ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ હુળકો સોસાયટી ખાતે આવેલ મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોની સંસ્થા જેમાં 35 જેટલા મન બુદ્ધિ અને અનાથ બાળકો તેમજ વડીલોને નિ:શુલ્ક પણે પ્રવેશ આપી તેમાં રહેવા જમવા સહીતની જરૂરિયાત નિ શુલ્કપણે પુરી પાડતિ સંસ્થા સાંપ્રાત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થામાં માળીયા હાટીના મુળ અને માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠીયાએ પોતાના જન્મદિવસે કાર્યકરો તેમજ રાજશીભાઈ જોટવા જેવા આગેવાનો સાથે પહોંચી મંદબુદ્ધિના લોકો માટે સાહનુભૂતિ રાખી વાર્તાલાપ કરી અને મિષ્ટ ભોજન કરાવી પોતાનો કિંમતી સમય ફાળવી જન્મદિવસની ઉજવણી કરી હોવાનું સંસ્થાના ટ્રસ્ટી વતી યાદીમાં
જણાવેલ છે.