By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    6 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    6 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    6 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    3 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    4 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    4 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    4 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    5 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    6 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અંધશ્રદ્ધા-સુપરસ્ટિશનમાં જીવતો આધુનિક સમાજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અંધશ્રદ્ધા-સુપરસ્ટિશનમાં જીવતો આધુનિક સમાજ
Author

અંધશ્રદ્ધા-સુપરસ્ટિશનમાં જીવતો આધુનિક સમાજ

Khaskhabar Editor
Last updated: 2023/12/09 at 5:04 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

આજની તારીખમાં આપણે જ્યારે હરણફાળ ભરતા સાયન્સ અને લેટેસ્ટ ટેકનોલોજી વાળા સમયમાં જીવી રહ્યા છીએ, ત્યારે પણ આપણામાંથી મોટાભાગના કંઈકને કઈક જગ્યાએ રોજિંદા જીવનમાં અંધશ્રદ્ધાઓને પાળવી રહ્યા છે અથવા ભોગ બની રહ્યા છે. આ માટે માત્ર અભણ પ્રજા જ જવાબદાર છે એવું નથી. અંધશ્રધ્ધાની માન્યતાઓ દુનિયાભરમાં પ્રગતિશીલ દેશોમાં પણ પ્રચલિત છે. અંધશ્રદ્ધાનો ઘેરાવો ઓછાવત્તા અંશે સમાજના દરેક વર્ગમાં રહેલો હોય છે. છતાં અજ્ઞાનતા હોય ગરીબી હોય ત્યાં અંધશ્રધ્ધા વધારે પડતી હોય છે. મોટાભાગની બધી અંધશ્રદ્ધાઓ સદીયો જૂની ચાલતી આવી રહી છે. જેમાંની વધારે કરીને શિક્ષણ જ્ઞાન અને વિજ્ઞાન સાથે બદલાઈ ગઈ છે છતાં કેટલીક માન્યતાઓ હજુ પણ લોકોના મનમાં ડર બનીને જીવંત રહી છે. જેમકે કાળી બિલાડી રસ્તો રોકે ત્યારે કામમાં વિઘ્ન આવે. દૂધ ઢોળાય તો અપશુકન થાય વગેરે.. જોકે આવું ક્યાય પુરવાર નથી થયું છતાં અનેક દેશોમાં આ માન્યતાને ઘણા લોકો સાચી માને છે.

આધુનિક ગણાતા અમેરિકનોના દિમાગ ઉપર પણ ઘણી અંધશ્રદ્ધાઓ હજુ પ્રભાવિત છે

- Advertisement -

મોટાભાગના અમેરિકનો પોતાને ઓછામાં ઓછો અંધશ્રદ્ધાળુ માને છે. છતાં પણ 13 નંબરનો આંકડો અને તેમાય 13 તારીખે આવતો શુક્રવારને તેઓ અપશુકનીયાળ દિવસ માને છે

