ગુરૂ પુર્ણિમાના અવસર પર અમેરિકામાં ભગવત ગીતાનો પાઠ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ટેક્સાસના ઈસ્ટ સેન્ટરમાં 4થી 84 વર્ષની ઉંમરના કુલ દસ હજાર લોકો ભેગા થયા હતા.
અમેરિકામાં ગુરૂ પૂર્ણિમાના અવસર પર ભગવદ ગીતાનો પાઠ કરવા માટે ટેક્સાસના એલન ઈસ્ટ સેન્ટરમાં 4થી 84 વર્ષની ઉંમરના કુલ દસ હજાર લોકો ભેગા થયા. આ કાર્યક્રમ યોગ સંગીતા અને એસજીએસ ગીતા ફાઉન્ડેશન દ્વારા ભગવદ ગીતા પારાયણ યજ્ઞના રૂપમાં આયોજીત કરવામાં આવ્યો હતો. સોમવારે ગુરૂપૂર્ણિમાના અવસર પર આ પાઠ કરવામાં આવ્યો.
- Advertisement -
રિપોર્ટ અનુસાર અવધૂત દત્ત પીઠમ 1966માં શ્રી ગણપતિ સચિદાનંદજી સ્વામીજી દ્વારા સ્થાપિત એક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજીત કલ્યાણ સંગઠન છે. શ્રી સ્વામીજીની સાર્વભૌમિક દષ્ટિ અને માનવ જાતિના ઉત્થાન માટે કરૂણાના પીઠમને માનવ જીવનના સંવર્ધન માટે વિભિન્ન પ્રકારના કાર્યક્રમ, ગતિવિધિઓ અને પરિયોજનાઓ ચલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.
#WATCH | United States: Ten thousand people gathered at Allen East Center in Texas, to recite the Bhagavad Gita together on the occasion of Guru Purnima. This event was organised by Yoga Sangeeta and SGS Geeta Foundation as Bhagavad Gita Parayan Yagya.
(Source: Avadhoota Datta… pic.twitter.com/saVlZIjBML
- Advertisement -
— ANI (@ANI) July 3, 2023
10 હજાર લોકો થયા ભેગા
ટેક્સાસમાં ભગવદ ગીતાનો જાપ કરનાર દરેક 10,000 લોકોએ પોતાના ગુરૂ ગણપતિ સચિદાનંદજી સ્વામીના માર્ગદર્શનમાં છેલ્લા આઠ વર્ષમાં તેના યાદ કર્યા હતા. આ પહેલી વખત નથી કે સ્વામીજીએ સંયુક્ત રાજ્ય અમેરિકીમાં ભગવદ ગીતાનો જાપ કાર્યક્રમ આયોજીત કર્યો છે. સ્વામીજી છેલ્લા થોડા વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં મોટાપાયે હિંદુ આધ્યાત્મિકતાનો પ્રચાર કરી રહ્યા છે.
ગણપતિ સચિદાનંદજી સ્વામીજી ભગવદ ગીતાનો પ્રચાર કરવા અને સનાતન હિંદૂ ધર્મના મૂલ્યોને ફાલવા માટે એક વિશ્વ પ્રસિદ્ધ સંત છે. આ વચ્ચે સોમવારે ગુરૂ પૂર્ણિમા પર આગરના રાવતપારામાં મનોકામેશ્વર મહાદેવ મંદિરમાં આખા ભારતથી ભક્તોની ભીડ ઉમડી પડી. અધિકારીઓ અનુસાર, ભક્તોએ સવારે સવારે ભગવાન શિવજી પૂજા શરૂ કરી દીધી અને શિવાલય જઈને ભગવાનની પૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા.