કોંગ્રેસના તમામ નેતાઓ દેશભરમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. જે રીતે સોનિયા ગાંધીને ઈડીની નોટિસ મોકલવામાં આવી છે તેના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ 21 જુલાઈએ વિરોધ કરશે. તમને જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા ગાંધીને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં ઈડી દ્વારા રાહુલ ગાંધીને પણ નોટિસ મોકલવામાં આવી છે. રાહુલ ગાંધીએ ઈડીના કાર્યાલયમાં 30 કલાકથી વધુ સમય પસાર કરી ચૂક્યા છે. અહીં ઈડીએ તેમને નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા ઘણા અલગ-અલગ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા.
આજે પાર્ટી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે જેમાં તમામ સચિવો, પ્રદેશ પ્રભારી, પીસીસી ચીફને બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં ભારત જોડો યાત્રાના કાર્યક્રમ અને સંગઠન અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પાર્ટીના ટોચના નેતાઓ શામેલ થશે અને આ દરમિયાન વિરોધ પ્રદર્શન અને લોકો સુધી પહોંચવાના અન્ય
કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
- Advertisement -
નોંધનીય છે કે સંસદનુ ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થઈ રહ્યુ છે. આ સ્થિતિમાં કોંગ્રેસના સાંસદો પણ ગૃહની અંદર વિરોધ પ્રદર્શન કરી શકે છે.