યુએસ કોર્ટે ઓગસ્ટ 2024માં પોતાનો ચુકાદો આપતી વખતે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત મોકલવાની મંજૂરી આપી હતી, જોકે હવે હવે ભારત તેને જલ્દી પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે
અમેરિકામાં ભારતને મોટી સફળતા મળી છે. વાસ્તવમાં 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકન કોર્ટે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી છે. નોંધનિય છે કે, ઓગસ્ટ 2024માં પોતાનો ચુકાદો આપતી વખતે યુએસ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત મોકલવાની મંજૂરી આપી હતી. હવે ભારત તેને જલ્દી પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યું છે.
- Advertisement -
તહવ્વુર રાણા પર 26/11ના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ છે. હેડલીએ મુંબઈના સ્થળોની તપાસ હાથ ધરી હતી. આ પહેલા ભારતે અમેરિકન કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા, જેમાં રાણાની સંડોવણી સ્પષ્ટ જોવા મળી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં રાણા સામેના આરોપો અમેરિકન કોર્ટમાં ચાલી રહેલા કેસ કરતાં અલગ છે. બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ તેને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે.
2009માં શિકાગોથી કરાઇ હતી તહવ્વુર રાણાની ધરપકડ
નોંધનિય છે કે, FBIએ 2009માં શિકાગોથી રાણાની ધરપકડ કરી હતી. તે પાકિસ્તાનની ISI અને લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હોવાનું કહેવાય છે. હવે તેને ભારત લાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોર્ટે તહવ્વુર રાણાને આતંકવાદી સંગઠનને મદદ કરવા અને ડેનમાર્કમાં આતંકવાદી હુમલાનું નિષ્ફળ ષડયંત્ર રચવા બદલ દોષી ઠેરવ્યો હતો. જોકે કોર્ટે ભારતમાં હુમલાના આરોપોને ફગાવી દીધા હતા પરંતુ કહ્યું હતું કે, તે મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતો અને તેને ભારતને પ્રત્યાર્પણ કરવું જોઈએ.
- Advertisement -
કોણ છે તહવ્વુર રાણા?
તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 10 વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે કામ કર્યું. પરંતુ તહવ્વુર રાણાને તેમનું કામ ગમ્યું નહીં અને તેણે નોકરી છોડી દીધી. ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તહવ્વુર રાણા હાલમાં કેનેડાનો નાગરિક છે. પરંતુ તાજેતરમાં તે શિકાગોનો રહેવાસી હતો જ્યાં તેનો વ્યવસાય છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર તેણે કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઈંગ્લેન્ડમાં મુસાફરી કરી છે અને તે લગભગ 7 ભાષાઓ બોલી શકે છે.
કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે, 2006થી નવેમ્બર 2008 સુધી તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ સમય દરમિયાન તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત ઉલ જેહાદ-એ-ઈસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના ઘડી અને તેને અમલમાં લાવવામાં મદદ કરી. આતંકી હેડલી આ કેસમાં સરકારી સાક્ષી બન્યો છે.