સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોનીની પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ શહેરની ધાર્મિક પ્રજાને ધ્યાનમાં રાખી રામમંદિરની આબેહુબ પ્રતિકૃતિ બનાવી રામ ભગવાનની પાદુકાના પૂજન-અર્ચન રથને તૈયાર કરાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર ભાજપના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપની સંગઠન પ્રક્રિયા અંતર્ગત શહેર ભાજપ પ્રમુખથી લઈ વોર્ડ, શક્તિ કેન્દ્ર અને બુથ સુધી સંગઠનની રચના કરવામાં આવી છે ત્યારે સંગઠનલક્ષી કાર્યક્રમો યોજી પાર્ટીને વધુ વટવૃક્ષ બનાવવાના આશયથી પાર્ટીની વિચારધારા સાથે કાર્યકર્તાઓને જોડી આગામી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થાય અને શહેરનું સંગઠન ગુજરાતમાં શીરમોર રહે તે માટે કાર્યકર્તા કટિબદ્ધ બન્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પંચનિષ્ઠાને વરેલી પાર્ટી છે ત્યારે ખાસ કરીને સામાજિક સમરસતાનું સ્થાપન થાય એ મંત્ર સાથે છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થાય અને સમાજના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શોષિતો, પીડિતો અને દરેક વર્ગને સમાન ન્યાય મળે તેવા ઉદ્દેશથી કામ કરતા ભાજપ પક્ષના કાર્યકર્તાઓ પોતાની નિષ્ઠાથી કામ કરે છે ત્યારે કાર્યકર્તાઓની સાથે સીધો સંવાદ કરવા અને તેના કાર્યને બિરદાવવા માટે શહેર ભાજપ પ્રમુખ બન્યા પછી મુકેશભાઈ દોશીએ શહેરના વોર્ડ નં. 1-18માં વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને મળી તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના વોર્ડમાં પ્રવાસ કરી 4500 કાર્યકર્તાઓ સાથે મળી તેમને ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે સીધો જનસંપર્ક કરી લોકોની વચ્ચે રહેવા તેના દરેક પ્રસંગમાં રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશના કારીગરો માટે એક યોજના વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે જેમાં 18થી વધુ ટ્રેડનો સમાવેશ થયો છે. જેમાં દરજી, ધોબી, ઢીંગલી અને રમકડાંની બનાવટ (પરંપરાગત), વાણંદ (નાઈ), શિલ્પકાર, મૂર્તિકાર, પથ્થરની કામગીરી કરનાર, ફૂલોની માળા બનાવનાર, કુંભાર, કડીયા, લુહાર, સુથાર, મોચી, સોની, બાસ્કેટ મેટ સાવરણી બનાવનાર, બખ્તર બનાવનાર (આર્મરર) બોટ બનાવનાર, હથોડી અને ટુલકીટ બનાવનાર, તાળા રીપેર કરનાર સહિતના હાથ વડે કામગીરી કરતાં તમામ કારીગરો સહિત સમાજના અઢારે વર્ગના જ્ઞાતિના આ યોજનાનો લાભ લઈ શકશે.
22 જાન્યુઆરીને યાદગાર બનાવવા અને નૂતન દિવાળી જેવો માહોલ બને તે માટે વોર્ડવાઈઝ આયોજનો શરૂ
- Advertisement -
તમામ શ્રેણીના કાર્યકર્તાઓને બુથ, શક્તિ કેન્દ્ર, વોર્ડ અને મહાનગર કક્ષાએ ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપાશે
સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો આ યોજનાને પાત્ર રહેશે નહીં
હાથ વડે કામગીરી કરતાં તમામ કારીગરો આ યોજનાનો લાભ લઈ શકશે. આ લાભ કુટુંબદીઠ એક સભ્ય સુધી મર્યાદિત રહેશે. લાભાર્થીની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. યોજનાનો લાભ લેનારે છેલ્લાં 5 વર્ષમાં સ્વરોજગાર – વ્યાવસાયિક વિકાસ માટે ધિરાણ યોજનાઓ હેઠળ લોન લીધેલી ન હોવી જોઈએ જેમ કે પીએમઇજીપી અને પ્રધાનમંત્રી સ્વનિધિ, મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિના લાભાર્થીઓ જેમણે તેમની લોનની ચૂકણી કરી દીધી હોય તેઓ પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા યોજના હેઠળ લાભ મેળવી શકશે. સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો આ યોજનાને પાત્ર રહેશે નહીં.
