મિરલને રોગ મુક્ત કરવા માતાએ સરકારી નોકરી ત્યજી
ખાસ-ખબર સંવાદદાતા
અહિંયા વાત છે, કેશોદની મિરલ લક્ષમણભાઈ ગરચરની. જે રેરેસ્ટ ઓફ ધી રેર કહી શકાય તેવી એ પ્લાસ્ટકિ એનેમિયા નામની ગંભીર બિમારીથી પિડિત હતી. જેમાં શરીરમાં લોહી બનતું નથી અથવા લોહી બનવાની પ્રકિયા અવરોધાય છે. આ એ પ્લાસ્ટકિ એનેમિયાનો ગુજરાતનો બીજો જ કેસ છે. જેમાં સફળતાપૂર્વક બોર્ન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરીથી મિરલ ‘નવો જન્મ’ મળ્યો છે. મિરલને સાજી કરવા તેના માતા મીરલબેને ૠજછઝઈની નોકરી પણ ત્યજી. મિરલને ફરી હસતી-રમતી કરવા માટે પોતાનું જીવ રેડી દીધો. પરંતુ એ પ્લાસ્ટિક એનેમિયા બીમારીમાંથી સાજા થવા માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવી પડે તેમ હતી. તેમાં અંદાજે રૂ. 45 લાખથી વધુનો ખર્ચ આવતો હતો. ત્યારે સ્વભાવિક રીતે જ ગરીબ તો ઠીક મધ્યમ વર્ગના પરિવારને પણ આ ખર્ચ પરવડે નહીં. આ સ્થિતિમાં ગરચર પરિવારને સાથ મળ્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ-યોજના અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનો. જેથી મિરલની બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક થઈ શકી. તેના પરિણામે મિરલ ફરી હસ્તી રમતી થઈ છે. તેનો રાજીપો મિરલના માતા અને ગરચર પરિવારના સભ્યોના ચહેરા પર જોવા મળી રહ્યો છે.
માતાની મમતા + સરકારના સાથ થકી મિરલ ગરચરને નવો જન્મ મળ્યો