આધુનિક ગણાતા અમેરિકનોના દિમાગ ઉપર પણ ઘણી અંધશ્રદ્ધાઓ હજુ પ્રભાવિત છે, જેને સમજવા માટે થોડા સમય પહેલા સંશોધનકારોએ કરેલા સર્વે પ્રમાણે 2,000 લોકો માંથી 40 ટકા લોકો અંધશ્રદ્ધાળુ નીકળ્યા.
અમેરિકનોમાં વધુ પ્રચલિત અંધશ્રદ્ધાઓ વિષે જો વાત કરીએ તો, કોઈ પણ વાત બોલ્યા પછી સાચી ના પડી જાય એ માટે લાકડા ઉપર ટકોરા મારવા, રાત્રે તુટતા તારાને જોઈ વીશ કરવી. અરીસાનું તૂટી જવું અશુભ ગણાય છે સાથે તૂટેલા અરીસાને ઘરમાં ના રાખવો, ખરાબ સમાચાર ત્રણના જોડકામાં આવે. ઘરની અંદર છત્રી ખોલવાથી ખરાબ નશીબ અંદર આવે, રસ્તામાં પૈસો મળે તો નશીબ ખુલે, જો કોઈએ ઘુવડ જોયું અથવા ઘરના છાપરાં ઉપર બેસી બોલતું સાંભળ્યું, તો કોઈ મરી જશે. વગરે માન્યતાઓ આજે પણ વ્યાપક છે.
જોકે મોટાભાગના અમેરિકનો પોતાને ઓછામાં ઓછો અંધશ્રદ્ધાળુ માને છે. છતાં પણ 13 નંબરનો આંકડો અને તેમાય 13 તારીખે આવતો શુક્રવારને તેઓ અપશુકનીયાળ દિવસ માને છે. આ પાછળનું જવાબદાર કારણ અંતિમ સપરમાં, ઈસુ સાથે દગો કરનાર શિષ્ય જુડાસ સાથે ટેબલ પર બેસનારી 13 વ્યક્તિઓ હતી.
આવીજ રીતે દુનિયાના ઘણા દેશોમાં અલગ અલગ માન્યતાઓ રહેલી છે. સામાન્ય માન્યતાઓ સહનીય હોય છે પરંતુ જ્યારે તે કોઈ જાતી ઉપર તેની અમુક સ્થિતિ ઉપર આવીને તે અટકી જાય ત્યારે એ કુરૂપ અને દયનીય બની જાય છે.
પોતાનો ધર્મ તેના વિચારો, સાચા અને મહાન છે તે પુરવાર કરતા દુનિયામાં કેટલાય ધર્મના અખાડા ખુલ્લા પડી રહ્યા છે. પાખંડી સાધુઓ પોતાની વાત સાચી પુરવાર કરવા પોતાની કથા અને પ્રવચનોમાં ખોટા દાખલા આપીને કે પાપ પુણ્યની બીક આપી સમાજને અવળા માર્ગે ચઢાવી રહ્યા છે. આ બધું ભારત જેવા ધર્મભીરુ દેશોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. પશ્ચિમના દેશોમાં ભલે ધર્મમાં લોકોને શ્રદ્ધા ઓછી હશે, પરંતુ આવી વાહિયાત અંધશ્રધ્ધાને તેઓ ખાસ હવા આપતા નથી.
થોડો સમય પહેલા સોશ્યલ મીડિયા ઉપર કોઈ સ્વામી ના નિવેદનને કારણે હોબાળો મચ્યો હતો. જેમાં કહ્યા મુજબ “માસિકધર્મ દરમિયાન સ્ત્રી ખાવાનું બનાવી પતિને જમાડે તો બીજા જન્મમાં કુતરીનો અવતાર ધારણ કરે છે અને અને એનું જમનારને પાડાનું સ્વરૂપ મળે.” હવે ઘરમાં કોઈ રાંધનાર ના હોય પતિ અને બાળકો ભૂખ્યા બેઠા હોય તો શેનો અવતાર મળે તે વાત કહેવાનું એ સ્વામી ચુકી ગયા છે. કારણ આવી કોઈ વાત ધર્મમાં હોય જ નહિ. આ વાતને કારણે સમાજમાં ખાસ્સો રોષ ફેલાયો, છતાં શું બધા તેના મૂળને સમજી અને સ્વીકારે છે ખરા?
