ઝખઈનું ચૂંટણી મેનેજમેન્ટ કરતી ઈંઙઅઈના પ્રમુખ પ્રતિક જૈનના નિવાસસ્થાન પર ઊઉના દરોડા, મમતા બેનરજી દોડી આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.08
- Advertisement -
પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઊઉની ટીમે ઈંઙઅઈના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને ઓફિસ પર એકસાથે દરોડા પાડ્યા છે. જોકે, આ દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે પ્રતીક જૈનના ઘરે પહોંચતા મામલો વધુ ગંભીર બન્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઊઉ દ્વારા આ કાર્યવાહી કથિત નાણાકીય અનિયમિતતાઓના કેસમાં કરવામાં આવી રહી છે. તપાસ ટીમ પ્રતીક જૈનના રહેઠાણ અને ઓફિસ બંને જગ્યાએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. સવારથી જ શરૂ થયેલી આ પ્રક્રિયાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન સૌથી વધુ ચોંકાવનારી બાબત મુખ્યમંત્રી મમતા બેનરજીનું આગમન રહી છે. મમતા બેનરજી સીધા એ સ્થળે પહોંચ્યા હતા જ્યાં ઊઉની ટીમ તપાસ કરી રહી હતી. મુખ્યમંત્રીની આ હાજરીને રાજકીય વિશ્ર્લેષકો કેન્દ્રીય એજન્સીઓ સામેના વિરોધના પ્રતીક તરીકે જોઈ રહ્યા છે. આ અચાનક મુલાકાતને કારણે ત્યાંનું વાતાવરણ અત્યંત સંવેદનશીલ બની ગયું હતું.
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહમંત્રી પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય એજન્સીઓ તેમની પાર્ટીના હાર્ડ ડિસ્ક અને ચૂંટણી પ્રચારની સામગ્રી કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ તેમણે ઊઉની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આ બધું માત્ર રાજકીય રીતે અમને ડરાવવા-ધમકાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર-રાજ્ય વચ્ચે વધશે વિવાદ?
પશ્ર્ચિમ બંગાળમાં આ અગાઉ પણ ઊઉ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામસામે આવી ચુકી છે. તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) દ્વારા અવારનવાર એવો આક્ષેપ કરવામાં આવે છે કે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવી રહ્યો છે. પ્રતીક જૈન ઈંઙઅઈના પ્રમુખ હોવાથી, જે સંસ્થા ઝખઈની ચૂંટણી રણનીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, આ દરોડાની અસર આગામી સમયમાં રાજ્યના રાજકારણ પર વધુ ઘેરી બને તેવી શક્યતા છે.



