સિંધ સ્થિત આ વિસ્તારમાંથી ભગવાન પશુપતિ (શિવ)ની છાપ દર્શાવતી મહોરો મળી
સિંધુખીણ સંસ્કૃતિ આશરે ઈ.સ. પૂ. 3000 જેટલી પ્રાચીન છે
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક સિંધુ ખીણ સંસ્કૃતિનાં કેન્દ્ર સમાન મનાતા સ્થળ મોહેં-જો-દારોમાં ઉત્ખનન દરમિયાન એક દિવાલની નીચેથી ત્રાંબાના સિક્કા ભરેલો એક ચરૂૂ મળી આવ્યો છે. તે સિક્કાઓ ઉપર કેટલુંક લખાણ પણ છે. આ માહિતી આપતાં સાંસ્કૃતિક વિભાગના નિર્દેશક સૈયદ શાકીર શાહે જણાવ્યું હતું કે આ સ્થળે એક દિવાલ પડી જતાં ત્યાં વધુ ખોદકામ કરતાં મજૂરોની નજર એક વિશાળ ચરૂૂ પર પડી તે બહાર કાઢવામાં આવતાં તેમાં પુષ્કળ તાંબાના સિક્કા મળી આવ્યા તેને પ્રયોગશાળામાં મોકલી દેવાયા છે.
સૈયદ શાકીર શાહે જણાવ્યું હતું કે, મોહેં-જો-દારોમાંથી કોઈ એવી ચીજ મળી આવી છે કે તેથી ઘણાં રહસ્યો ઉપરથી પર્દો ઊઠી જશે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ સિક્કાઓ ઉપર કોઈ ભાષામાં કશુંક અંકિત કરાયું છે. હવે તે વિષે વધુ સંશોધન કરતાં જાણવા મળશે કે પ્રાચીન યુગમાં અહીં કેવા પ્રકારની સંસ્કૃતિ વિકસી હતી. આ સ્થળના અવશેષો દર્શાવે છે કે અહીં એક ઘણું જ વિકસિત નગર હતું. 1980માં આ સ્થળને (મોહન-જો-દેરોને) યુનેસ્કોએ ’વિશ્ર્વ વિરાસત’માં સ્થાન આપ્યું છે. પુરાતત્વવિદો આ નગરનો સમય ઈ.સ. પૂર્વે ત્રીજાં સહસ્રાબ્દનો મુકે છે. અહીં માટીની ’સન-બેકડ’ ઈંડો પણ આવી છે. મોહેં-જો-દારો અને હરપ્પા સિંધુ સંસ્કૃતિનાં મહત્વનાં શહેરો હતા. આ સંસ્કૃતિ વર્તમાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારતમાં પણ પ્રસરી હતી. મોહન-જો-દેરો સિંધી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ છે ’મૃત્યુ પામેલાઓનો શહેરો’.
આ સ્થળેથી એક નૃત્યાંગનાની પણ મૂર્તિ મળી આવી છે. આ સંસ્કૃતિના મુખ્ય દેવ લોર્ડ પશુપતિ (શિવ) હશે તે પશુપતિની છાપ દર્શાવતાં પતરાં તથા મહોરો ઉપરથી જાણી શકાય છે. આ ઉપરાંત કેટલીયે મૂર્તિઓ ’માતા’ની મળી છે જે માતા પાર્વતીની હોવાનું પુરાતત્વવિદોનું કહેવું છે.