ઘણા બધા અંધવિશ્વાસમાં કોઈને શારીરિક તકલીફ કે માનસિક દબાણ મળતું હોય તો એ માસિક સ્રાવ દરમિયાન સ્ત્રીઓને સહન કરવાનું બને છે. જે ઘટના કે સ્થિતિ છોકરીઓ માટે અનન્ય છે, જે સ્ત્રીઓના જીવનનું મહત્વનું પાસું છે તે હંમેશા વિવાદો થી ઘેરાએલુ રહ્યું છે. જેની ખુલ્લેઆમ તે વિષે ચર્ચા કરવામાં શરમ નડે છે. પરંતુ આવા સમયમાં સ્ત્રીઓને એકલી દુર બેસાડીને વર્તન દ્વારા ખુલ્લી પણ પડાય છે.
બદલાતા સમય સાથે હવે જ્યારે સ્ત્રી ઘરની ચાર દીવાલો છોડી સમાજમાં પુરુષના ખભેખભા મિલાવી કામ કરી રહી છે ત્યારે ખોટી માન્યતાને છાપરે ચડાવી સ્ત્રીઓને તેમના ભાગની ખુશી અને હક અપાવવા સહુએ સાથ આપવો જોઈએ. આ સમસ્યા માત્ર પછાત દેશોની છે એવું નથી સુશિક્ષિત દેશોમાં પણ સ્ત્રીઓની સ્થિતિ કૈક અંશે સરખી જોવા મળે છે.
અમેરિકન પ્રજામાં પણ કેટલાક સ્ત્રીઓની માસિક અવસ્થા દરમિયાનની સ્થિતિ ઉપર મંતવ્યો ધરાવે છે. જેમકે કેમ્પિંગમાં ન જશો કારણ કે રીંછ આ સ્થિતિમાં તેને દૂરથી સૂંધી શોધી શકે છે. જે કૈક અંશે સાચું પણ હોઈ શકે છતાં માન્યતા છે. કેટલાક અમેરિકાનો માને કે જ્યાં સુધી માસિક અવસ્થામાં નાં આવે ત્યાં સુધી યુવતીએ વાળ પર્મ ( વાંકોડીયા) કરાવવા જોઈએ નહિ. ઇઝરાયેલમાં પ્રથમ વખત ટાઈમ ઉપર બેસે ત્યારે સ્ત્રીએ પોતાના ગાલ ઉપર થપ્પડ મારવી. જેથી આખી જીંદગી તેના ગાલ લાલ રહે. કોલંબિયામાં વાળ ધોવા નહિ કે કાપવા નહિ. ઠંડા પીણાં પીવાથી તાણ આવે. પોલેન્ડમાં તો આનાથી આગળ વધીને અંધશ્રદ્ધા જોવા મળી, કે આ સમય દરમિયાન સેક્સ કરવાથી પાર્ટનરની હત્યા થઇ શકે છે. રોમમાં માનવામાં આવે છે કે ફૂલોને સ્પર્શ કરવાથી તે મુરઝાઈ જાય છે. જે સ્ત્રી માસિકમાં આવતી હોય તેના દ્વારાજ ફૂલ સરીખા બાળકનું અવતરણ શક્ય બને છે તો પછી આવી વાહિયાત માન્યતાઓ શેના આધારે નક્કી થઇ હશે તે આજે પણ સમજાતું નથી. મલેશિયામાં માનવામાં આવે છે કે વાપરેલા પેડ્સ ફેંકી દેતા પહેલા તેને ધોવાની જરૂર છે. નહીં તો ભૂત આવીને તમને ત્રાસ આપશે.

