અમિતાભ બચ્ચન 55 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. 130 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા હવે 82 વર્ષના થયા છે. અમિતાભ બચ્ચન 55 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. 130 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા હવે 82 વર્ષના થયા છે. આ અવસર પર જાણીએ તેમની સાથે જોડાયેલી 10 અજાણી વાતો.
બોલીવુડના ‘શહેનશાહ’ એટલે કે અમિતાભ બચ્ચન આવતીકાલે તેમનો 81મો જન્મદિવસ ઉજવશે. 82 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં સક્રિય છે. 1969માં આવેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી ડેબ્યૂ કરનાર અમિતાભ બચ્ચનએ એક સાથે 12 ફ્લોપ ફિલ્મો આપી હતી. તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 55 વર્ષ થઈ ગયા છે અને આ દરમિયાન તેણે 130 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
- Advertisement -
અમિતાભ બચ્ચનના જન્મદિવસના ખાસ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ. કેવી રીતે તેમણે પહેલા ફ્લોપ સ્ટારનો ટેગ મળ્યો અને પછી સુપરસ્ટાર બની ગયા, તેમના આવવાથી ક્યા સ્ટારનું સ્ટારડમ હચમચી ગયું અને કેવી રીતે તેઓ બોલિવૂડના ‘શહેનશાહ’ તરીકે ઓળખાવા લાગ્યા.
અમિતાભ બચ્ચન સાથે જોડાયેલ 10 અનસુને કિસ્સા
અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. આ પછી તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે બધી ફ્લોપ રહી. તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં બિગ બીની 12 ફિલ્મો ફ્લોપ થઈ, જે પછી તેમને ફ્લોપ અભિનેતાનો ટેગ મળ્યો.
- Advertisement -
બિગ બીનું નસીબ ત્યારે બદલાયું જ્યારે પ્રકાશ મહેરાએ તેમને ફિલ્મ જંજીર ઓફર કરી. આ ફિલ્મમાં તેમની સાથે જયા બચ્ચન હતી, ત્યારે અભિનેત્રીનું નામ જયા ભાદુરી હતું. જયા સાથે અમિતાભની જોડી ચાલી ગઇ અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ.
અમિતાભ બચ્ચન પ્રકાશ મહેરાની ફિલ્મ જંજીર કરીને ફેમસ થયા હતા. તેમણે રાતોરાત એટલી ખ્યાતિ મેળવી કે તે જમાનાના સુપરસ્ટાર રાજેશ ખન્નાના સ્ટારડમ તેની સામે ઝાંખા પડવા લાગ્યા.
બાદમાં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાએ ફિલ્મ ‘નમક હરામ’માં સાથે કામ કર્યું હતું. રાજેશ ખન્નાએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેમણે લિબર્ટી સિનેમામાં ફિલ્મ ‘નમક હરામ’નો ટ્રાયલ શો જોયો ત્યારે તેમને ખબર પડી કે તેમનો યુગ પૂરો થઈ ગયો છે.
અમિતાભ બચ્ચને 2012માં આવેલી ફિલ્મ અગ્નિપથમાં વિજય દીનાનાથ ચૌહાણની ભૂમિકા ભજવી હતી. અમિતાભ આ નામથી ખૂબ જ ફેમસ થયા. બહુ ઓછા લોકો જાણે છે કે બિગ બીએ ‘વિજય’ નામનું પાત્ર 20 વખત પડદા પર ભજવ્યું છે.
બિગ બીએ ઘણી ફિલ્મોમાં ડબલ રોલ કર્યા છે. અત્યાર સુધી તેઓ કુલ 12 ફિલ્મોમાં ડબલ રોલ કરતા જોવા મળ્યા છે. તેમણે ફિલ્મ ‘મહાન’માં ટ્રિપલ રોલ કર્યો હતો.
ફિલ્મ ઝંજીરની સફળતા બાદ પ્રકાશ મહેરાએ સ્ટારકાસ્ટને વિદેશ પ્રવાસે લઈ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ અમિતાભ બચ્ચનના પિતાજી તેમના અને જયાના સંબંધોથી વાકેફ હતા. તેથી તેમણે કહ્યું હતું કે તે જયાની સાથે લગ્ન કર્યા પછી જ તેની સાથે વિદેશ જઈ શકશે. આવી સ્થિતિમાં અમિતાભ અને જયાએ તરત જ લગ્ન કરી લીધા.
1988માં અમિતાભ બચ્ચને ફિલ્મ ‘શહેનશાહ’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના શાનદાર અભિનય અને તેમની કારકિર્દી પ્રત્યેના સમર્પણને કારણે તેમને બોલિવૂડના ‘શહેનશાહ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. ફિલ્મનો એક ડાયલોગ – ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ ‘શહેનશાહ’ તેમની ઓળખ બની ગયો.
