ઘેડ વિસ્તારમાં રસ્તાની મરામત, સહાય, વીજળી સહિતના મુદ્દે અધિકારીઓને ત્વરિત કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
- Advertisement -
કેન્દ્રીય શ્રમ રોજગાર, યુવા અને સ્પોર્ટ્સ મંત્રાલય ના કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયાએ ગઈકાલે પોરબંદર જિલ્લામાં થયેલા ભારે વરસાદના સંદર્ભે પોરબંદરની મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકો અને લોક પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી જરૂરી સહાય અને કામગીરી માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર સ્પોર્ટ્સ મંત્રાલયના કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાએ પોરબંદરમાં સેવા સદન -1 ખાતે બેઠક યોજી અતિ ભારે પડેલ વરસાદના મુદ્દે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. પોરબંદર શહેર તેમજ ઘેડ વિસ્તારમાં નુકશાનીનો સર્વે, રસ્તાની મરામત, સહાય ચુકવણી, વાડી વિસ્તારમાં વીજળી સહિતના મુદ્દે અધિકારીઓને ત્વરિત કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. કલેકટર કે.ડી. લાખાણી દ્વારા કેન્દ્રીય મંત્રીને વરસાદમાં થયેલ નુકસાની દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલ રાહત કામગીરીથી વાકેફ કરાયા હતા. ચાલુ વરસાદમાં જિલ્લામાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ મંત્રીશ્રીને જાણકારી આપી હતી. તંત્રના તમામ અધિકારીઓ જન પ્રતિનિધિઓ સાથે બેસીને -સંવાદ કરીને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરે તેવી કેન્દ્રીય મંત્રીશ્રીએ સૂચના આપી હતી. કેન્દ્રીય મંત્રીએ ડિઝાસ્ટર વિભાગ કંટ્રોલરૂમ, બોખીરા અને અસરગ્રસ્તોના આશ્રય સ્થાનની મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ જરૂરી સહાય અને કામગીરી માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા સેવા સદન – 1 ખાતે યોજાયેલ બેઠક દરમિયાન અતિ ભારે પડેલ વરસાદમાં થયેલ રાહતની કામગીરી અંગે પ્રેઝન્ટેશન કરી જિલ્લાભરની સંપૂર્ણ માહિતી કેન્દ્રીય મંત્રીને આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા જિલ્લાના ડેમોમાં થઈ રહેલ પાણીની આવક અંગે સમીક્ષા કર્યા બાદ અધિકારીઓને ડેમોમાં પાણીની આવક મુદ્દે સમીક્ષા કરી પોતાની વિવેક બુદ્ધિની સાથો સાથ પાણી છોડવા અંગે નિચાણ વાળા વિસ્તારના તમામ ડેમોના લોકોને સાવચેત કરી કોઈ પ્રકારનો અઇરછનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સૂચના આપી હતી. તેમજ જે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે ત્યાં રાબેતા મુજબ વીજ પુરવઠો ચાલુ કરવા ઙૠટઈક વિભાગના તંત્રને સુચના આપવાની સાથે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ત્યાં તેઓને ગુણવત્તા યુક્ત ખોરાક મળી રહે તેની વ્યવસ્થા કરી સ્થળાંતર કરાયેલ તમામ લોકોના આરોગ્યનું ચેકઅપ કરવામાં આવે તેની સૂચના અપાઇ હતી.