અમેરિકા અને બ્રિટનથી પણ આગળ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં કોરોના વાયરસની રસીના ડોઝ લેવાની સંખ્યા 32 કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં રવિવારના 17,21,268 ડોઝ લગાવવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધીની કુલ સંખ્યા 32,36,63,297 થઈ ગઈ છે. આ સાથે જ દુનિયાભરમાં ભારત સૌથી વધારે રસીકરણ કરનારો દેશ બની ગયો છે. ગ્લોબલ વેક્સિન ટ્રેકરના એક રિપોર્ટ પ્રમાણે બ્રિટન, અમેરિકા, ઇટાલી, જર્મની, ફ્રાન્સ અને ભારતમાં રસીકરણની ગતિ તેજ છે.
રસપ્રદ વાત એ છે કે ભારતમાં રસીકરણ આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું, જ્યારે બ્રિટનમાં 8 ડિસેમ્બરના, અમેરિકામાં 14 ડિસેમ્બર, ઇટાલી, જર્મની અને ફ્રાન્સમાં 27 ડિસેમ્બરના રસીકરણની શરૂઆત થઈ. રિપોર્ટ પ્રમાણે સોમવાર 28 જૂનની સવારે 8 વાગ્યા સુધી બ્રિટનમાં 7,67,74,990, અમેરિકામાં 32,33,27,328, ઇટાલીમાં 4,96,50,721, જર્મનીએ 7,14,37,514 અને ફ્રાન્સમાં અત્યાર સુધી 5,24,57,288 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં આ સંખ્યા 32,36,63,297 છે.
- Advertisement -
ભારતમાં ઑનલાઇન અને ઑનસાઇટ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા છે. વેક્સિનેશન કરાવનારા નાગરિક કો-વિન પોર્ટલ, આરોગ્ય સેતુ અથવા ઉમંગ એપ દ્વારા વેક્સિનેશન કરાવી શકે છે. આ સાથે જ રસીકરણ કેન્દ્ર પર પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. દેશમાં ત્રીજા તબક્કાના વેક્સિનેશન માટે ઈજ્ઞઠશક્ષ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થયું હતું. ભારતમાં રસીકરણ અભિયાનનો 163મા દિવસે 27 જૂનના 13.9 લાખના પહેલો અને 3.3 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો. દેશમાં આ વર્ષે 1 એપ્રિલથી 45 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ 1 મેના 18-44 ઉંમરના લોકો માટે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રસીને લઈને લોકોના મનમાંથી ખચકાટ દૂર કરવા માટે મનકી બાતમાં કહ્યું હતું કે, એ સમજવાની ભૂલ ના કરતા કે મહામારી ખત્મ થઈ ગઈ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. આ કારણે તેનાથી બચવા માટે કોરોના સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવું અને રસી લેવી એ જ ઉપાય છે.