જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલની રાહબરી હેઠળ ‘મન કી બાત‘કાર્યક્રમના જીલ્લા ઈન્ચાર્જ હુસેન દલના અધ્યક્ષ સ્થાને મળી બેઠક
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જીલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે મન કી બાત કાર્યક્રમ ના ઈન્ચાર્જ સહ ઇન્ચાર્જ ની બેઠક મળી હતી જેમાં આગામી માન. વડા પ્રધાનશ્રી મોદી સાહેબના તા. 30 જાન્યુઆરી ના રોજ પ્રસારીત થનાર “મન કી બાત” કાર્યક્રમને જુનાગઢ જીલ્લાના તમામ બુથ ઉપર દર્શાવવા માટેનું આયોજન કરવા જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે “મન કી બાત” કાર્યક્રમના જીલ્લા ઈન્ચાર્જશ્રી હુસેન દલના અધ્યક્ષ સ્થાને મળેલ આ મીટીંગમાં માંગરોળ વિધાન સભાના ઈન્ચાર્જશ્રી ભરતભાઈ ચારીયા, માણાવદર વિધાનસભાના ઈન્ચાર્જશ્રી દિનેશભાઈ ટીલવા તથા મંડળના ઈન્ચાર્જ/સહ ઈન્ચાર્જશ્રીઓ હાજર રહ્યા હતા.
જીલ્લા ઈન્ચાર્જ હુસેન દલ એ તથા માંગરોળ વિધાન સભાના ઈન્ચાર્જ ભરતભાઈ ચારીયા એ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપેલ હતું. માણાવદર વિધાનસભાના ઈન્ચાર્જ દિનેશભાઈ ટીલવા એ હાજર રહેલા મંડળના ઈન્ચાર્જ/સહ ઈન્ચાર્જશ્રીઓની હાજરીની નોંધ લઈ હાજર રહેલાં સૌનો આભાર માનેલ હતો. વિસાવદર વિધાનસભાના ઈન્ચાર્જશ્રી ગાંડુભાઈ કથિરીયા નાંદુરસ્ત તબિયતના કારણે અને કેશોદ વિધાનસભાના ઈન્ચાર્જશ્રી અજીતભાઈ વાઢેર આઉટ ઓફ સ્ટેટ હોવાના કારણે હાજર રહી શકેલ નહીં. જુનાગઢ તાલુકો, મેંદરડા તાલુકો, વંથલી તાલુકો, વંથલી શહેર, માણાવદર શહેર, બાંટવા શહેર, કેશોદ તાલુકો એટલા 7 મંડળના ઈન્ચાર્જ/સહ ઈન્ચાર્જશ્રીઓ હાજર રહેલ હતા.
- Advertisement -
જીલ્લાના તમામ બુથમાં આગામી ’મન કી બાત’ કાર્યક્રમ થાય એ માટે તમામ મંડળ ઈન્ચાર્જ/સહ ઈન્ચાર્જશ્રીઓને સુચના આપવામાં આવી હતી. જેનું મોનીટરીંગ કરવા માટે વિધાનસભા ઈન્ચાર્જશ્રીઓને સુચના આપવામાં આવી હતી.