છેલ્લા 500 વર્ષથી ભાદરવી પૂનમના દિવસ યોજાતો પારંપરિક કુસ્તી મેળો
બુધાભા ભાટી- દ્વારકા
દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે જાકુપીર ડાડાની દરગાહે છેલ્લા 500 વર્ષથી યોજાતા પારંપરિક મલ્લ કુસ્તી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમના દિવસે મલકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં દશેક અને મલ્લ યોધ્ધા મુખ્યતવે ક્ષત્રિય વાઘેર સમાજનાં હોય છે. હજારોની સંખ્યામાં દર્શકો અને સેંકડોની સંખ્યામાં મલ્લોએ આ મેળામાં ભાગ લીધો.
ઓખા મંડળ અને બારાડી વિસ્તારના તંદુરસ્ત અને ખેલ દિલવાળા યુવાનો આ મેળાની રાહ જોઈને બેઠા હોય છે ત્યારે મેળામાં ઘણા બધા મલ્લ કુસ્તી બાજોએ દર્શકોના દિલ જીતી લીધા હતા.
આ મલ્લ કુસ્તી મેળામાં દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે, દ્વારકા પ્રાંત અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી, દ્વારકા તાલુકા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મલ્લ કુસ્તી મેળાના અંતે વિજેતા ખેલાડીઓને જિલ્લા પોલીસવાળા ઉપરાંતના મહાનુભવોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા.
વર્ષોથી ચાલતા આવતા આ મેળાના આયોજનમાં સુચાર રૂપથી ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આવેલા તમામ મહેમાનો માટે ચા-પાણી અને છાયામાં બેસવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મેળાના આ સંપુર્ણ કાર્યક્રમનું સંચાલન અશોકભા માણેક અને યુવાનોએ કર્યું હતું.