ટૂંક સમયમાં સત્તાવાર નિયમ અમલમાં આવશે
વ્યક્તિગત ધિરાણોમાં અપનાવાતા માપદંડ હવે પ્રાયોરિટી સેક્ટરમાં અપાતા ધિરાણમાં પણ લાગું થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વધુ એક વખત વ્યાજદર યથાવત રાખીને લોન ધારકોને વ્યાજદર ઘટવાની રાહ વધુ લાંબી બનાવી છે તો બીજી તરફ બેંકો અને નોન-બેન્કીંગ ફાયનાન્સરોને સ્પષ્ટ સુચનામાં જણાવ્યું છે કે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો તેમજ સહાસિકોને અપાતી લોન જો તેની મુદત પહેલા ભરપાઇ કરવામાં આવે તો તેના પર કોઇ પેનલ્ટી કે વધારાનો ચાર્જ લઇ શકાશે નહીં. આ નિયમ બેંકો દ્વારા નોન-બિઝનેસ હેતુથી વ્યકિતગત જે ધિરાણ થાય છે તેને લાગુ પડે છે અને તેમાં લઘુ અને માઇક્રો એન્ટરપ્રિનીયોર્સને પણ આવરી લેવાયા છે. રિઝર્વ બેન્કે આ અંગે ટુંક સમયમાં ક્ધસ્લટેશન પેપર પણ રજુ કરવામાં આવશે. બેંકો જે એમએસએમઇને ફ્લોટીંગ રેટ પર ટર્મ લોન સહિતના ધિરાણ આપે છે તેમાં પ્રાયોરીટી સેક્ટરનું લેન્ડીંગ હોવા છતાં જો આ પ્રકારના ધિરાણ સમય પૂર્વે ભરપાઇ કરવામાં આવે તો બેંક તેના પર વધારાની પેનલ્ટી અને ચાર્જ લે છે. આ અંગે અનેક સંગઠનોએ રીઝર્વ બેન્ક સમક્ષ રજુઆત કરી હતી.
એમએસએમઇ સંગઠનનો દાવો છે કે જ્યારે તેમનો બિઝનેસ યોગ્ય રીતે ચાલતો હોય તો બેન્ક સાથેનું વાતાવરણ સારું રહે છે પરંતુ વ્યાપારમાં જરા પણ અડચણ આવે તો બેન્ક તુર્ત જ પેનલ્ટી અને ચાર્જીસ તેમજ ચક્રવૃધ્ધિ વ્યાજ વસુલવાનું શરુ કરી દે છે અને ખાસ કરીને પ્રિ-પેમેન્ટ પર આ પ્રકારના ચાર્જ વસુલાય છે. જેના પરથી આરબીઆઇ હવે પ્રિ-પેનલ્ટી ચાર્જ કે કોઇ વધારો વ્યાજદર નહીં વસુલવા બેંકોને આદેશ આપ્યો છે.