ભારતીય સંસ્કૃતીમાં રોજીંદા જીવનમાં ધર્મ, આયુર્વેદ અને વૈજ્ઞાનિક કારણો આપી આવી જૂની પ્રથાઓને સાચી પુરવાર કરવા પ્રયત્નો કરાયા છે

- Advertisement -

માસિકધર્મ મહિનામાં ચાર થી છ દિવસ ચાલતી સ્ત્રીની સામાન્ય શારીરિક ધટના છે જેની જાહેરમાં ચર્ચા કરવી અયોગ્ય ગણાય છે છતાં તેને બહુ મોટું સ્વરૂપ આપી દેવાયું છે

ભારતીય સંસ્કૃતીમાં રોજીંદા જીવનમાં ધર્મ, આયુર્વેદ અને વૈજ્ઞાનિક કારણો આપી આવી જૂની પ્રથાઓને સાચી પુરવાર કરવા પ્રયત્નો કરાયા છે. જે મોટાભાગનાં પોકળ પુરવાર થયા છે.
જોકે શિક્ષણ સાથે ઘણું બદલાયું છે. એ સમાજના હિતમાં પણ છે. જેમકે બાળકીને દૂધપીતી કરવી, સતી પ્રથા, બાળલગ્નો વગેરે કુરિવાજો ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો છે. અજન્મી બાળકીને જ શા માટે અવતરતા રોકવામાં આવતી હતી? આનું એક પણ સાચું કારણ ક્યાય મળતું નથી. આજે પણ છાનીછપની આ પ્રવૃત્તિ ચાલીજ રહી છે. આજે પણ કેટલાય સમાજમાં વિધવા સ્ત્રીઓને પુરતો ન્યાય અપાતો નથી. વિધવા સ્ત્રીએ સમાજથી અલગ એકાંતમાં જીવન વિતાવવું પડે છે. લગ્ન જન્મ જેવા આનંદના પ્રસંગમાં તેને અપશુકનીયાળ માની દુર રાખવામાં આવે છે. જ્યારે આવા કોઈ બંધન વિધુર પુરુષ માટે નથી એ દેખીતો ભેદભાવ છે. અહી કોઈ વિજ્ઞાન કે ધર્મની દલીલ સાચી નથી.
માસિકધર્મ મહિનામાં ચાર થી છ દિવસ ચાલતી સ્ત્રીની સામાન્ય શારીરિક ધટના છે જેની જાહેરમાં ચર્ચા કરવી અયોગ્ય ગણાય છે છતાં તેને બહુ મોટું સ્વરૂપ આપી દેવાયું છે. મોટે ભાગે ધાર્મીક અને પરંપરાગત માન્યતા મુજબ આ દીવસો દરમીયાન તે સ્ત્રી ધાર્મીક પ્રસંગોમાં ભાગ લઈ શકતી નથી. ઈશ્વરના દર્શન કરી શકતી નથી કે પ્રસાદ ખાઈ શકતી નથી! સાથે સાથે ઘરમાં રસોડે કે પાણીના માટલે તેને અડકવાની મનાઈ હોય છે. આ દરમીયાન સ્ત્રી રસોડે અડકે કે અન્ય સ્ત્રી, પુરુષને અડકે તો ‘પાપ’ લાગે છે. આવી માન્યતાને આધારે તેને અલગ રખાય છે.
પહેલા ચાર દીવસ દરમીયાન સ્ત્રીએ કંતાનની જૂની ગોદડીમાં સુવાની ફરજ પાડવામાં આવતી. તેની પાસેથી કોઈ વસ્તુ લેવી હોય કે આપવી હોય તો નીચે મુકીને અપાતી, રખેને તેનો સ્પર્શ થઇ જાય અને અભડાઈ જવાય. એજ સ્ત્રી બાકીના દિવસો તેમની પગચંપી કરતી હોય સેવા કરતી હોય ત્યારે સુખ લાગે છે. અહી કયું વિજ્ઞાન કે ધર્મભાવના આવે છે? હજુ પણ કેટલાંક ધાર્મિક રૂઢીચુસ્ત કુટુંબોમાં ઉપરની પ્રથા ચાલી રહી છે
રજસ્વલા સ્ત્રીના પડછાયાથી પાપડ અથાણા બગડી જાય કોઈ સ્વાદિષ્ટ વાનગી બનાવી હોય તે ખરાબ થઇ જાય. જાણે કે આ દિવસોમાં તેના શરીરમાંથી કોઈ વાઈરસ નીકળતા હશે અને બધું બગાડી મુકતા હશે! આભડછેટની દશામાં સ્ત્રીની જે માનહાની થાય છે એ તેની માટે વાગ્યા ઉપર મીઠું ભભરાવવા જેવી સ્થિતિ હોય છે. કારણ આ સમયે સ્ત્રીની મનોદશા પણ હોર્મોન્સના ફેરફારને કારણે ડામાડોળ હોય છે. જે વધુ સંવેદનશીલ હોય છે.
જેને અપવીત્ર ઘટના ગણવામાં આવે છે એ ‘માસીકસ્રાવ’ ખરેખર તો સ્ત્રીત્વની નીશાની છે. ખરેખર આ સમયે સ્ત્રીને બધા કામોથી દુર રાખવા માટેનું વૈજ્ઞાનિક કારણ છે સ્ત્રીને આરામ આપવાનું છે. વર્ષો પહેલા ઘરકામમાં પણ સ્ત્રીઓને હાડમારી ભર્યા કામ કરવા પડતા. તેનો આરામ સચવાઈ રહે એ માટે આવો કોઈ નિયમ ઘડાયો હશે. પરંતુ આ સાથે જોડાએલ પાપ પુણ્ય બધુજ ઉપજાવી નાખેલી વાતો માત્ર છે. સ્ત્રીને આવા સમયમાં વધુ સમ્માન મળવું જોઈએ, આજ કારણોસર તે વંશવેલો આગળ ચલાવવાની ક્ષમતા ધરાવે છે.
શિક્ષણને કારણે સમજનો વ્યાપ વધ્યો છે, શિક્ષિત સમાજ હવે આવી વાહિયાત વાતોથી દુર રહેવા લાગ્યો છે. પરિણામે સમાજમાં હવે ઘણું બદલાઈ રહ્યું છે. સ્ત્રીઓને સમાન હક અને માન મળવા લાગ્યા છે, આથી તેમની આવી સ્થિતિમાં ઘણો સુધારો થઇ ગયો છે. આજના યુવાનો સ્ત્રીની આ પરિસ્થિતિમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. કેટલાક પુરુષો પત્નીના આ સમયમાં ઘરકામ કરીને તો કેટલાક ઓફિસમાં સ્ત્રી મિત્રને મદદ કરી શારીરિક દુ:ખ ઓછું કરવા પ્રયત્ન કરે છે. કાર્યકરતી સ્ત્રીઓને આવા સમયમાં કામ ઉપર વધુ છૂટછાટ પણ અપાય છે.
“સમાજમાં જીવન અને શરીરને લગતા આવા ઘણા વિષયો ઘણી અંધશ્રદ્ધાઓ છે જેની તરફ આંખ આડા કાન કરવાને બદલે વૈજ્ઞાનીક રીતે સમજ આપવામાં આવે તો પાખંડી લોકોને ધર્મની આડમાં સમાજનું માનસ પરીવર્તન કરતા રોકી શકાય.”

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: Modernsociety, Superstition
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણો જીવન પ્રવાસ ભ્રમથી બ્રહ્મ સુધીનો હોવો જોઇએ
Next Article ધો. 10ની પરીક્ષાને લઇ ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો: ચૂકવવી પડશે લેઇટ ફી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?