેઓ જ ચલાવે છે. મેં જોયું છે કે, ઘણાં લોકો જતી જિંદગીએ ધરમધ્યાન કરે. હું માનું છું કે અધ્યાત્મનું સ્થાન તો યુવાવયે પણ હોવું જોઈએ. અનૂભવોનાં આધારે કહી શકું કે, આધ્યાત્મિકતા તમને એક અલગ જ પ્રકારનો પરમ સંતોષ આપે છે. એટલે જ આધ્યાત્મિકતા મારા જીવનનું અભિન્ન અંગ છે. એમ કહી શકાય કે, એ જ મારી લાઈફ સ્ટાઈલ છે.

પ્રશ્ર્ન: કેવું ફૂડ પસંદ કરો? કોઈ ખાસ પ્રકારનું ભોજન ખૂબ ભાવે તેવું ખરૂં?
મૌલેશભાઈ: એકદમ સાદું ભોજન. રોટલો, રિંગણાનું શાક, ખિચડી જેવું ભોજન મારૂં ફેવરિટ. સવારે નાસ્તામાં ફક્ત નાળિયર પાણી લઉં, ચા કદી ચાખી જ નથી- તેનો ટેસ્ટ કેવો હોય એ જ ખ્યાલ નથી. બપોરે દોઢ-બે વાગ્યે જમું. તેમાં પણ બે રોટલી અને શાક સિવાય ઝાઝું કંઈ ન લઉં. સાંજનાં ભોજનમાં ખિચડી-દહીં અથવા ખિચડી અને શાક. બસ. ભોજન ઘેર જ લેવાનું. લગભગ રોજ રાત્રે કાર્યક્રમમાં હાજરી આપવાની હોય. પરંતુ ભોજન ઘેર જ લઉં. કાર્યક્રમમાં જમીને જ જઉં. હા! મને ફ્રુટસનો શોખ ખરો. એટલે દરરોજ બે વખત ફ્રુટ ખાવાનું રાખ્યું છે. વિદેશ જવાનું થાય ત્યારે પણ ફ્રુટ પર જોર રાખું. ત્યાં કોઈ દૂરાગ્રહ ન રાખું. શાકાહારી મળે તેમાંથી પસંદગી કરી લઉં.

પ્રશ્ર્ન: તમારા જીવનમાં પરિવારનું મહત્ત્વ કેટલું?
મૌલેશભાઈ: પરિવાર સર્વસ્વ છે. ઘણાં લોકોને પરિવારનો મહિમા કોરોના દરમિયાન કે કોરોના પછી જ પરિવારનું મહત્ત્વ સમજાયું. હું તો પહેલેથી જ કહું છું કે, પરિવારનું મહત્ત્વ જીવનમાં સૌથી વધુ છે. દરેક બાબતે-પ્રત્યેક નિર્ણયોમાં પરિવાર જો સાથે હોય તો માણસનું બશેર લોહી ચઢી જાય છે. કુટુંબ આપણાં માટે હિમોગ્લોબિનનું કામ કરે છે. પરિવાર જો આડો ચાલતો હોય, પરિવારમાં બધું ઠીકઠાક ન હોય તો માણસનાં બી.પી.- ડાયાબિટિસ વધી જાય છે. સંયુક્ત પરિવાર એ માનવજીવનની મૂડી છે, અમૂલ્ય સંપત્તિ છે. પરિવાર સાથે હોય, પરિવાર સારો હોય- એ સુવર્ણથી પણ વિશેષ સંપદા છે.