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશવાસીઓ રામમય બન્યા છે ત્યારે આ મહોત્સવની ઉજવણીમાં સહભાગી થવા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અયોધ્યાના રામમંદિરની આબેહુબ પ્રતિકૃતિનો રથ શણગારી રથમાં રામજીની પાદુકાનું રાજકોટ શહેરીજનો પૂજન-અર્ચન કરી શકે તે માટે એક ભવ્ય ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ આગામી તા. 22 જાન્યુઆરીના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસને યાદગાર બનાવવા માટે શહેરના તમામ વોર્ડમાં મંદિરોમાં રોશની, ઘર ઘર દિવાઓ પ્રગટાવી, રંગોળી અને આ દિવસે સેવાકીય કાર્યક્રમો થાય તે માટે આયોજન કરી રહ્યા છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભામાં પાંચ લાખથી વધુ લીડથી ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે માઈક્રોપ્લાનીંગ કરવામાં આવશે. તમામ શ્રેણીના કાર્યકર્તાઓને બુથ, શક્તિ કેન્દ્ર, વોર્ડ અને મહાનગર કક્ષાએ ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપાશે. વધુમાં ઉપરોક્ત અગ્રણીઓએ જણાવ્યું હતું કે વિધાનસભાવાઈઝ 50 હજાર નમો એપ ડાઉનલોડ કરાવવી તેમજ ધારાસભ્યો દ્વારા પણ નમો એપ ડાઉનલોડ થાય તે માટેના પ્રયત્ન કરવા, નમો એપ ડાઉનલોડ કરાવવા વિસ્તાર કે 7 દિવસ સુધી અન્ય વોર્ડમાં વિસ્તારક તરીકે જવાનું અને તેમનો મુખ્ય ઉદ્દેશ નમો એપ ડાઉનલોડ કરાવવાનો રહેશે. માઈક્રો-ડોનેશન -નમો એપ ડાઉનલોડ કરાવી નમો એપના માધ્યમથી મીનીમમ રૂા. 5થી ડોનેશન કરાવવાનો રહેશે તેમજ આગામી દિવસોમાં ટૂંક સમયમાં જ શહેર ભાજપ કારોબારી, વિશેષ આમંત્રિત, કાયમી આમંત્રિત સહિત જમ્બો કારોબારીની રચના કરવામાં આવશે.
આગામી દિવસોમાં વિકસિત રાષ્ટ્ર થાય તે માટે પ્રયત્નો કરવાના રહેશે તેમજ વિકસિત ભારતના એમ્બેસેડર તરીકે નામ જાહેર કરવાના રહેશે. આગામી લોકસભામાં ભાજપનો મતદારનો રેસીયો 51 ટકાથી વધુ થાય તે માટેના પ્રયત્નો કરવાના રહેશે. ભાજપ જોડો અભિયાન આપણા વિસ્તારમાં સારા લોકોને ભાજપ સાથે જોડવાનું કામ કરવાનું રહેશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના દિવસ સુધી કોર્પોરેશનના માધ્યમથી શહેરના તમામ મંદિરોમાં સફાઈ અભિયાન કરવાનું રહેશે. અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિની સ્થાપના દિવસ તા. 22ના રોજ દરેક ઘરે દીપ પ્રાગટ્ય થાય, રંગોળી થાય તે માટેનો વ્યાપક સ્વરૂપે પ્રયત્ન કરવાના રહેશે તેવું અંતમાં
જણાવ્યું હતું.