દરેક વિધ્નો પાર કરીને શ્રદ્ધાળુઓ સંગમ અને ગંગા તટ પર પહોંચ્યા : આસ્થાળુઓના સ્નાન બાદ બધા અખાડાઓના સાધુઓએ અમૃતસ્નાન કર્યું
ગંગા, જમના અને અદ્દશ્ય સરસ્વતીના સંગમમાં બુધવારે મૌની અમાસે વહેલી સવારે અમૃત સ્નાન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડયું હતું. મહત્વની વાત એ છે કે, મધરાત્રે શ્રદ્ધાળુઓમાં મચેલી ભાગદોડમાં 30 જેટલા લોકોના મોત તેમજ સેંકડો લોકોના મોત છતા શ્રદ્ધાળુઓ કે સાધુ-સંતો હિંમત નહોતા હાર્યા.
- Advertisement -
મૌની અમાસે સાડા સાત કરોડ શ્રદ્ધાળુઓએ પુણ્યની ડૂબકી લગાવી હતી. શ્રદ્ધાળુઓ, સાધુઓ અને પ્રશાસન ક્ષણભર માટે પણ નિરાશ નહોતું થયું અને મહાસ્નાન પણ નહોતું રોકાયું. મુખ્યમંત્રી યોગીએ સમગ્ર હાલત પર નજર રાખી હતી અને અધિકારીઓને સૂચના આપી હતી. લોકોમાં પુણ્ય સ્નાનનું જુનુન એટલું હતું કે, સંગમ ક્ષેત્રમાં હોસ્પિટલો તરફ ભાગી રહેલી એમ્બ્યુલન્સની સાયરનનો તેજ અવાજ પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહને ખતમ નહોતો કરી શકયો. અફડાતફડીના કારણે મોટી સંખ્યામાં લોકોએ પાછા ફરીને બીજા ઘાટો પર સ્નાન કરવું પડયું હતું.
ભાગદોડના કારણે અખાડાના સાધુઓએ સવારે પાંચ વાગ્યાના બદલે બપોર બાદ અઢી વાગ્યે ડૂબકી લગાવવી શરૂ કરી હતી. જેથી સામાન્ય શ્રદ્ધાળુઓ પહેલા સ્નાન કરી શકે. આ દરમિયાન પહેલીવાર ત્રણ શંકરાચાર્યો વિધુ શેખર, સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી અને સદાનંદ સરસ્વતીએ એક સાથે ડૂબકી લગાવી. બપોર સુધીમાં એમ્બ્યુલન્સની સાયરન બંધ થયા બાદ સ્થિતિ સામાન્ય બની ગઈ હતી. ગાડીઓ ન મળવાના કારણે સ્નાન બાદ મોટી સંખ્યામાં લોકોએ યાર્ડ, ખાલી સ્થળો પર જ ડેરા તંબુ તાણ્યા હતા. ઝાકળ વર્ષા અને ઠંડી કડકડતી ઠંડી છતાં લોકો સ્નાન કર્યાની ખુશીથી ફુલ્યા સમાતા નહોતા.
ચારેય પીઠના શંકરાચાર્યોએ કર્યું અમૃતસ્નાન
મૌની અમાસે દેશની ચારેય દિશામાંથી મહાકુંભમાં આવેલા શંકરાચાર્યોએ ત્રિવેણીમાં અમૃત સ્નાન કર્યુ હતું. તેમણે ગંગા મૈયાને બધાના કલ્યાણની વાત કરી હતી.ગોવર્ધન મઠ પુરીનાં પીઠાધીશ્વર શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી 11 વાગ્યે પોતાનાં અંગત સચીવ સ્વામી નિર્વિકલ્પાનંદ સરસ્વતી આચાર્ય વિવેક મિશ્ર ઋષિકેશ બ્રહ્મચારી પ્રફુલ ચૈતન્ય બ્રહ્મચારી અને ડો.રાજેશ બ્રહ્મચારી સાથે ગંગા તટ પર પહોંચ્યા હતા અને ગંગાને પ્રણામ કરીને સ્નાન કર્યું હતું.
- Advertisement -
જયારે શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી અને દ્વારકાની સદાનંદ સરસ્વતી અને શૃંગેરી પીઠના શંકરાચાર્ય વિધુ શેખર ભારતી સરસ્વતી મંગળવારે રાત્રે 12 વાગ્યે પોતાની શિબીરે પહોંચ્યા હતા. સવારે સંગમ સ્થળે ભાગદોડની ખબર મળ્યા બાદ ત્રણેય શંકરાચાર્યોએ સ્નાન સ્થગીત કરી દીધુ હતું. જોકે પ્રશાસનનાં અનુરોધ પર બુધવારે બપોરે ત્રણેય શંકરાચાર્યોને એક ડઝન શિષ્ય સાથે વાહનથી અરૈય લઈ જવામાં આવેલા અને બોટથી અમૃત સ્નાન કરાવાયું હતું.