કેન્દ્રએ નવી ગાઈડલાઈન જાહેર કરી
જન ગણ મન પહેલાં 3 મિનિટ 10 સેક્ધડનું વંદે માતરમ વાગશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે 28 જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું છે કે હવે સરકારી કાર્યક્રમો, શાળાઓ કે અન્ય ઔપચારિક આયોજનોમાં ‘વંદે માતરમ્’ વગાડવામાં આવશે. આ દરમિયાન દરેક વ્યક્તિનું ઊભા રહેવું ફરજિયાત રહેશે. ન્યૂઝ એજન્સી ઙઝઈં અનુસાર, આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે જો રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ અને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સાથે ગાવામાં કે વગાડવામાં આવે તો પહેલા વંદે માતરમ્ ગાવામાં આવશે. આ દરમિયાન ગાનારા કે સાંભળનારાઓએ સાવધાન મુદ્રામાં ઊભા રહેવું પડશે. આદેશ મુજબ તમામ શાળાઓમાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીત વગાડ્યા પછી જ થશે. નવા નિયમો અનુસાર, રાષ્ટ્રગીતના તમામ 6 અંતરા ગાવામાં આવશે, જેનો કુલ સમયગાળો 3 મિનિટ 10 સેક્ધડ છે. અત્યારસુધી મૂળ ગીતના પહેલા બે અંતરા જ ગાવામાં આવતા હતા. જોકે આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કયા-કયા પ્રસંગોએ રાષ્ટ્રગીત ગાઈ શકાય છે, એની સંપૂર્ણ યાદી આપવી શક્ય નથી. આ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રગીતના ગાયન અંગે વિગતવાર પ્રોટોકોલ જારી કરવામાં આવ્યા છે. કેન્દ્ર હાલમાં વંદે માતરમનાં 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કાર્યક્રમો ઊજવી રહ્યું છે.