પ્રશ્ર્ન: મોટાભાગે ક્યા પ્રકારનાં સદ્કાર્યોમાં તમે યોગદાન આપો છો?
મૌલેશભાઈ: એમાં કશો જ ભેદભાવ રાખતો નથી. ધાર્મિક કાર્યો, સામાજિક-શૈક્ષણિક… દરેક ક્ષેત્રમાં યથાશક્તિ પ્રદાન કરતો રહું છું. અનાજની કિટ આપવાની હોય તો એ પણ આપું, કોઈની ફી ભરવાની હોય, હોસ્પિટલની સારવારનો ખર્ચ હોય… આવાં કાર્યોમાં એક અદ્ભુત આનંદ આવે છે. વૈજ્ઞાનિક સંશોધનો પણ કહે છે કે, સદ્કાર્યો કરો- ચેરિટી કરો ત્યારે દિમાગમાં એક ચોક્કસ પ્રકારનું કેમિકલ ઝરે છે- જે હૃદયને બાગ-બાગ કરી મૂકે છે.

પ્રશ્ર્ન: બાન લેબ્સ માટે ભવિષ્યનો પ્લાન શો છે? વિસ્તરણ વગેરેની કોઈ યોજના ખરી?

મૌલેશભાઈ: બાન લેબ્સ ટૂંક સમયમાં જ અનેક નવી પ્રોડક્ટ્સની બહુ મોટી રેન્જ લઈને આવી રહી છે. નવા ડિવિઝનમાં હોઝિયરી પ્રોડકટસ પણ છે. જેમાં લેડીઝ અને જેન્ટસનાં ઈનરવેર સામેલ હશે. તેમાં મીડિયમ રેન્જથી માંડીને અતિ પ્રીમિયમ રેન્જ પણ સામેલ હશે. સ્ટેશનરી પ્રોડક્ટસમાં પેન, પેન્સિલ, રબ્બર, કમ્પાસથી લઈ અનેક વેરાઈટી હશે. ઉપરાંત ‘સિગ્નેચર’ બ્રાન્ડથી ડિઓડરન્ટ, પરફ્યુમ્સ, એર ફ્રેશનર્સ તથા અન્ય અનેક પ્રોડક્ટસ હશે. ઉપરાંત અમે એક અદ્ભુત પ્રોડકટની પેટન્ટ મેળવી છે. આ પ્રોડક્ટ ડીઝલ વાહનની એવરેજ વધારી આપે છે, પ્રદૂષણ ઘટાડે છે. આ પ્રોડક્ટનો ઉપયોગ કરવા ડીઝલમાં 25% પાણી ઉમેરવાનું રહે છે અને પછી બાનની પ્રોડક્ટસની બોટલ તેમાં ઉમેરવાની છે. જેનાંથી ડીઝલ વાહનોની એવરેજ જબરદસ્ત હદે વધી જાય છે. આ પ્રોડક્ટસ પર ટ્રાયલોનો ધમધમાટ ચાલું છે. આજ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં લોકો બાન લેબ્સનું નામ આવે ત્યારે મને જ યાદ કરે છે. પરંતુ આજથી પાંચ-દસ વર્ષ પછી મારા પુત્ર જય અને ભત્રીજા લવનાં નામથી પણ ઓળખશે. આ બેઉ યુવાનો હવે બાન લેબ્સમાં પૂર્ણત: સક્રિય છે અને તેઓ નવતર વિચારો કંપનીમાં અમલમાં મૂકી રહ્યાં છે.

