રસ્તાની વચ્ચોવચ પડેલા આ ખાડામાં ભ્રષ્ટાચારની ગંધ !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
- Advertisement -
શહેરના રૈયા ચોકડીના રૈયા ગામથી નાણાવટી તરફ જતાં રસ્તાની વચ્ચોવચ મસમોટો ખાડો પડ્યો છે. ચોમાસા શરૂ પણ નથી થયું ત્યાં તો રસ્તાઓ પર ભુવા પડવા લાગ્યા છે. કરોડોના ખર્ચે રોડ-રસ્તાઓ બનાવવામાં આવે છે છતાં પણ તંત્ર અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે આવી છે. આ પડેલા ખાડામાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. કોર્પોરેશન તંત્રના થોડા સમય પહેલા જ કરેલું રોડનું કરેલું સમારકામ જે ટુંકા સમયમાં જ બેદરકારી ભરેલું દેખાઈ આવે છે.
આ ભુવો કોર્પોરેશનની બેદરકારીની પોલ ખોલતા બોલે છે કે કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હાલ થોડા સમય પહેલાં જ આ રસ્તાનું સમાર કામ કર્યું હતું છતાં પણ હજુ ચોમાસુ શરૂ પણ નથી થયું અને એવા સમયમાં આવડો મોટો ભુવો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું દર્શાવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવું અહીં દર્શાય રહ્યું છે. આખરે આટલી નીચા સ્તરની કામગીરી કોને ફાળે જશે? તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.
મુખ્ય માર્ગ અને અતિ ચહલપહલ ધરાવતા આ ચોકમાં પડેલો આ ભુવો ઘણું બધું કહી જાય છે. આ તો બેરેક રાખી ટ્રાફિક શાખા દ્વારા અત્યારે લોકોની સાવચેતી હેઠળ કાર્યથી લોકોને અકસ્માતથી બચાવી શકાય પરંતુ આ હલકા કાર્યની નોંધ અને પગલાં ક્યારે લેવાય તે તો હવે રામ જાણે.
- Advertisement -
આ ખાડો બોલે છે ભ્રષ્ટાચાર
રૈયા રોડ પર પડેલો આ મસમોટો જાદુઈ ખાડો કે જે ખુદ લોકોને કહી રહ્યો હોય કે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, લાગતાવળગતા ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને આ રસ્તાની હાલત કેમ સમજાતી નથી? કે પછી આ કર્મચારીઓ પણ ગાંધી ચિંધ્યા માર્ગે ફરજ નિભાવી રહ્યા છે? ભ્રષ્ટાચાર અંગે ના દેખો, ના બોલો, ના સુનો જેવી સ્થિતિ વર્તાય રહી છે. હવે તંત્ર દ્વારા આ ખાડાનું રીપેરીંગ ક્યારે થશે? અને થશે તો શું ફરી આવી જ નબળી કામગીરી કરવામાં આવશે? તે તો હવે જોવું રહ્યું.