58 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને તેમની કારકિર્દીની ટોચ પર તેમની અભિનય કારકિર્દી છોડી દીધી અને 2 વર્ષ માટે એકાંતવાસમાં ગયા. તેમણે સ્વિટ્ઝર્લેન્ડમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું જ્યાં તેઓ એકલા રહેતા હતા. આ વાતનો ખુલાસો તેના કો-સ્ટાર રજનીકાંતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
અમિતાભ બચ્ચન 3190 કરોડની સંપત્તિના માલિક છે. તેમણે હયાતીમાં તેમની મિલકતના વારસદારનું નામ જાહેર કર્યું છે. કૌન બનેગા કરોડપતિના એક એપિસોડમાં બિગ બીએ કહ્યું હતું કે તેમની પાસે જે પણ છે તે તેમના બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવશે.
અલ્હાબાદમાં જન્મ થયો
અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર, 1942ના ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ હરિવંશ રાય બચ્ચન હતું, જેઓ હિન્દી વિશ્વના પ્રખ્યાત કવિ હતા. તેમની માતાનું નામ તેજી બચ્ચન હતું.
વર્ષમાં બે વાર ઉજવે છે જન્મ દિવસ
અમિતાભ બચ્ચન તેમનો જન્મદિવસ વર્ષમાં એક નહીં પરંતુ બે વાર ઉજવે છે, જેનું એક ખાસ કારણ છે. 11મી ઓક્ટોબરે પ્રથમ જન્મદિવસ ઉજવે છે. તેમનો જન્મ આ દિવસે થયો હતો અને 2 ઓગસ્ટના તેમનો બીજો જન્મદિવસ ઉજવે છે. વર્ષ 1982માં આ દિવસે તેમનો બીજી વખત જન્મ થયો હતો. આ દિવસે તે મૃત્યુના મૃખમાંથી પાછા ફર્યા હતા. વાસ્તવમાં ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન બિગ બીનો બેંગલુરુમાં અકસ્માત થયો હતો, જે દરમિયાન તેઓ મરતા મરતા બચ્યા હતા. 24 જુલાઈ 1982ના બેંગલુરુમાં ફિલ્મ ‘કુલી’ના એક્શન સીન દરમિયાન અમિતાભ બચ્ચનને આકસ્મિક રીતે પુનીત ઈસારેએ પેટમાં મુક્કો માર્યો હતો. એટલું જ નહીં ડોક્ટરોએ અમિતાભ બચ્ચનને મૃત જાહેર પણ કરી દીધા હતા. 2 ઓગસ્ટના તેમણે અચાનક અંગૂઠો હલાવ્યો હતો. આ પછી ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો.
અમિતાભનું સાચુ નામ આ હતુ
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના પિતા ઉત્તર પ્રદેશના હતા. તે કાયસ્થ પરિવારના હતા અને માતા શીખ પરિવારમાંથી છે. અમિતાભ બચ્ચનનું સાચું નામ ઇંકલાબ શ્રીવાસ્તવ હતું, જે પછી બદલાઈ ગયું હતું. અમિતાભ બચ્ચને તેમની અટક બદલી. તેમની અટક શ્રીવાસ્તવ હતી, જે બદલીને બચ્ચન કરવામાં આવી હતી. અમિતાભે પોતે આ વિશે વાત કરી હતી.
કેમ બદલી અમિતાભએ સરનેમ?
કૌન બનેગા કરોડપતિમાં તેમણે કહ્યું હતું કે બચ્ચન અટક તેના પિતાજી હરિવંશ રાય બચ્ચનની ભેટ છે. અમિતાભે કહ્યું- મારા પિતા જાતિના બંધનમાં બંધાવા માંગતા ન હતા. તે મુક્ત થવા માંગતા હતા. કવિ હોવાને કારણે તેમને બચ્ચન અટક મળી. પછી જ્યારે હું એડમિશન માટે શાળામાં ગયો ત્યારે શિક્ષકે મારી અટક પૂછી અને મારા પિતાએ મને કહ્યું કે મારી અટક બચ્ચન છે. ત્યારથી બચ્ચન અટક શરૂ થઈ. તમે અમારી અટક પરથી જાતિ વિશે જાણી શકશો નહીં. એટલા માટે પિતાએ જાણી જોઈને આવું કર્યું. હું નસીબદાર છું કે હું આવા પરિવારમાં જન્મ્યો છું અને બચ્ચન અટક સાથે જન્મ્યો છું.
વર્ક ફ્રન્ટ પર અમિતાભ બચ્ચન છેલ્લે ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભ અશ્વત્થામાના રોલમાં હતા. ફિલ્મમાં અમિતાભના રોલના સૌથી વધુ વખાણ થયા હતા. હવે અમિતાભ બચ્ચન તમિલ ફિલ્મ વેટ્ટાયનમાં જોવા મળશે. આ સિવાય તેમના હાથમાં આંખ મિચોલી 2 પણ છે.