પ્રશ્ર્ન: તમારી ફેવરિટ ટાઈમપાસ પ્રવૃત્તિ કઈ?
મૌલેશભાઈ: ખરેખર કહું તો મને મનગમતી પ્રવૃત્તિઓ કરવાનો સમય જ મળતો નથી. રાજકોટની અને અન્ય જગ્યાઓની એટલી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું કે, વર્ષમાં માત્ર એક-એક દિવસ જ એ સંસ્થાઓને ફાળવું તો 50-60 દિવસ તો તેમાં જોઈએ. ઘણી વખત મન થાય છે કે, મમ્મી-પપ્પા સાથે એકાદ કલાક ગપ્પાં મારૂં. પણ મારૂં ધાર્યું નથી થતું. ધાર્મિક પ્રવૃત્તિ, ધર્મકાર્યો, વાંચન, વાડીએ જવું, પ્રકૃતિ સાથે રહેવું…. આ બધા મારી ગમતી પ્રવૃત્તિઓ છે. સાવ સામાન્ય ગણાતાં છેવાડાનાં માનવીઓ સાથે વાતો કરવી મને બહુ ગમે છે. તેમનાં દુ:ખડાં સાંભળવા અને તેનો રસ્તો કાઢવો, આ બધું મને ગમે છે. દુ:ખિયારાં લોકોને જાત્રા કરાવવામાં પણ બહુ સંતોષ મળે. જીવનનો અર્થવિસ્તાર કરીએ તો: જી એટલે જીવવું, વ એટલે વધવું અને ન એટલે નષ્ટ થવું. ઈશ્ર્વરે આપણને જીવન આપ્યું છે. પરંતુ એ કેવી રીતે જીવવું તે આપણાં પર છોડ્યું છે. આપણે સારૂં જીવીએ, સારૂં વધીએ. એવું જીવીએ અને એવા વધીએ કે આપણું પાત્ર ભજવીને નષ્ટ થઈએ ત્યારે ભગવાન દ્વારકાધીશ સ્વયં આપણને ગળે લગાડીને કહે કે, ‘વેલ ડન!’

પ્રશ્ર્ન: ગમતી ફિલ્મો, ગાયકો વગેરે કોણ?
મૌલેશભાઈ: સાચું કહું તો મેં છેલ્લાં ચાલીસ વર્ષમાં એકપણ ફિલ્મ જોઈ નથી. ઘરમાં હોમ થિયેટર વગેરે બધી સગવડ છે પરંતુ ફિલ્મો જોવામાં બિલકુલ રસ નથી. હા! ક્રિષ્ના, રામાયણ જેવી સીરિયલો કે ક્યારેક ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં’ જેવી હળવીફુલ સીરિયલ જોઈ નાંખુ. ઈશ્ર્વરની કૃપાથી અમારા ઘરમાં નિત્ય આનંદ છલકાતો હોય છે. અમે સાથે બેઠા હોઈએ અને ક્યારેક રાસ લેવાનું મન થાય તો આખો પરિવાર ગરબા લેવા માંડીએ, હું, સંતાનો, મમ્મી, પત્ની બધા મન ભરીને ગરબા કરીએ. દરરોજ રાત્રે બેય ભાઈનો પરિવાર સાથે જમવા બેસે. ડાઈનિંગ ટેબલની ખુરશી ઓછી પડે તો મુંઢા લઈને પણ બેસીએ. પરંતુ જોડે બેસીએ તે નક્કી.

પ્રશ્ર્ન: તમારાં મનગમતાં ફરવાનાં સ્થળો?
મૌલેશભાઈ: સૌથી વધુ તો હું દ્વારકા જતો હોઉં છું. નાથદ્વારા જવાનો આનંદ પણ અનેરો છે. હાલ તો કોવિડની પરિસ્થિતિ હોવાથી ફરવાનું બંધ છે. પરંતુ સામાન્ય રીતે અમારા બેય ભાઈનો પરિવાર દર છ મહિને ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જ જઈએ. મને પ્રકૃતિ સાથે રહેવું ગમે છે, સાથેસાથે જબરદસ્ત વિકાસ હોય તેવાં સ્થળોએ પણ આનંદ આવે છે. જો કે, મારા માટે કોઈ પ્રવાસ યાદગાર રહ્યો હોય તો એ છે, અલાસ્કા ટૂર. ત્યાં બધું જ છે. કુદરતે એ સ્થળને છૂટ્ટાં હાથે આશીર્વાદ વરસાવ્યા છે.

પ્રશ્ર્ન: તમારા જીવનમાં આધ્યાત્મિકતાનું સ્થાન કેવું છે?
મૌલેશભાઈ: બહુ જ મોટું સ્થાન છે. તેનો આનંદ જ અલગ છે. એમ કહી શકીએ કે મારા જીવનની પ્રત્યેક ક્ષણનું સંચાલન ભગવાન દ્વારકાધીશ કરે છે. મારૂં ગાડું તેઓ જ ચલાવે છે. મેં જોયું છે કે, ઘણાં લોકો જતી જિંદગીએ ધરમધ્યાન કરે. હું માનું છું કે અધ્યાત્મનું સ્થાન તો યુવાવયે પણ હોવું જોઈએ. અનૂભવોનાં આધારે કહી શકું કે, આધ્યાત્મિકતા તમને એક અલગ જ પ્રકારનો પરમ સંતોષ આપે છે. એટલે જ આધ્યાત્મિકતા મારા જીવનનું અભિન્ન અંગ છે. એમ કહી શકાય કે, એ જ મારી લાઈફ સ્ટાઈલ છે.

પ્રશ્ર્ન: કેવું ફૂડ પસંદ કરો? કોઈ ખાસ પ્રકારનું ભોજન ખૂબ ભાવે તેવું ખરૂં?
મૌલેશભાઈ: એકદમ સાદું ભોજન. રોટલો, રિંગણાનું શાક, ખિચડી જેવું ભોજન મારૂં ફેવરિટ. સવારે નાસ્તામાં ફક્ત નાળિયર પાણી લઉં, ચા કદી ચાખી જ નથી- તેનો ટેસ્ટ કેવો હોય એ જ ખ્યાલ નથી. બપોરે દોઢ-બે વાગ્યે જમું. તેમાં પણ બે રોટલી અને શાક સિવાય ઝાઝું કંઈ ન લઉં. સાંજનાં ભોજનમાં ખિચડી-દહીં અથવા ખિચડી અને શાક. બસ. ભોજન ઘેર જ લેવાનું. લગભગ રોજ રાત્રે કાર્યક્રમમાં હાજરી આપવાની હોય. પરંતુ ભોજન ઘેર જ લઉં. કાર્યક્રમમાં જમીને જ જઉં. હા! મને ફ્રુટસનો શોખ ખરો. એટલે દરરોજ બે વખત ફ્રુટ ખાવાનું રાખ્યું છે. વિદેશ જવાનું થાય ત્યારે પણ ફ્રુટ પર જોર રાખું. ત્યાં કોઈ દૂરાગ્રહ ન રાખું. શાકાહારી મળે તેમાંથી પસંદગી કરી લઉં.

પ્રશ્ર્ન: તમારા જીવનમાં પરિવારનું મહત્ત્વ કેટલું?
મૌલેશભાઈ: પરિવાર સર્વસ્વ છે. ઘણાં લોકોને પરિવારનો મહિમા કોરોના દરમિયાન કે કોરોના પછી જ પરિવારનું મહત્ત્વ સમજાયું. હું તો પહેલેથી જ કહું છું કે, પરિવારનું મહત્ત્વ જીવનમાં સૌથી વધુ છે. દરેક બાબતે-પ્રત્યેક નિર્ણયોમાં પરિવાર જો સાથે હોય તો માણસનું બશેર લોહી ચઢી જાય છે. કુટુંબ આપણાં માટે હિમોગ્લોબિનનું કામ કરે છે. પરિવાર જો આડો ચાલતો હોય, પરિવારમાં બધું ઠીકઠાક ન હોય તો માણસનાં બી.પી.- ડાયાબિટિસ વધી જાય છે. સંયુક્ત પરિવાર એ માનવજીવનની મૂડી છે, અમૂલ્ય સંપત્તિ છે. પરિવાર સાથે હોય, પરિવાર સારો હોય- એ સુવર્ણથી પણ વિશેષ સંપદા છે.

પ્રશ્ર્ન: મોટાભાગે ક્યા પ્રકારનાં સદ્કાર્યોમાં તમે યોગદાન આપો છો?
મૌલેશભાઈ: એમાં કશો જ ભેદભાવ રાખતો નથી. ધાર્મિક કાર્યો, સામાજિક-શૈક્ષણિક… દરેક ક્ષેત્રમાં યથાશક્તિ પ્રદાન કરતો રહું છું. અનાજની કિટ આપવાની હોય તો એ પણ આપું, કોઈની ફી ભરવાની હોય, હોસ્પિટલની સારવારનો ખર્ચ હોય… આવાં કાર્યોમાં એક અદ્ભુત આનંદ આવે છે. વૈજ્ઞાનિક સંશોધનો પણ કહે છે કે, સદ્કાર્યો કરો- ચેરિટી કરો ત્યારે દિમાગમાં એક ચોક્કસ પ્રકારનું કેમિકલ ઝરે છે- જે હૃદયને બાગ-બાગ કરી મૂકે છે.

પ્રશ્ર્ન: તમારી સફળતાનો શ્રેય કોને આપો છે?
મૌલેશભાઈ: ભગવાન દ્વારકાધીશને, પત્નીને, પરિવારને, બાન પરિવારની ટીમ, સ્ટાફ, સ્ટોકિસ્ટો, મિત્રો વગેરેને. આ બધાનાં આશીર્વાદ હોય, શુભકામનાઓ હોય, સાથ-સહકાર અને હૂંફ હોય તો જ સફળતા મેળવી શકાય.

પ્રશ્ર્ન: જીવનનો સૌથી સુખદ અને સૌથી દુ:ખદ પ્રસંગ ક્યા?
મૌલેશભાઈ: મને ભરપૂર સુખ અને આનંદ મળ્યા છે. આજે જ ઈશ્ર્વર કદાચ મને સામે ઉભા રહીને કહે કે, ‘માંગ… માંગ… તું જે માંગે તે આપું!’ તો આવી સ્થિતિમાં મારે ઈશ્ર્વર પાસેથી એક દિવસનો સમય વિચારવા માટે લેવો પડે. ઈશ્ર્વરે મને લાયકાતથી વધુ આપ્યું છે. હા! સ્ટ્રગલ ખૂબ કરાવી છે પણ, ક્યારેય પડવા નથી દીધો. મુસીબતો ઘણી આવી છે પરંતુ ઈશ્ર્વરે હંમેશા ઊંચકી લીધો છે. હું સવારે જાગું ત્યારથી સૂવા જાઉં ત્યાં સુધીમાં અગણિત સારા પ્રસંગો બનતાં રહે છે. હા! ઝાઝાં દુ:ખદ પ્રસંગો આવ્યા નથી. તાજેતરમાં મારા ભાણેજનું નાની ઊંમરે અવસાન થયું-એ હચમચાવી નાંખતી ઘટના હતી. એ સિવાય જીવનથી કોઈ જ ફરિયાદ નથી.

You Might Also Like

અમેરિકાના વિઝા કેમ નકારાય છે?

માતા પછી મા, મમ્મી અને હવે મોમ

રહેમાનનો જાદુ

પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..

સાવધાન :આપણાં કોષો આપણો અવાજ સાંભળી તે મુજબ આપણને ઘડે છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણે આપણાં વિચારોને, મનને, ઉર્જાને વારંવાર નીચેની દિશામાં લઈ જઈશું તો ક્યારેય મૂલાધાર ચક્રના સ્થાનમાંથી ઉઠી શકીશું નહિ
Next Article હું અને મારી પત્ની વર્ષો સુધી સુખી હતાં, પછી અમે મળ્યા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તાર માટે 1500 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી : કુંવરજી બાવળિયા
રાજકોટમાં ગુજરાતનું પ્રથમ ડ્યુઅલ-સ્ક્રીન ડિજિટલ એનામોર્ફિક હોર્ડિંગ લૉન્ચ
રાજુલા ખાતે સાંસદ ભરત સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની શુભેચ્છા મુલાકાત
વીરપુર (જલારામ) ખાતે નેશનલ હાઈવેના નાલાના પ્રશ્ર્ને વિરોધ
‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતી યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અમેરિકાના વિઝા કેમ નકારાય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

માતા પછી મા, મમ્મી અને હવે મોમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

રહેમાનનો જાદુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?